પિતૃ પક્ષમાં 100 વર્ષો બાદ લાગશે 2 ગ્રહણ, રાખો આ સાવધાની; નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામ

પિતૃ પક્ષ પિતૃઓને યાદ કરવાનો સમય હોય છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ રહ્યો છે અને 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. પૂર્વજોની આત્માની શાંતિ માટે આ દરમિયાન શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ કરવું મહત્ત્વપૂર્ણ હોય છે. તેના ફળસ્વરૂપ, પરિવારજનોને ખુશાલીનો આશીર્વાદ મળે છે, પરંતુ આ વખતે પિતૃ પક્ષમાં 2-2 ગ્રહણોનો પડછાયો મંડરાઈ રહ્યો છે. એવામાં, ચાલો અત્યારથી જાણીએ શું સાવચેતી રાખવી જોઈએ. પિતૃ પક્ષમાં બનતી 2 મોટી ખગોળીય ઘટનાઓ 100 વર્ષ બાદ થઈ રહી છે, જ્યાં પિતૃ પક્ષની શરૂઆત અને પૂર્ણાહુતિ ગ્રહણ સાથે થઈ રહી છે.

પિતૃ પક્ષનું પહેલું ગ્રહણ- ચંદ્રગ્રહણ

પિતૃ પક્ષની શરૂઆત ચંદ્રગ્રહણથી થશે. 7 સપ્ટેમ્બરના રોજ, ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ રાત્રે 9:58 વાગ્યે થશે અને 1:26 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન ચંદ્રમાનો રંગ લાલ નજરે પડશે, જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન કહેવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે.

Pitru-Paksha-20251
x.com

પિતૃ પક્ષનું બીજું ગ્રહણ- સૂર્યગ્રહણ

પિતૃ પક્ષની પૂર્ણાહુતિ સૂર્યગ્રહણ સાથે થશે. 21 સપ્ટેમ્બરના રોજ, ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ રાત્રે 10:59 વાગ્યે શરૂ થઈને લગભગ 3:23 વાગ્યા સુધી ચાલશે. જો કે તે રાત્રે છે એટલે ભારતમાં નહીં દેખાય.

ભારતમાં દેખાશે ગ્રહણ, આ ભૂલ ન કરતા

પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે, મંદિરમાં દાન આપવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે પિતૃ પક્ષ અગાઉ શ્રાદ્ધ એટલે કે પૂર્ણિમાવાળા શ્રાદ્ધ પર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે.

ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક અગાઉ શરૂ થઈ જાય છે. સૂતક કાળથી ગ્રહણના અંત સુધી કેટલાક કાર્ય વર્જિત હોય છે. એવામાં આ સમય દરમિયાન મંદિરમાં ન જાવ, બ્રાહ્મણોને ભોજન પણ ન કરાવો, આ સમય દરમિયાન ભોજન પણ રાંધવામાં આવતું નથી. ગ્રહણ પૂર્ણ થયા બાદ જ પૂર્વજો માટે દાન કરો.

સૂતક કાળથી ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેનાથી બાળક પર ખરાબ અસર પડી શકે છે. આ દિવસે ડિલિવરી ન કરાવો તો સારું રહેશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.