ફ્લાઇટની ટિકિટ રદ કરવી હવે મફતમાં,એરલાઇન્સ પર DGCAની કડક કાર્યવાહી, જાણો નવા નિયમ

ટ્રેનની ટિકિટ રદ કરતી વખતે, રેલ્વે એક નાની રકમ કાપીને બાકીનું ભાડું રિફંડ કરે છે. તેવી રીતે જ, જો તમે ફ્લાઇટની ટિકિટ રદ કરવા માંગો છો, તો એરલાઇન્સ કંપનીઓ મોટા પ્રમાણમાં ચાર્જ વસૂલી લે છે, જેના કારણે તમને એકદમ નજીવું રિફંડ મળે છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ હવે એરલાઇન્સ કંપનીઓના આ મનસ્વી વર્તનને રોકવાની તૈયારી કરી લીધી છે.

Air-Ticket-Cancel.jpg-5

ઉડ્ડયન નિયમનકાર DGCAએ એર ટિકિટ રદ કરવા માટે નવા નિયમોનું આયોજન કર્યું છે. આ પગલું એરલાઇન્સ માટે આંચકો અને મુસાફરો માટે ખુબ મોટી રાહત હશે. DGCAએ ફ્લાઇટ ટિકિટ રદ કરવા પર લગાવતા ભારે કરને દૂર કરવાની પણ તૈયારી કરી લીધી છે. DGCAના નવા પ્રસ્તાવ હેઠળ, જો તમે બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટ ટિકિટ રદ કરો છો તો તમારી પાસેથી હવે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે જો તમે બુકિંગના 48 કલાકની અંદર તમારી ટિકિટ રદ કરો છો, તો એરલાઇન કોઈપણ શુલ્ક વિના સંપૂર્ણ રકમ રિફંડ કરશે. રદ કરવાની મંજૂરી આપવામાં આવશે એટલું જ નહીં, પરંતુ તમે કોઈપણ વધારાના ફી અથવા શુલ્ક વિના તમારી ટિકિટમાં ફેરફાર પણ કરી શકશો.

Air-Ticket-Cancel

DGCAના પ્રસ્તાવ મુજબ, જો તમે બુકિંગના 48 કલાકની અંદર તમારી ટિકિટ રદ કરો છો, તો તમે કોઈપણ જાતનો દંડ ભર્યા વિના તેને રદ કરી શકો છો અથવા તેમાં ફેરફાર કરી શકો છો. જો કે, આ સુવિધા ચોક્કસ બુકિંગ પર લાગુ પડશે નહીં, ઉદાહરણ તરીકે, જો ડોમેસ્ટિક ફ્લાઇટના પાંચ દિવસ કરતા ઓછા સમય પહેલા ટિકિટ બુક કરવામાં આવી હોય, અથવા જો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 15 દિવસ કરતા ઓછા સમય પહેલા બુક કરવામાં આવી હોય. આ કિસ્સાઓમાં, ટિકિટ રદ કરવા માટેના અગાઉના નિયમો જ લાગુ પડશે.

વારંવાર એવી ફરિયાદો આવતી હોય છે કે ટિકિટ રદ થવા પર અથવા ફ્લાઇટ રદ થવા પર રિફંડ ફસાઈ જાય છે. DGCAએ આમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં એરલાઇન્સને 21 કાર્યકારી દિવસોમાં મુસાફરોને રિફંડ આપવાની જરૂર છે. ક્રેડિટ કાર્ડથી ખરીદેલી ટિકિટ માટે, રદ થયાના 7 દિવસની અંદર રિફંડ કરવું પડશે. વધુમાં, મુસાફરો ટિકિટમાં નાની ભૂલો, જેમ કે નામની ખોટી જોડણી અથવા ઉંમર તેને બુકિંગના 24 કલાકની અંદર મફતમાં સુધારી શકે છે.

Air-Ticket-Cancel.jpg-4

ઘણી વખત, મુસાફરો ટ્રાવેલ એજન્ટો દ્વારા તેમની ટિકિટ બુક કરે છે અને ત્યાર પછી રિફંડમાં મુશ્કેલીઓનો સામનો કરે છે. DGCAના પ્રસ્તાવ મુજબ, હવે એજન્ટને બદલે એરલાઇન આવી ટિકિટોના રિફંડ માટે સીધી જવાબદાર રહેશે. આ મુસાફરોને એક સીધો અને ઝડપી ઉકેલ પ્રદાન કરશે.

મેડિકલ ઇમર્જન્સી જેવી પરિસ્થિતિઓમાં મુસાફરોને રાહત પણ આપવામાં આવી છે. જો કોઈ મુસાફરને બીમારી કે ઇમર્જન્સીના કારણે ફ્લાઇટ રદ કરવી પડે, તો એરલાઇન તે પરિસ્થિતિમાં ફક્ત ક્રેડિટ શેલ (ટ્રાવેલ વાઉચર) આપી શકે છે, પરંતુ મુસાફરની સંમતિ વિના તેનો અમલ કરી શકાતો નથી.

Air-Ticket-Cancel.jpg-3

DGCAનો આ પ્રસ્તાવ હવાઈ મુસાફરોના અધિકારોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી માત્ર એરલાઇનની જવાબદારી જ વધશે એટલું નહીં પરંતુ ટિકિટ બુકિંગથી લઈને રિફંડ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. મુસાફરો હવે ખાતરી કરી શકે છે કે જો તેમની ફ્લાઇટ રદ થાય છે અથવા તેમાં ફેરફાર કરવાની જરૂર પડે છે, તો તેમના પૈસા અને સમય બંને સુરક્ષિત છે.

About The Author

Related Posts

Top News

સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

(દિલીપ પટેલ) સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે. સુરતના મેયર...
Gujarat 
સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાલમાં જ ગુજરાતના વિરોધ પક્ષોને તીખી ટકોર કરી છે. તેમણે કહ્યું કે જેમ ચોમાસું પતે...
Politics 
જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

સિમ ક્લોનિંગ છેતરપિંડીનું નેટવર્ક ઝડપથી ફેલાયું છે. આ કિસ્સામાં, પહેલા તમારા સિમના ક્લોન માટે OTP માંગવામાં આવે છે, ...
Business 
OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

મહેંદીથી સજાવેલો હાથ, દુલ્હનનો શણગાર, લાઈટોથી સજાવેલું ઘર અને લગ્નની જાનનું સ્વાગત કરવા માટે દરવાજા પર તમામ તૈયારીઓ......
National 
કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.