RBI ગવર્નરે અદાણી પર કહી આવી વાત, સાંભળ્યા પછી તમારું ટેન્શન પણ ઓછું થશે

બુધવારે RBI દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવતા આગામી સમયમાં ફુગાવો વધુ નીચે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ અદાણી ગ્રુપના કેટલાક શેરમાં બુધવારે સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તેનાથી રોકાણકારો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. અગાઉ SBI, એક્સિસ બેંક અને અન્ય બેંકો તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે, અદાણી ગ્રુપને કેટલી લોન આપવામાં આવી છે. હવે અદાણી ગ્રૂપ કેસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે દેશની બેંકો એટલી મોટી અને મજબૂત છે કે, તેઓ આવા કેસથી પ્રભાવિત થશે નહીં.

અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને ધ્યાનમાં રાખીને બેંકો દ્વારા અદાણી ગ્રુપની કંપનીઓને આપવામાં આવેલી લોનને લઈને વિવિધ વિભાગોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ બાદ ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જો કે છેલ્લા બે દિવસથી ગ્રુપના સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રૂપ સાથે સંબંધિત એક પ્રશ્નના જવાબમાં દાસે કહ્યું કે, RBIએ પોતાનું મૂલ્યાંકન કર્યું અને શુક્રવારે એક નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશની બેંકો મજબૂત છે.

અદાણી ગ્રુપનો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યું કે, 'આજના સમયમાં ભારતીય બેંકોનું કદ, તેમની ક્ષમતા ઘણી મજબૂત છે. તેમની ક્ષમતા એવી છે કે તેઓ આવા મામલાઓથી પ્રભાવિત થવાના નથી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું વર્તમાન પરિસ્થિતિમાં, RBI અદાણી જૂથની કંપનીઓને આપવામાં આવેલી લોન અંગે સ્થાનિક બેંકોને કોઈ માર્ગદર્શિકા બહાર પાડશે. મોનેટરી પોલિસી કમિટીની જાહેરાત પછી, દાસે કહ્યું કે, ધિરાણ કરતી વખતે, બેંકો સંબંધિત કંપનીના ફંડામેન્ટલ્સ અને સંબંધિત પ્રોજેક્ટ્સના રોકડ પ્રવાહની સ્થિતિને જુએ છે. દાસે એ પણ સ્પષ્ટ કર્યું કે, દેવાના મામલામાં કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે કોઈ લેવાદેવા નથી.

RBIના ડેપ્યુટી ગવર્નર MK જૈને કહ્યું કે, સ્થાનિક બેંકો દ્વારા અદાણી જૂથને આપવામાં આવેલી લોન બહુ વધારે નથી. શેર સામે આપવામાં આવેલી લોન ઘણી ઓછી છે. દાસે કહ્યું કે, સમય પસાર થવા સાથે બેંકોની મૂલ્યાંકન પ્રણાલીમાં ઘણો સુધારો થયો છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં RBIએ બેંકોને મજબૂત કરવા માટે અનેક પગલા લીધા છે. સ્ટીયરીંગ, ઓડિટ કમિટીઓ અને રિસ્ક મેનેજમેન્ટ કમિટીઓ અંગે સમયાંતરે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. બેંકો માટે ચીફ રિસ્ક ઓફિસર્સ અને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર્સની નિમણૂક કરવી ફરજિયાત કરવામાં આવી છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.