કોઈ સાથે 20,000થી વધુ રોકડ આપ-લેનો વ્યવહાર કરો છો તો ચેતી જજો! IT વિભાગ ઘરે આવશે, જાણો નિયમ

રોકડમાં આપવા લેવાની એક સામાન્ય પ્રથા છે. ખાસ કરીને જો તમારે ઘરે અથવા મિત્રો પાસેથી કોઈને પૈસા આપવાના હોય કે લેવાના હોય, તો લોકો રોકડ આપતા પહેલા વધુ વિચારતા નથી. પરંતુ હવે આમ કરવાથી તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હા, આવકવેરાના નિયમ મુજબ, જો તમે મોટી રકમ રોકડમાં વ્યવહાર કરો છો, તો તમારે તેના પર તેટલો જ દંડ ભરવો પડશે.

IT-Rule,-Cash-Transactions
tv9hindi.com

રોકડ વ્યવહારો વિશે આવકવેરા વિભાગનો નિયમ શું કહે છે? રોકડ વ્યવહારોની મર્યાદા શું છે? કેટલો દંડ વસૂલવામાં આવશે? કરથી બચવા માટે શું કરવું? આ બધા પ્રશ્નોના જવાબો અહીં તમને સરળ ભાષામાં સમજાવી દઈએ...

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 271DD મુજબ, તમે મોટી રકમ રોકડમાં વ્યવહાર કરી શકો નહીં. જો તમે આવું કરો છો, તો તમે શંકાના દાયરામાં આવી શકો છો. એટલું જ નહીં, જો તમે આવું કરતા પકડાશો, તો તમને તેટલી જ રકમનો દંડ થઈ શકે છે, જેટલો તમે રોકડમાં આપવા લેવાનો વ્યવહાર કર્યો છે. કર વિભાગે એક બ્રોશરમાં રોકડ વ્યવહારો ન કરવા અંગે જણાવ્યું છે.

IT-Rule,-Cash-Transactions3
navbharattimes.indiatimes.com

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 269SS હેઠળ, તમે કોઈને પણ 20,000 રૂપિયાથી વધુ રોકડ ન તો આપી શકો છો કે, ન તો તમે લઈ શકો છો. આ નિયમ મિત્રો અને સંબંધીઓ સાથેના વ્યવહારો પર પણ લાગુ પડે છે. જો તમે આ નિયમનું પાલન ન કરો તો, તમને કલમ 271DD હેઠળ દંડ થઈ શકે છે. એટલે કે, જો તમે કોઈને અથવા કોઈની સાથે 25000 રૂપિયાનો વ્યવહાર કરો છો, તો તમારે આવકવેરા વિભાગને તેટલો જ, 25000 રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડશે.

જો તમારે કોઈની સાથે પૈસાનો વ્યવહાર કરવો હોય, તો આ માટે ફક્ત એકાઉન્ટ પેયી ચેક, એકાઉન્ટ પેયી બેંક ડ્રાફ્ટ અથવા NEFT, RTGS, UPI વગેરે જેવા ઇલેક્ટ્રોનિક મોડનો ઉપયોગ કરો.

IT-Rule,-Cash-Transactions1
tv9hindi.com

આ નિયમો આ કિસ્સાઓમાં લાગુ પડતા નથી: કોઈપણ બેંક, પોસ્ટ ઓફિસ બચત બેંક અથવા સહકારી બેંક (પરંતુ બધી સહકારી સંસ્થાઓ નહીં, પછી ભલે તે બેંકિંગ અથવા સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલી હોય કે ન હોય). કોઈ એવું કોર્પોરેશન કે જે કેન્દ્ર, રાજ્ય અથવા પ્રાંતીય કાયદા હેઠળ રચાયેલ હોય. કંપનીઝ એક્ટ, 2013ની કલમ 2(45)માં ઉલ્લેખિત કોઈપણ સરકારી કંપની. કોઈપણ સૂચિત સંસ્થા, સંગઠન અથવા સંસ્થા (અથવા સંસ્થાઓ, સંગઠનો અથવા સંસ્થાઓનો સમૂહ). આ નિયમો ત્યારે પણ લાગુ પડતા નથી, જ્યારે આપનાર અને પ્રાપ્તકર્તા બંને ખેતીમાંથી કમાણી કરી રહ્યા હોય.

કલમ 269ST: આ કલમ હેઠળ, તમે કોઈપણ વ્યક્તિ પાસેથી એક દિવસમાં 2 લાખ રૂપિયાની રોકડ ચુકવણી સ્વીકારી શકતા નથી. આ નિયમ મોટા રોકડ સોદા રોકવા માટે બનાવવામાં આવ્યો છે. આ માટે, ચેક, ડ્રાફ્ટ અથવા ડિજિટલ ચુકવણી મોડનો ઉપયોગ કરો. અન્યથા, તમારે તેટલી જ રકમ દંડ તરીકે ચૂકવવી પડશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.