અદાણી ગેસે CNGના ભાવમાં ₹8.13 અને PNGના ભાવમાં ₹5.06નો ઘટાડો કર્યો

CNG એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને PNG એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)એ CNG અને PNGના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સાથે મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ પણ દરમાં ઘટાડો કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ઘરેલુ કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટે એક નવી ફોર્મ્યુલાની જાહેરાત કરી છે. જે બાદ CNG અને PNGના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ATGLએ CNGની કિંમતમાં 8.13 રૂપિયા પ્રતિ કિલો અને PNGની કિંમતમાં 5.06 રૂપિયા પ્રતિ ઘન સેન્ટિમીટરનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 થી અમલમાં આવી છે. ATGLએ એક અખબારી યાદી બહાર પાડીને CNG વાહનો અને રહેણાંક ઘરોને ગેસ સપ્લાય માટે APMને ઓછામાં ઓછી 4 ડૉલરની મર્યાદા અને 6.5 ડૉલર પ્રતિ MMBTUની મર્યાદાની સાથે  ભારતીય ક્રૂડ બાસ્કેટના 10 ટકા સાથે લિંક કરવાના ભારત સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી.

'અમારા અંતિમ ઉપભોક્તાઓને પ્રાધાન્ય આપવાની અમારી નીતિને અનુરૂપ, ATGLએ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાના લાભો મોટી સંખ્યામાં ઘરોમાં પહોંચાડવાનું નક્કી કર્યું છે.'

આ સાથે, ATGLએ ઔદ્યોગિક અને વ્યાપારી PNGની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટર સુધીનો ઘટાડો કર્યો છે.

ATGL દેશની સૌથી મોટી CGD કંપનીઓમાંની એક છે. જે હાલમાં દેશના 7 લાખ ઘરેલું, 4 હજાર કોમર્શિયલ, 2000 ઔદ્યોગિક ગ્રાહકોને CNG-PNG સપ્લાય કરે છે. આ સાથે કંપની પાસે દેશમાં 460 CNG સ્ટેશન પણ છે.

આ અગાઉ, મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ 7 એપ્રિલે CNGના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયાનો ઘટાડો કરીને 79 રૂપિયા પ્રતિ કિલો કરી દીધો હતો. આ ઉપરાંત, કંપનીએ PNGની કિંમત પણ 5 રૂપિયા પ્રતિ SCM ઘટાડીને 49 રૂપિયા પ્રતિ SCM કરી છે.

goodreturns.in અનુસાર, CNG દિલ્હીમાં 79.56 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. બીજી તરફ હૈદરાબાદમાં CNGની વર્તમાન કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.

નવી ફોર્મ્યુલા હેઠળ, સ્થાનિક કુદરતી ગેસની કિંમત હવે આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવશે. સ્થાનિક ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવની માસિક સરેરાશના 10% હશે. દર મહિને તેની જાણ કરવામાં આવશે.

નવી માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય ઘરેલું ગેસ ગ્રાહકો માટે સ્થિર ભાવોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે ઉત્પાદકોને બજારની પ્રતિકૂળ હિલચાલથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહનો સાથે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરે છે.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.