સ્વીડનમાં કુરાન સળગાવવા પર પોપને ગુસ્સો આવ્યો, કહ્યું- કોઇ પણ પવિત્ર પુસ્તક...

ગયા અઠવાડિયે સ્વીડનમાં, એક વ્યક્તિએ સ્ટોકહોમ સેન્ટ્રલ મસ્જિદની સામે કુરાનની એક નકલને આગ લગાવી હતી. મુસ્લિમ દેશો અને મુસ્લિમ સંગઠનોએ આ ઘટનાની સખત નિંદા કરી છે. હવે પોપ ફ્રાન્સિસે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

પોપ ફ્રાન્સિસે ગયા અઠવાડિયે સ્વીડનમાં બકરીદના અવસર પર કુરાન સળગાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે મુસ્લિમોના પવિત્ર પુસ્તકનું અપમાન જોઈને તેમને ગુસ્સો આવ્યો છે અને નિરાશા સાંપડી છે. તેમણે કહ્યું કે કોઈપણ પવિત્ર પુસ્તકનું સન્માન કરવું જોઈએ.

સંયુક્ત આરબ અમીરાતના અખબાર અલ ઇત્તિહાદમાં સોમવારે પ્રકાશિત એક ઇન્ટરવ્યુમાં પોપે કહ્યું, પવિત્ર ગણાતા કોઈપણ પુસ્તકમાં શ્રધ્ધા રાખનારાના સન્માન માટે તે પુસ્તકનું સન્માન કરવું જોઈએ. આવી ઘટનાઓ પર મને ગુસ્સો આવે છે અને હું નિરાશ થઈ જાઉં છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ ક્યારેય બીજાને અપમાનિત કરવાના સાધન તરીકે ન કરવો જોઈએ. આને મંજૂરી આપવી અસ્વીકાર્ય છે અને હું તેની નિંદા કરું છું

ગયા બુધવારે બકરીદના દિવસે સ્વીડનની રાજઘાની સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદની સામે સલવાન મોમિકા નામના એક વ્યકિતએ કુરાનની નકલને પહેલા તો પગ નીચે રગદોળી અને એ પછી આગ લગાવી દીધી હતી. બકરીદને દિવસે બનેલીની ઘટનાને કારણે મુસ્લિમ રાષ્ટ્રો એકદમ ગુસ્સામાં છે.

ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લગભગ તમામ મુસ્લિમ દેશો ખાસ કરીને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, પાકિસ્તાન, તુર્કી, મોરોક્કો, ઈરાક, ઈરાન, જોર્ડન, પેલેસ્ટાઈન, યમન વગેરેએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. બુધવારે જ સાઉદી અરેબિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આવા જઘન્ય કૃત્યને સ્વીકારી શકાય નહીં. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'આ જઘન્ય અને વારંવારના કૃત્યોને કોઈ પણ કારણસર સ્વીકારી શકાય નહીં.

આવા કૃત્યો સ્પષ્ટપણે નફરત અને જાતિવાદને ઉશ્કેરે છે. તેઓ સહિષ્ણુતા, મધ્યસ્થતા અને ઉગ્રવાદને સમાપ્ત કરવાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોની વિરુદ્ધ છે. આવા કૃત્યો નાગરિક અને દેશ વચ્ચેના સંબંધોમાં પરસ્પર સન્માન ઘટાડે છે. આ અઠવાડિયે સોમવારે સાઉદીએ સ્વીડનના રાજદૂતને પણ બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી.

સાઉદી અરબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયે સ્વીડનના રાજદૂતને બોલાવ્યા હતા અને તેમને જાણ કરી હતી કે સાઉદી અરબે પવિત્ર કુરાનને બાળી નાખનાર ઉગ્રવાદી દ્વારા કરવામાં આવેલા અત્યાચારી કૃત્યને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલય સ્વીડનની સરકારને એવી તમામ ક્રિયાઓ બંધ કરવા કહે છે જે સહિષ્ણુતા, મધ્યસ્થતા અને ઉગ્રવાદને રોકવાના પ્રયાસોને નબળી પાડે છે અને જે દેશો અને લોકો વચ્ચેના પરસ્પર સન્માનને નુકસાન પહોંચાડે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.