મુંબઈમાં ભગવાન ગણેશની મૂર્તિને 69 કિલો સોના, 336 કિલો ચાંદીથી શણગારવામાં આવી

આજે ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર દેશભરમાં ખાસ કરીને મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે અને ચારેબાજુ ગણેશ પૂજા કરવામાં આવી રહી છે. આવા જ એક પંડાલમાં ભગવાન ગણેશને 69 કિલો સોના અને 336 કિલો ચાંદીથી શણગારવામાં આવ્યા છે.

મુંબઈના વડાલાના GSB ગણેશ મંડળે એક વીમા કંપની પાસેથી રૂ. 360.40 કરોડનો વીમો કરાવ્યો છે. મંડળના ઉપાધ્યક્ષ રાઘવેન્દ્ર ભટે જણાવ્યું હતું કે, મહાગણપતિની મૂર્તિને 66 કિલોથી વધુ સોનાના ઘરેણા અને 336 કિલો ચાંદી અને અન્ય કિંમતી સામગ્રીઓથી શણગારવામાં આવી છે. તેથી જ મંડળે ઘરેણાં અને ગણેશ ભક્તોની સુરક્ષા માટે 360.40 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવી લીધો છે. આ વીમાની રકમમાં 38.47 કરોડ રૂપિયાના સોના, ચાંદી અને અન્ય ઝવેરાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંડાલ, દર્શન માટે આવતા ભક્તો, સ્વયંસેવકો, પૂજારી, રસોઈયા, સ્ટોલ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ વગેરે મળીને 321 કરોડ રૂપિયાનો વીમો સામેલ છે.

મૂર્તિઓને ગણેશ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા આભૂષણોથી શણગારવામાં આવે છે અને અહીં પાંચ દિવસ સુધી સતત ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તોનું આવવાનું થતું હોય છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી ગણેશ મંડળ દ્વારા દર વર્ષે ઘરેણાં અને સેવામાં રોકાયેલા લોકોની સુરક્ષા માટે વીમો કરાવવામાં આવે છે. ગયા વર્ષે GSB સેવા મંડળે 316.40 કરોડ રૂપિયાની વિક્રમી રકમનો વીમો લીધો હતો. આ વર્ષે તેમાં 44 કરોડનો વધારો થયો છે.

મંડળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે GSB સેવા મંડળ માટે જાહેર ગણેશ ઉત્સવનું આ 69મું વર્ષ છે. શહેરમાં આ એકમાત્ર ગણેશ મંડળ છે, જ્યાં ચોવીસ કલાક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી દર્શન માટે ખુબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે, તેમની સુરક્ષા અને દેખરેખ માટે પંડાલમાં હાઇ ડેન્સિટી કેમેરા લગાવવામાં આવ્યા છે. અહીં દરરોજ 50 હજાર ભક્તો માટે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા છે. અહીં ભક્તો દ્વારા ભગવાન મહાગણપતિને સરેરાશ 60 હજાર પૂજા અને સેવાઓ અર્પણ કરવામાં આવશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-05-2025 દિવસ: સોમવાર મેષ: આજનો દિવસ તમે આધ્યાત્મિકતાના કામમાં વિતાવશો, પરંતુ કાર્યક્ષેત્રમાં તમારે તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ...
Sports 
પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં, રાજદ્વારી યુદ્ધ હજુ પણ ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
National 
ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

(ઉત્કર્ષ પટેલ) દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું. માતાનો પ્રેમ એ...
Opinion 
દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું
Copyright (c) Khabarchhe All Rights Reserved.