યોગી સરકારે કાવડ યાત્રા માટે નિયમો બનાવ્યા, કેટલાક પ્રતિબંધો મૂકી દીધા

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ આખા દેશમાં કાવડ યાત્રાની શરૂઆત થઈ જશે. 4 જુલાઈથી 31 ઑગસ્ટ વચ્ચે શ્રદ્ધાળુ લાંબી લાંબી પદયાત્રાઓ કરીને ભગવાન શંકરને જળ ચડાવવા જશે. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે આ વખત કાવડ યાત્રા પ્લાસ્ટિક મુક્ત હશે એટલે કે કાવડ યાત્રા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મૉકૉલનો ઉપયોગ પ્રતિબંધિત હશે. તેની સાથે જ કાયદા વ્યવસ્થા બનાવી રાખવા માટે અત્યારથી જ સ્પષ્ટતા કરી દીધું છે કે DJ પર અશ્લીલ ગીતો વગાડવા, સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કરવા અને ભાલા અને ત્રિશુળ જેવી વસ્તુઓ લઈ જવાની મંજૂરી નહીં હોય.

મુખ્ય સચિવ શહેરી વિકાસ અમૃત અભિજાતે કહ્યું કે કાવડ યાત્રાને પૂરી રીતે પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે સાથે થર્મોકોલના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે અને રસ્તામાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ભક્તોને 12 ફૂટથી વધારે ઊંચાઈના ભાલા અને ત્રિશુળ લઈ જવાની મંજૂરી નહીં હોય. DJ કન્સોલ પર અશ્લીલ ગીતો વગાડવાની મંજૂરી નહીં હોય. સાથે જ કાવડ માર્ગો પર વાહનોની અવર-જવર નહીં થાય.

અસામાજિક તત્વોને સાંપ્રદાયિક તણાવ ફેલાવનારી અફવાઓ રોકવા માટે પોલીસ વૉટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા પર નજર રાખશે. યાત્રાની અવર-જવર પર CCTV અને ડ્રોન કેમેરાઓથી નજર રાખવામાં આવશે. આયોજનની તૈયારીઓની સમીક્ષા કરનારા મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને કાવડ યાત્રાની સતત દેખરેખના નિર્દેશ આપ્યા છે જેથી યાત્રા સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. યાત્રા જે જિલ્લાઓથી થઈને પસાર થશે. આ બધા જિલ્લાના અધિકારીઓ સમન્વય બનાવીને કામ કરે.

પોલીસકર્મીઓને શ્રદ્ધાળુઓ સાથે શાલીનતાથી રજૂ કરવું જોઈએ. અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના અધિકારીઓને કાવડ શિબિરો અને સામુદાયિક ભોજ (ભંડારો)ની મંજૂરી આપવા અગાઉ કાવડ સંઘો સાથે વાતચીત કરવા માટે કહેવામાં આવ્યું છે. પ્રસાદે કહ્યું કે, જિલ્લા પ્રશાસને અધિકારી કાવડયાત્રીઓને સુરક્ષા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે. તેમણે કહ્યું કે, એન્ટી વેનમ અને એન્ટી રેબિજ વેક્સીનને ચિકિત્સા શિબિરોમાં સ્ટોર કરવામાં આવશે. રસ્તાઓમાં શૌચાલાય અને સ્નાનાગારની વ્યવસ્થા થવી જોઈએ. અપ્રિય ઘટનાને રોકવા માટે ઘાંટો પર બેરિકેડિંગની વ્યવસ્થા કરવી જોઈએ.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.