વૈશાખ મહિનામાં ન લગાવો તેલ, જાણો અન્ય કયા કામ પણ વર્જિત છે વૈશાખ મહિનામાં

પુરાણો અને શાસ્ત્રોમાં દરેક મહિનાનું અલગ અલગ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. પુરાણોમાં જણાવાયું છે કે, વૈશાખ મહિનામાં જે વ્યક્તિ સૂર્યોદય પહેલા સ્નાન કરી લે છે અને પૂજા અર્ચના કરે છે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોય છે. આ વર્ષે વૈશાખ મહિનો 16 એપ્રિલથી શરૂ થાય છે અને 15 મેએ પૂરો થશે. વૈશાખના દેવતા મધુસુદન ગણાય છે.

સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાનું મહત્ત્વ:

સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે, મહીરથ નામના રાજાએ માત્ર વૈશાખ સ્નાનથી જ વૈકુંછધામ પ્રાપ્ત કરી લીધું હતું. આ મહિનાનું વ્રત કરનારે રોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ. જો શક્ય થાય તો નદી, તળાવ, કૂવા કે જળાશયોમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યાં બાદ ભગવાન સૂર્યને જળ ચઢાવવું જોઈએ. સૂર્યને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ.

વૈશાખે મેષગે ભાનૌ પ્રાતઃ સ્નાનપરાયણઃ
અર્ધ્ય તેહં પ્રદાસ્યામિ ગૃહાણ મધુસુદન...

આ મહિનામાં શું કરવું અને શું ન કરવું:

  • આ મહિનામાં તેલ લગાવવું, દિવસે ઊંઘવું, કાંસાના વાસણમાં જમવું, બે વાર ભોજન કરવું, રાત્રે જાગવું વગેરે વર્જિત છે.
  • ફળો અને અનાજનું દાન કરવું જોઈએ.
  • વૈશાખ મહિનામાં જળદાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં પાણીની પરબ બાંધવી તે સૌથી શ્રેષ્ઠ છે.
  • વ્રત કરનારે આખો મહિનો એકટાણું કરવું જોઈએ.
  • વૈશાખ વ્રતનો મહિમા સાંભળવો જોઈએ.
  • 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

Related Posts

Top News

'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
Tech and Auto 
'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
World 
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
Gujarat 
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Sports 
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.