ATMથી લઈને રેલવે ટિકિટ સુધી... આજથી દેશમાં લાગુ થયા આ 5 મોટા ફેરફારો

આજથી મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી જ તારીખથી જ દેશમાં અનેક પ્રકારના ફેરફારો (Rule Change from 1 May) લાગુ કરવામાં આવ્યા છે, જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. જી હા. 1 મે, 2025 થી લાગુ થયેલા ફેરફારો પર નજર કરીએ તો, એક તરફ, ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ ગયા છે (ATM Fee Hike) અને કેશ વિડ્રોલ માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે, તો બીજી તરફ, ભારતીય રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો આવા 6 મોટા ફેરફારો વિશે વિગતવાર જાણીએ.

Rule-Change1
hindustantimes.com

પહેલો ફેરફાર- ATM માંથી પૈસા ઉપાડવા થયા મોંઘા

આજથી, 1મે 2025 થી, જો તમે રોકડ ઉપાડવા માટે ATM મશીનનો ઉપયોગ કરો છો, તો તમારે વધુ ચાર્જ ચૂકવવો પડશે. હકીકતમાં, રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના પ્રસ્તાવ પર ફી વધારવાની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં પહેલી તારીખથી, જો ગ્રાહકો તેમના હોમ બેંકના એટીએમને બદલે અન્ય નેટવર્ક બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો તેમને દરેક વ્યવહાર માટે 17 રૂપિયાને બદલે 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત, જો કોઈપણ અન્ય બેંકના ATMમાંથી બેલેન્સ ચેક કરવા પર 6 રૂપિયાને બદલે 7 રૂપિયાનો ચાર્જ લાગશે. 

આ ઉપરાંત, ઘણી મોટી બેંકોએ પોતાની વેબાઈટ પર ફ્રી લિમિટ પછી ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જ વિશે માહિતી આપવાનું શરૂ કર્યું છે. HDFC બેંકની વેબસાઇટ અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટથી વધુ વ્યવહારો માટે 1 મે, 2025 થી 21 રૂપિયા + ટેક્સની ATM ટ્રાન્ઝેક્શન ફી વધારીને 23 રૂપિયા + ટેક્સ કરવામાં આવશે. તો, PNB અને IndusInd બેંકના ATM માંથી રોકડ ઉપાડ પર 23 રૂપિયાનો ચાર્જ લાગશે.

Rule-Change-2
businesstoday.in

બીજો ફેરફાર- રેલ્વેએ બદલ્યો આ નિયમ
 
1મે, 2025થી લાગુ થનાર બીજો ફેરફાર ભારતીય રેલ્વે સાથે સંબંધિત છે. વાસ્તવમાં, રેલ્વે ટિકિટ બુકિંગ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને હવે વેઇટિંગ ટિકિટ ફક્ત સામાન્ય કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે.

ત્રીજો ફેરફાર- 11 રાજ્યોમાં RRB યોજના 

મે મહિનાના પહેલા દિવસે બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હકીકતમાં, 'એક રાજ્ય-એક આરઆરબી' યોજના દેશના 11 રાજ્યોમાં 1 મે, 2025 થી પ્રસ્તાવિત છે, જેનો અમલ આજથી થઈ શકે છે. આ અંતર્ગત, દરેક રાજ્યમાં તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને જોડીને એક મોટી બેંકની રચના કરવામાં આવશે. આનાથી બેંકિંગ સેવાઓ વધુ સારી બનશે અને ગ્રાહકોને પહેલા કરતાં વધુ સુવિધાઓનો લાભ મળી શકશે. આ ફેરફાર યુપી, આંધ્રપ્રદેશ, ગુજરાત, એમપી સહિત અન્ય રાજ્યોમાં લાગુ કરી શકાય છે. 

ચોથો ફેરફાર - અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો 

અમુલે દૂધના ભાવમાં વધારો (Amul Milk Price Hike) જાહેર કર્યો છે. અમૂલ દૂધ ઉત્પાદનોના નવા દર આજથી એટલે કે 1 મે 2025 થી અમલમાં આવ્યા છે. અમૂલના જણાવ્યા અનુસાર, દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મધર ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો હતો.  

પાંચમો ફેરફાર - 12 દિવસની બેંક હોલિડે

જો તમારે મે મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો RBI દ્વારા જારી કરાયેલ બેંક હોલિડેની યાદી તપાસ્યા પછી જ ઘરની બહાર નીકળો, ક્યંક એવું ના થાય કે તમે બ્રાંચ પહોંચો અને ત્યાં તાળું લટકેલું જોવો. વાસ્તવમાં, મે મહિનાની બેંક હોલિડે લિસ્ટ મુજબ, વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોને કારણે કુલ 12 દિવસ બેંક બંધ રહેશે. 

તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે જનતાની નજર LPG સિલિન્ડરના ભાવમાં થતા ફેરફાર પર ટકેલી હોય છે, પરંતુ પહેલી મેના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડર અને 19  કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રાખ્યા છે, એટલે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, RBI દ્વારા સતત બે વાર રેપો રેટમાં 0.50% ઘટાડો કર્યા પછી, ઘણી બેંકોએ તેમના FD વ્યાજ દર ઘટાડ્યા હતા અને ઘણી બેંકો મેની શરૂઆતમાં પણ FD વ્યાજ દર ઘટાડી શકે છે. 

About The Author

Top News

મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહી છે. બુધવારે, જ્યારે મેયર રીતુ તાવડે BMCના કામકાજનું...
National 
મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

વેનેઝુએલામાં સતત બે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે દેશના ઉત્તરી કિનારા નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના...
World 
વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.