શું LPG સિલિન્ડર હવે 35 દિવસે બૂક થશે? સરકારે આપ્યો જવાબ

US, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અને તાજેતરમાં ટેન્કરો પર થયેલા હુમલાઓને કારણે, ખાસ કરીને તેલ અને ગેસ સંકટ ઘણા દેશોમાં ચિંતાનું કારણ બન્યું છે. ભારતમાં પણ LPGનું સંકટ જોવા મળી રહ્યું છે, આ દરમિયાન ભારત સરકાર તરફથી પણ ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે, તેની અંદર શહેરોમાં LPG સિલિન્ડર રિફિલ બુક કરવાની સમયમર્યાદા 21 દિવસથી વધારીને 25 દિવસ કરવા સહિતના અનેક મોટા પગલાં લીધા છે.

LPG Cylinder Booking
livehindustan.com

હવે, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે ફરીથી LPG સિલિન્ડર બુકિંગ નિયમોમાં ફેરફાર કરીને 35 દિવસ કર્યા છે. સરકારે એક મોટું નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે, આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

ઘણા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેલ વિતરણ કંપનીઓએ LPG ગેસ બુકિંગ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેનાથી ડ્યુઅલ-સિલિન્ડર વપરાશકર્તાઓ માટે રિફિલિંગની સમયમર્યાદા 25 દિવસથી વધારીને 35 દિવસ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, બીજો LPG સિલિન્ડર 35 દિવસ પછી બુક કરાવી શકાય છે. જોકે, સરકારે હવે પરિસ્થિતિ સ્પષ્ટ કરતુ એક નિવેદન બહાર પાડ્યું છે.

LPG Cylinder Booking
zeenews.india.com

LPG બુકિંગ સંબંધિત અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને ધ્યાનમાં લેતા, સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમાં જણાવાયું છે કે કેટલાક અહેવાલોમાં LPG રિફિલ બુકિંગની સમયમર્યાદામાં ફેરફારનો દાવો કરવામાં આવ્યો છે, જે PMUY કનેક્શન માટે 45 દિવસ, નોન-PMUY સિંગલ-સિલિન્ડર કનેક્શન માટે 25 દિવસ અને નોન-PMUY ડબલ-સિલિન્ડર કનેક્શન માટે 35 દિવસ છે.

સરકારી નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અગાઉ નક્કી કરવામાં આવેલી સમયમર્યાદામાં આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. રિફિલ બુકિંગ માટે વર્તમાન સમયમર્યાદા શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ છે.

LPG Cylinder Booking
zeenews.india.com

આ સાથે લોકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે, કોઈ પણ એવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવા અથવા ફેલાવવા અને LPG સિલિન્ડરોનું ગભરાટમાં આવીને બુકિંગ કરવાથી બચવું. સરકારી નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દેશમાં પૂરતો LPG ભંડાર છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

About The Author

Top News

યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલું અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યું છે. આ યુદ્ધમાં જાનમાલનું ભારે...
World 
યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

'મા ની તબિયત ખરાબ' આ એક એવું દુઃખ છે, જે કોઈપણ બાળકને, પછી ભલે તે ગમે...
National 
'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

બેંક લિમિટેડની સ્થાપના 16 ઓક્ટોબર 1995ના રોજ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી માત્ર સિલેકશન થતુ હતું પરંતુ પહેલીવાર હવે...
Business  Gujarat 
વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

કેન્દ્રિય લોક સેવા આયોગ (UPSC) દ્વારા લેવાતી પરીક્ષામાં 1-1 ગુણનું ખૂબ મહત્ત્વ હોય છે. UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ...
Gujarat 
UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.