શું LPG સિલિન્ડર હવે 35 દિવસે બૂક થશે? સરકારે આપ્યો જવાબ

US, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અને તાજેતરમાં ટેન્કરો પર થયેલા હુમલાઓને કારણે, ખાસ કરીને તેલ અને ગેસ સંકટ ઘણા દેશોમાં ચિંતાનું કારણ બન્યું છે. ભારતમાં પણ LPGનું સંકટ જોવા મળી રહ્યું છે, આ દરમિયાન ભારત સરકાર તરફથી પણ ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે, તેની અંદર શહેરોમાં LPG સિલિન્ડર રિફિલ બુક કરવાની સમયમર્યાદા 21 દિવસથી વધારીને 25 દિવસ કરવા સહિતના અનેક મોટા પગલાં લીધા છે.

LPG Cylinder Booking
livehindustan.com

હવે, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે ફરીથી LPG સિલિન્ડર બુકિંગ નિયમોમાં ફેરફાર કરીને 35 દિવસ કર્યા છે. સરકારે એક મોટું નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે, આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

ઘણા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેલ વિતરણ કંપનીઓએ LPG ગેસ બુકિંગ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેનાથી ડ્યુઅલ-સિલિન્ડર વપરાશકર્તાઓ માટે રિફિલિંગની સમયમર્યાદા 25 દિવસથી વધારીને 35 દિવસ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, બીજો LPG સિલિન્ડર 35 દિવસ પછી બુક કરાવી શકાય છે. જોકે, સરકારે હવે પરિસ્થિતિ સ્પષ્ટ કરતુ એક નિવેદન બહાર પાડ્યું છે.

LPG Cylinder Booking
zeenews.india.com

LPG બુકિંગ સંબંધિત અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને ધ્યાનમાં લેતા, સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમાં જણાવાયું છે કે કેટલાક અહેવાલોમાં LPG રિફિલ બુકિંગની સમયમર્યાદામાં ફેરફારનો દાવો કરવામાં આવ્યો છે, જે PMUY કનેક્શન માટે 45 દિવસ, નોન-PMUY સિંગલ-સિલિન્ડર કનેક્શન માટે 25 દિવસ અને નોન-PMUY ડબલ-સિલિન્ડર કનેક્શન માટે 35 દિવસ છે.

સરકારી નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અગાઉ નક્કી કરવામાં આવેલી સમયમર્યાદામાં આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. રિફિલ બુકિંગ માટે વર્તમાન સમયમર્યાદા શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ છે.

LPG Cylinder Booking
zeenews.india.com

આ સાથે લોકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે, કોઈ પણ એવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવા અથવા ફેલાવવા અને LPG સિલિન્ડરોનું ગભરાટમાં આવીને બુકિંગ કરવાથી બચવું. સરકારી નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દેશમાં પૂરતો LPG ભંડાર છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.