મોદી સરકારના બજેટથી કેમ ખુશ છે તાલિબાન?

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં મોદી સરકારના કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજુ કર્યું હતું. આ બજેટમાં અફઘાનિસ્તાન માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, એ હેઠળ ભારત વિકાસ કર્યો માટે અફઘાનિસ્તાનને 2.5 કરોડ ડૉલરની ધનરાશિ આપશે. ભારત સરકારે સતત બીજા વર્ષે બજેટમાં અફઘાનિસ્તાન માટે આર્થિક મદદ યથાવત રાખી છે. ગયા વર્ષના બજેટમાં પણ અફઘાનિસ્તાન માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

બજેટમાં અફઘાનિસ્તાનને મહત્ત્વ આપવાની જાહેરાત બાદ હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે સ્વાગત કર્યું છે. તાલિબાનના નેગોસિએશન ટીમના પૂર્વ સભ્ય સુહેલ શાહીને કહ્યું કે, અમે અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારતના સહયોગના વખાણ કરીએ છીએ. તેનાથી બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર થશે અને વિશ્વાસ વધશે. ભારત છેલ્લા 2 વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રકચર પરિયોજનાઓ, માનવીય સહાયતા, શિક્ષણ સંબંધિત ઘણા સેક્ટર્સમાં અફઘાનિસ્તાનની મદદ કરી રહ્યું છે.

તેની સાથે જ ભારતે અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધો પર ભાર આપ્યો છે. કોરોના કાળમાં ભારત વેક્સીન અને ઘઉં સહિત ઘણા જરૂરી સામાન કાબૂલ મોકલાઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન અને ભારતના સંબંધ બાધિત થયા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનના એ મોટા ભાગના પ્રોજેક્ટ્સ બંધ પડી ગયા હતા, જેમાં ભારત આર્થિક મદદ કરી રહ્યું હતું.

ત્યારબાદ તાલિબાન સરકારે ભારતને આ પરિયોજનાઓનું કામ ચાલુ કરવાનો અનુરોધ કર્યો હતો. શાહીને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં એવા ઘણા પ્રોજેક્ટ છે, જેમને ભારત ફંડ કરી રહ્યું છે. જો ભારત આ પ્રોજેક્ટ પર કામ ચાલુ કરી દે છે તો તેનાથી બંને દેશોમાં સંબંધોમાં વધારો થશે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનના લોકો ગરીબી અને બેરોજગારીથી ઝઝૂમી રહ્યા છે. દેશને અત્યારે વિકાસ સંબંધિત પરિયોજનાઓની વધુ જરૂરિયાત છે.

વર્ષ 2023-24 માટે ભારતનું બજેટ ખૂબ મહત્ત્વ ધરાવે છે કેમ કે દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. સંસદનું બજેટ સત્ર મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થયું હતું, ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, આગામી નાણાંકી વર્ષ (2023-24) માટે વર્ષી બજેટની તૈયારી કરવાની ઔપચારિક કવાયત 10 ઓક્ટોબરથી શરૂ થઇ હતી. નાણાકીય વર્ષ 2023-24માં ભારતની GDP 6 થી 6.5 ટકાની સીમમાં વધવાની આશા છે.

Related Posts

Top News

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Gujarat 
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.