ઈલેક્શન ઈફેક્ટ : ખેડૂતો હવે તત્કાલ યોજના હેઠળ વીજ જોડાણ મેળવી શકશે

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં કૃષિ વિષયક વીજ માંગ સંતોષવા અને ખેડૂતોને ખેતી માટે પુરતા પ્રમાણમાં વીજળી મળે તેવા કિસાન કલ્યાણલક્ષી ધ્યેય સાથે અનેકવિધ પગલાં ભર્યા છે. રાજ્યમાં અગ્રતાક્રમે નવીન ખેતી વિષયક વીજ જોડાણો આપવા માટે રાજ્ય સરકારે તત્કાલ યોજના અમલમાં મુકી હતી.

રાજ્યના ખેડૂતો સામાન્ય યોજના હેઠળ નોંધાયેલી તેમની અરજીને તત્કાલ યોજના અંતર્ગત રૂ. 500 ભરીને તે અરજીને તત્કાલમાં તબદીલ કરી શકતા હતા. પરંતુ તે યોજનામાં જે ખેડૂતોએ તા. 31/12/2014 સુધીમાં સામાન્ય યોજના હેઠળ અરજી નોંધણી કરાવેલ હોય તેવા ખેડૂતો જ યોજનાનો લાભ લઈ શકતા હતા. આથી ત્યાર પછી જે ખેડૂતોએ સામાન્ય યોજના હેઠળ નવીન ખેતી વિષયક વીજ જોડાણ માટે અરજી નોંધણી કરાવેલ હોય તેવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે રાજ્ય સરકારે આ તારીખ લંબાવીને તા. 31/03/2016 કરવામાં આવેલ છે. જેથી હવે વધુ ખેડૂતો તત્કાલ યોજના હેઠળ અગ્રિમતાના ધોરણે ઝડપથી કૃષિ વિષયક વીજ જોડાણ મેળવી શકશે.

ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે,  રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી સઘન આયોજન કરીને છેલ્લા ચાર વર્ષથી વાર્ષિક સરેરાશ એક લાખ ખેડૂતોને વીજ જોડાણ આપ્યા છે. તે મુજબ વર્ષ 2012-13માં 97,459 કૃષિ વીજ જોડાણો, વર્ષ 2013-14માં 95,312 કૃષિ વીજ જોડાણો 2014-15માં 1,00,250 અને 2015-16માં 1,09,317 કૃષિ વીજ જોડાણો મળી ચાર વર્ષમાં ખેડૂતોને કુલ 4,02,338 કૃષિ વીજ જોડાણો આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે પણ એક લાખ ખેડૂતોને વીજ જોડાણ આપવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ પણ ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું.

Related Posts

Top News

યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્ય પોલીસ દળમાં અનેક જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. CM ...
National 
યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

બેસ્ટ સેલિંગ પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક અને પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર નવી...
Business 
'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે, પરંતુ...
Politics 
સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

RCBનું ચેમ્પિયન બનવાનું નક્કી? આ 3 ફેક્ટર PBKSની અપેક્ષાઓ પર પાણી ફેરવી શકે છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (...
Sports 
RCBનું ચેમ્પિયન બનવાનું નક્કી? આ 3 ફેક્ટર PBKSની અપેક્ષાઓ પર પાણી ફેરવી શકે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.