પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

વેદાંતા ગ્રુપના સંસ્થાપક અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં નિધન થઈ ગયું. પુત્રના નિધન બાદ અનિલ અગ્રવાલે સંપત્તિનો 75 ટકા કરતા વધુ હિસ્સો સમાજ માટે દાન કરવાના પોતાના વચનનું પુનરાવર્તન કર્યું છે.

Anil-Agarwal2
business-standard.com

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક સંદેશમાં લખ્યું કે, ‘અમે મળીને એક સપનું જોયું હતું કે કોઈ બાળક ભૂખ્યું ન ઊંઘે, કોઈ બાળકને શિક્ષણથી વંચિત ન રાખવામાં આવે, દરેક મહિલા પોતાના પગ પર ઊભી રહે અને દરેક યુવા ભારતીય પાસે સાર્થક કામ હોય. મેં અગ્નિને વચન આપ્યું હતું કે આપણે જે કમાઈશું, તેનો 75 ટકાથી વધુ હિસ્સો સમાજને પાછો આપીશું. હું આજે એ વચનનું પુનરાવર્તન કરું છુ અને પોતાને સાદગીવાળા જીવનમાં રાખવાનો સંકલ્પ લઉં છુ. તેમના પુત્રનો વારસો એ લોકોના જીવનના માધ્યમથી જીવિત રહેશે, જેમને તેને સ્પર્શ કર્યો હતો.

અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આજે મારી જિંદગીનો સૌથી દુઃખદ દિવસ છે. મારો વહાલો દિકારો, અગ્નિવેશ, અમને ખૂબ જ જલદી છોડીને જતો રહ્યો. તે માત્ર 49 વર્ષનો હતો. સ્વાસ્થ્ય હતો, જિંદગી અને સપનાઓથી ભરાયેલો હતો. અમેરિકામાં સ્કીઇંગ દુર્ઘટના બાદ તે ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારો થઈ રહ્યો હતો. અમને લાગ્યું હતું કે સૌથી ખરાબ સમય વીતી જશે, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક આવેલા હાર્ટએટેકે અમારા પુત્રને અમારા પુત્રને છીનવી લીધો.'

તેમણે પોસ્ટમાં આગળ કહ્યું કે, 'પોતાના બાળકને વિદાય આપનારા માતા-પિતાની પીડાનું કોઈ શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. પુત્રએ પોતાના પિતા અગાઉ ન જવું જોઈએ. હું અને કિરણ તૂટી ગયા છીએ. બસ એટલું જ વિચારી રહ્યા છીએ કે અમારો પુત્ર તો જતો રહ્યો, પરંતુ જે લોકો અમારા વેદાંતામાં કામ કરે છે એ બધા અગ્નિવેશ જ તો છે. એ બધા અમારા પુત્ર-પુત્રીઓ છે. અગ્નિવેશે મેયો કોલેજ, અજમેરમાં અભ્યાસ કર્યો. તેની ખૂબ જ સ્ટ્રોંગ પર્સનાલિટી હતી. તે બોક્સિંગ ચેમ્પિયન, હોર્સ રાઇડિંગના શોખીન અને શાનદાર મ્યુઝિશિયન હતો. અગ્નિવેશે Fujairah ગોલ્ડ જેવી શાનદાર કંપની ઊભી કરી. તેઓ હિંદુસ્તાન ઝિંકના ચેરમેન પણ રહી ચૂક્યા હતા.'

RTO-Sona-Chandel1
divyahimachal.com

49 વર્ષીય અગ્નિવેશ વેદાંતા ગ્રુપની કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL)ના ડિરેક્ટર મંડળમાં સામેલ હતા. તેઓ અમેરિકામાં સ્કીઇંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને ઉપચાર વચ્ચે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું હતું. અનિલ અગ્રવાલના 2 બાળકોમાં દિવંગત પુત્ર અગ્નિવેશ ઉપરાંત પુત્રી પિયાનો સમાવેશ થાય છે. પ્રિયા વેદાંતના ડિરેક્ટર મંડળમાં છે અને હિંદુસ્તાન ઝિંક લિમિટેડના ચેરપર્સન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિવેશના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘અગ્નિવેશ અગ્રવાલનું અકાળે નિધન ખૂબ જ ચોંકાવનારું અને અત્યંત દુઃખદ છે. હું પ્રાર્થના કરું છુ કે તમને અને તમારા પરિવારને આ મુશ્કેલ સમયમાં દુઃખ સહન કરવાની નિરંતર શક્તિ અને સાહસ મળે. ઓમ શાંતિ

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.