શરદ પૂનમ ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત-યોગ અને સાવચેતીઓ

હિંદુ ધર્મમાં દર મહિને આવનારી પૂનમનું ખાસ મહત્વ હોય છે. આ બધી પૂનમોમાંથી શરદ પૂનમને ખાસ અને કલ્યાણકારી માનવામાં આવે છે. અશ્વિન માસમાં આવનારી પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર ધરતીની સૌથી નજીક હોય છે. આ પર્વ રાતે ચંદ્રમાની રોશિનીની વચ્ચે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આખા વર્ષમાં માત્ર શરદ પૂનમના દિવસે જ ચંદ્ર પોતાની સોળ કળાઓથી પરિપૂર્ણ થાય છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવી શુભ હોય છે. સાથે જ આ દિવસે ઉપવાસ કરવાને પણ ખાસ મહત્વ છે. આ વખતે શરદ પૂનમ 28 ઓક્ટોબર શનિવારના રોજ છે.

શરદ પૂનમની તિથિ આ વખતે 28 ઓક્ટોબર, શનિવારે સવારે 4 વાગ્યા 17 મિનિટ પર શરૂ થશે અને તિથિ સમાપન 29 ઓક્ટોબર રવિવારે બપોરે 1.53 વાગ્યે થશે. આ દિવસે ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, શશ યોગ અને સિદ્ધિ યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેને લીધે શરદ પૂનમ ખાસ હોય છે.

આ દિવસે શરદ ઋતુનું આગમન થાય છે. આ દિવસે ચંદ્રમાની દૂધિયા રોશનીમાં દૂધ પૌંઆ બનાવી રાખવામાં આવે છે અને પછી આને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.

આ દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કર્યા પછી ઉપવાસ કરવાનો રહે છે. પૂજા કરવાની રહે છે. સંધ્યાકાળમાં દૂધની ખીરમાં ઘી ભેળવીને રાતના સમયે ભગવાનને ભોગ લગાવવાનો રહે છે. સાથે જ ચંદ્રના ઉદય થયા પછી તેમની પૂજા કરવી અને ખીરને નેવૈદ્ય અપર્ણ કરવામાં આવે. રાતે ખીરને ચંદ્રમાની ચાંદનીમાં રાખવામાં આવે છે અને બીજે દિવસે સવારે પ્રસાદના રૂપમાં લેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ-પાર્વતી અને ભગવાન કાર્તિકેયની પૂજા કરવી જોઇએ.

સાવચેતી

આ દિવસે પૂર્ણ રીતે પાણી અને ફળને ગ્રહણ કરીને ઉપવાસ રાખવાનો પ્રયાસ કરો. જો ઉપવાસ ન રાખો તો સાત્વિક આહાર ગ્રહણ કરો. આ દિવસે કાળા રંગનો પ્રયોગ ન કરો. સફેદ કપડા પહેરશો તો વધારે સારું રહેશે.

શરદ પૂનમના દિવસે વ્રત કરવું ફળદાયી સિદ્ધ થાય છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રમાની દરેક સોળ કળાઓથી યુક્ત હતા. આ પૂનમના દિવસે ચંદ્રમાંથી નીકળતી રોશની ચમત્કારિક ગુણોથી પરિપૂર્ણ હોય છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર, શરદ પૂનમનું વ્રત રાખ્યા પછી પૂર્ણ રાત્રી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી ધનની સમસ્યાઓનો અંત થાય છે અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.