ગરબામાં મુસ્લિમોને પ્રવેશ આપવો જોઇએ: રામલીલામાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર આબીદ શેખ

નવરાત્રિના તહેવારમાં દર વર્ષે ગરબામાં વિધર્મીઓને પ્રવેશ આપવો નહીં એ બાબતે ભારે વિવાદ થતો રહે છે. આ વખતે પણ કેટલાંક આયોજકોએ એવી જાહેરાત કરી હતી કે જે તિલક લગાવીને આવશે તેને જ પ્રવેશ મળશે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંદ દળ ગરબામાં વિધર્મીઓના પ્રવેશનો વિરોધ કરતા રહે છે. હવે વડોદરામાં રામલીલા ચાલી રહી છે અને એક મુસ્લિમ યુવક તેમાં પાત્ર ભજવી રહ્યો છે. આ અપવાદને ચલાવી લેવામાં આવ્યો છે.નવરાત્રિના તહેવારમાં રામલીલાનું પણ આયોજન દરેક શહેરમાં થતું રહે છે અને ઘણી જગ્યાએ મુસ્લિમ કલાકારો રામલીલામાં પાત્ર ભજવે છે.

છેલ્લાં 14 વર્ષથી રામલીલામાં ભગવાન રામના ભાઇ લક્ષ્મણનું પાત્ર ભજવતા આબિદ શેખ આ વખતે વડોદરામાં આયોજિત રામલીલામાં વિભીષણનું પાત્ર ભજવવાનો છે. મુળ દિલ્હીના અકોટા વિસ્તારમાં રહેતો આબીદ શેખ 12મા ધોરણમાં હતો ત્યારથી લક્ષ્મણનું પાત્ર ભજવતો આવ્યો છે.

આબીદ શેખે મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે ગરબામાં મુસ્લિમોને એન્ટ્રી ન આપવી એ યોગ્ય વાત નથી. કેટલાંક તત્તવોને કારણે આખી કોમને ટાર્ગેટ ન કરવી જોઇએ. આબીદે કહ્યું કે ગરબામાં જે તોફાની તત્વો હોય, ખોટા કામ કરનારા હોય, ભલે તે મુસ્લિમ હોય તેની સામે કાર્યવાહી થવી જોઇએ, પરંતુ આખા સમાજને બદનામ ચિતરવો યોગ્ય નથી.

આબીદે કહ્યું કે હું 14 વર્ષથી રામલીલામાં લક્ષ્ણમું પાત્ર ભજવું છે અને ઘણા મુસલમાનો ભગવાન રામને પૂજનીય માને છે. તિલક લગાવવાથી કોઇ મુસ્લિમ ધર્મ બદલાઇ જવાનો નથી. અમારા જેવા કલાકારો માટે ધર્મનો કોઇ મતલબ નથી. રામલીલામાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અનેક લોકો પાત્રો ભજવે છે.

આબીદે કહ્યું કે હું પોતે જ્યારે રામલીલામાં લક્ષ્મણનું પાત્ર ભજવું છું ત્યારે મને મારી જાત માટે ગૌરવ થાય છે. હવે તો મને બધા સંવાદો મોઢે પણ થઇ ગયા છે. રામલીલા એ ખરેખર એક અદભૂત નૃત્ય નાટિકા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.