મોદી સરકારના બજેટથી કેમ ખુશ છે તાલિબાન?

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં મોદી સરકારના કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજુ કર્યું હતું. આ બજેટમાં અફઘાનિસ્તાન માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, એ હેઠળ ભારત વિકાસ કર્યો માટે અફઘાનિસ્તાનને 2.5 કરોડ ડૉલરની ધનરાશિ આપશે. ભારત સરકારે સતત બીજા વર્ષે બજેટમાં અફઘાનિસ્તાન માટે આર્થિક મદદ યથાવત રાખી છે. ગયા વર્ષના બજેટમાં પણ અફઘાનિસ્તાન માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

બજેટમાં અફઘાનિસ્તાનને મહત્ત્વ આપવાની જાહેરાત બાદ હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે સ્વાગત કર્યું છે. તાલિબાનના નેગોસિએશન ટીમના પૂર્વ સભ્ય સુહેલ શાહીને કહ્યું કે, અમે અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારતના સહયોગના વખાણ કરીએ છીએ. તેનાથી બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર થશે અને વિશ્વાસ વધશે. ભારત છેલ્લા 2 વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રકચર પરિયોજનાઓ, માનવીય સહાયતા, શિક્ષણ સંબંધિત ઘણા સેક્ટર્સમાં અફઘાનિસ્તાનની મદદ કરી રહ્યું છે.

તેની સાથે જ ભારતે અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધો પર ભાર આપ્યો છે. કોરોના કાળમાં ભારત વેક્સીન અને ઘઉં સહિત ઘણા જરૂરી સામાન કાબૂલ મોકલાઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન અને ભારતના સંબંધ બાધિત થયા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનના એ મોટા ભાગના પ્રોજેક્ટ્સ બંધ પડી ગયા હતા, જેમાં ભારત આર્થિક મદદ કરી રહ્યું હતું.

ત્યારબાદ તાલિબાન સરકારે ભારતને આ પરિયોજનાઓનું કામ ચાલુ કરવાનો અનુરોધ કર્યો હતો. શાહીને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં એવા ઘણા પ્રોજેક્ટ છે, જેમને ભારત ફંડ કરી રહ્યું છે. જો ભારત આ પ્રોજેક્ટ પર કામ ચાલુ કરી દે છે તો તેનાથી બંને દેશોમાં સંબંધોમાં વધારો થશે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનના લોકો ગરીબી અને બેરોજગારીથી ઝઝૂમી રહ્યા છે. દેશને અત્યારે વિકાસ સંબંધિત પરિયોજનાઓની વધુ જરૂરિયાત છે.

વર્ષ 2023-24 માટે ભારતનું બજેટ ખૂબ મહત્ત્વ ધરાવે છે કેમ કે દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. સંસદનું બજેટ સત્ર મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થયું હતું, ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, આગામી નાણાંકી વર્ષ (2023-24) માટે વર્ષી બજેટની તૈયારી કરવાની ઔપચારિક કવાયત 10 ઓક્ટોબરથી શરૂ થઇ હતી. નાણાકીય વર્ષ 2023-24માં ભારતની GDP 6 થી 6.5 ટકાની સીમમાં વધવાની આશા છે.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.