કેટલા દિવસ સુધી ગણેશજીને ઘરે રાખવા શુભ હોય છે? જાણો બધા દિવસોનું મહત્ત્વ

ગણેશ ચતુર્થી ભારતના સૌથી મોટા તહેવારોમાંથી એક છે. આ દિવસે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનું દરેક ઘરમાં ભક્તિ, પ્રેમ અને ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે છે. ચારેય તરફ ઢોલ-નગારાની ગુંજ અને ભજન-કીર્તનનો અવાજ સંભળાય છે. આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ દર વર્ષે લોકોના મનમાં એક સવાલ જરૂર ઊઠે છે કે, ગણપતિ બાપ્પાને ઘરમાં કેટલા દિવસ રાખવા જોઈએ? શાસ્ત્રો અનુસાર, આ વસ્તુ પરંપરા, આસ્થા અને સુવિધા પર નિર્ભર કરે છે. આ જ કારણ છે કે દરેક ઘરમાં અલગ-અલગ દિવસો માટે બાપ્પાની સ્થાપના થાય છે.

ગણેશ ચતુર્થી અને વિસર્જન 2025ની તારીખ

વૈદિક પંચાંગ અનુસાર, ચતુર્થી તિથિ 26 ઑગસ્ટના રોજ બપોરે 01:54 વાગ્યે શરૂ થશે અને 27 ઑગસ્ટના રોજ બપોરે 03:44 વાગ્યે સમાપ્ત થશે. જો કે, ઉદયતિથિ માન્ય હોય છે એટલે આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઑગસ્ટ બુધવારે મનાવવામાં આવશે. દર વર્ષે ગણેશ વિસર્જન અનંત ચૌદશના દિવસે થાય છે. આ વર્ષે અનંત ચૌદશ રવિવાર 7 સપ્ટેમ્બરના રોજ હશે.

Lord-Ganesha4
facebook.com/lordganeshaimageshd

ગણપતિ બાપ્પાને ઘરે રાખવાની પરંપરાઓ

દોઢ દિવસના ગણપતિ

ઘણા પરિવારો બાપ્પાને દોઢ દિવસ માટે ઘરમાં રાખે છે. આ પરંપરા નાની, સરળ અને ભાવપૂર્ણ હોય છે. તેમાં જલદી વિદાય આપીને બાપ્પા પાસેથી આશીર્વાદ લેવામાં આવે છે અને તેમને આગામી વર્ષે ફરીથી આમંત્રણ આપવાનો સંકલ્પ લેવામાં આવે છે.

3 દિવસના ગણપતિ

કામ કરતા પરિવારો માટે ગણપતિ બાપ્પાને 3 દિવસ માટે ઘરે રાખવાની અવધિ સુવિધાજનક હોય છે. 3 દિવસ સુધી બાપ્પાની પૂજા, ભક્તિ અને પ્રસાદ સાથે તહેવાર ઉજવ્યા બાદ વિસર્જન કરવામાં આવે છે.

Lord-Ganesha3

5 દિવસના ગણપતિ

માન્યતા છે કે ગણપતિ બાપ્પાને 5 દિવસ ઘરે લાવવાથી સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે. 5 દિવસ સુધી બાપ્પા ઘરમાં રહેવાથી, પરિવાર અને મિત્રોને આમંત્રણ આપવા, પૂજા કરવા અને પ્રસાદ વહેંચવા માટે પૂરતો સમય મળી જાય છે.

7 દિવસના ગણપતિ

ગણપતિ બાપ્પાનું 7 દિવસનું રોકાણ ગાઢ આસ્થા અને સમર્પણનું પ્રતિક છે. આખા અઠવાડિયા દરમિયાન ઘરમાં ભક્તિ સંગીત, પૂજા અને પ્રશન્નતાનું વાતાવરણ રહે છે. આ પરંપરા મોટાભાગે એ લોકો નિભાવે છે, જેઓ પૂરા દિલથી ઉત્સવમાં ડૂબવા માગે છે.

Lord-Ganesha
shreeganesh.com

11 દિવસના ગણપતિ

ગણેશ ચતુર્થીનું સૌથી પારંપારિક અને ભવ્ય રૂપ 11 દિવસના ગણપતિ છે. બાપ્પા અગિયાર દિવસ સુધી ઘરમાં અને પંડાલમાં રહે છે. આ પરંપરાનું મહારાષ્ટ્ર અને ઘણા રાજ્યોમાં પાલન કરવામાં આવે છે. છેલ્લા દિવસે, અનંત ચૌદશ પર વિસર્જન અગાઉ આખો સમાજ ભક્તિ, આનંદ અને એકતામાં ડૂબી જાય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.