આ દાદાને હળવાશથી ન લેતા, તેમની પાસે 101 કરોડ રૂપિયાના શેર છે

શેરબજારમાં રોકાણ કરવું એ નાણાકીય જોખમ છે. શેરમાં પૈસાનું રોકાણ કરવાથી ક્યારેક તમે અમીર બનો છો તો ક્યારેક ગરીબ બની જાઓ છો. દરેક વ્યક્તિ પાસે શેરબજારમાંથી પૈસા કમાવવાની પૂરતી ક્ષમતા હોતી નથી. જો તમારી પાસે યોગ્ય વ્યૂહરચના, યોગ્ય સમયે યોગ્ય શેર પસંદ કરવાની ક્ષમતા અને જોખમ લેવાની હિંમત હોય તો શેરબજાર તમને નફાકારક બનાવી શકે છે. તમે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા, રાધાકિશન દામાણી, ડોલી ખન્ના અને રામદેવ અગ્રવાલ જેવા લોકોના નામ તો સાંભળ્યા હશે, પરંતુ આજે શેરબજારના એવા માણસને મળો કે જેઓ બહારથી સામાન્ય જીવન જીવે છે અને 100 કરોડ રૂપિયાથી વધુના શેર ધરાવે છે.

તમે શેરબજારમાંથી મળતાં બમ્પર વળતર વિશે ઘણું સાંભળ્યું હશે. જો કે, આમાં પણ ઘણું જોખમ હોય છે. બજારમાં આવા ઘણા શેરો છે જેણે પોતાના શેરધારકોને અમીરોની યાદીમાં સામેલ કર્યા છે. પરંતુ તેમની વચ્ચે એવા ઘણા લોકો છે, જેમની પાસે અઢળક પૈસા છે પરંતુ તેમની સાદગીથી તેમની સમૃદ્ધિ જાણી શકાતી નથી. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ એવો દાવો કરતો જોવા મળી રહ્યો છે કે, તેની પાસે 101 કરોડ રૂપિયાના શેર છે. આટલા પૈસા હોવા છતાં લોકોને વૃદ્ધનો સાદો વ્યવહાર પસંદ આવી રહ્યો છે.

આ વિડિયો 'X' (અગાઉ ટ્વિટર) યુઝર રાજીવ મહેતા દ્વારા એક પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેણે પોતાની હેડિંગ્સમાં ખુલાસો કર્યો છે. રાજીવ મહેતા, જેમણે ટ્વિટર પર વિડિયો શેર કર્યો, તેણે કહ્યું, કહેવત છે કે, રોકાણ કરવામાં, તમારે એકવાર નસીબદાર તો થવું જ પડશે. તેમની પાસે રૂ. 80 કરોડના L&Tના શેર, રૂ. 21 કરોડના મૂલ્યના અલ્ટ્રાટેક સિમેન્ટના શેર, રૂ. 1 કરોડના મૂલ્યના કર્ણાટક બેન્કના શેર છે. જોકે, KHABARCHHE.COM ડિજિટલ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

શેર કરવામાં આવેલા વીડિયોને ટ્વિટર પર અત્યાર સુધી 13 લાખ વખત જોવામાં આવ્યો છે, જેના પર સેંકડો કોમેન્ટ આવી રહી છે. પોસ્ટ પર ટિપ્પણી કરતા, કેપિટલ માઇન્ડના સ્થાપક અને CEO દીપક શેનોયએ જણાવ્યું હતું કે, 27,000 L&T શેરનું કુલ મૂલ્ય આશરે રૂ. 8 કરોડ છે, જ્યારે અલ્ટ્રાટેકના શેરની કિંમત આશરે રૂ. 3.2 કરોડ હશે અને કર્ણાટક બેન્કના શેરની કિંમત આશરે રૂ.10 લાખ થશે.

અહીં તમારે એક વાત યાદ રાખવા જેવી છે કે, શેરબજારમાં રોકાણ નાણાકીય જોખમોને આધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નિષ્ણાતો પાસેથી સંપૂર્ણ માહિતી અને અભિપ્રાય લો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.