હવે ટ્રક ચલાવવા માટે ડીઝલની જરૂર નહીં પડે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નવું કારનામું

ભારત સરકાર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ઘણાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. મોટી કંપનીઓને સબસિડી આપી રહી છે. સારી વાત એ છે કે, આ કંપનીઓ પણ સરકારના આદેશનું પાલન કરીને આ દિશામાં કામ કરી રહી છે. દેશની સૌથી મોટી કંપનીમાંથી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ પણ આમાં છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સોમવારે બેંગ્લોરમાં 'ઈન્ડિયા એનર્જી વીક'માં હાઈડ્રોજનથી ચાલતી ટ્રકનું પ્રદર્શન કર્યું હતું. હાઇડ્રોજનને સૌથી સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે અને તે માત્ર પાણી અને ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. અશોક લેલેન્ડ દ્વારા ઉત્પાદિત બે મોટા હાઇડ્રોજન સિલિન્ડર સાથેની આ ટ્રક મુખ્ય સ્થળની બાજુમાં એક હોલમાં રાખવામાં આવી છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

ટ્રકની નજીક એક ડિસ્પ્લે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ દેશની પહેલી ટ્રક છે જે રસ્તા પર H2ICE ટેક્નોલોજી સાથે છે. જ્યારે પરંપરાગત ડીઝલ ઇંધણ અથવા તાજેતરમાં રજૂ કરાયેલા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ના સ્થાને ટ્રકમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે લગભગ શૂન્ય ઉત્સર્જનમાં પરિણમે છે. તે જણાવે છે કે H2ICE વાહનનું પ્રદર્શન ડીઝલ ICE જેવું જ છે. H2 એ હાઇડ્રોજનનું સૂત્ર છે અને ICE એટલે આંતરિક કમ્બશન એન્જિન. ભારત હાઈડ્રોજનના ઉપયોગ માટે વધુને વધુ દબાણ કરી રહ્યું છે. તે વીજળીનો ઉપયોગ કરીને પાણીના વિભાજન દ્વારા ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજનનો ઉપયોગ સ્ટીલ પ્લાન્ટ્સથી લઈને ખાતરના એકમો સુધી દરેક વસ્તુમાં થઈ શકે છે. અહીં તે હાઇડ્રોકાર્બનનું સ્થાન લઈ શકે છે. હાઇડ્રોજનનો ઉપયોગ વાહનના ઇંધણ તરીકે પણ થઈ શકે છે, પરંતુ તેની ઉત્પાદન કિંમત હાલમાં ઘણી ઊંચી છે.

તેમ છતાં, કંપનીઓ હાઇડ્રોજન ઉત્પાદનમાં રોકાણ કરી રહી છે. ગયા મહિને, ગૌતમ અદાણીના જૂથે હાઇડ્રોજન ટ્રક માટેની યોજનાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રૂપે અગાઉ જાહેરાત કરી હતી કે, તે આગામી 10 વર્ષમાં ગ્રીન હાઇડ્રોજન અને સંલગ્ન ઇકોસિસ્ટમમાં 50 બિલિયન ડૉલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. જયારે, રિલાયન્સ ગ્રુપ રિન્યુએબલ પાવર જનરેશન ઉપરાંત સમગ્ર હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં રોકાણ કરી રહ્યું છે. કંપનીને કાર્બન-મુક્ત બનાવવાની યોજનાના ભાગરૂપે રિલાયન્સ ગુજરાતમાં અનેક ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.