હિંડનબર્ગ-અદાણી કેસ: સુપ્રીમ કોર્ટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટી નીમી, સેબીને પણ...

લગભગ એક મહિનો અને એક સપ્તાહ પછી આખરે સુપ્રીમ કોર્ટે અદાણી કેસની તપાસ કરવા માટે નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ 6 સભ્યોની કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે, ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે અને સાથે કહ્યું છે કે સત્યની જીત થશે.

અદાણી- હિંડનબર્ગ કેસની તપાસ માટે આખરે સુપ્રીમ કોર્ટે  એકસ્પર્ટ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્રારા બનાવવામાં આવેલી આ કમિટીની અધ્યક્ષતા નિવૃત ન્યાયાધીશ એ એમ સપ્રે કરશે. એટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટે  SEBIને પણ 2 મહિનાની અંદર તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ માટે 6 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિમાં નિવૃત્ત જસ્ટિસ એએમ સપ્રે ઉપરાંત ઓપી ભટ્ટ, જસ્ટિસ કેપી દેવદત્ત, કે.વી.કામત, ઇન્ફોસીસના માજી ચેરમેન નંદન નીલકેણી, સોમશેખર સુંદરેસનનો સમાવેશ થાય છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું કે અદાણી ગ્રુપ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. સત્યની જીત થશે.

અમેરિકન ફર્મ હિંડનબર્ગે તાજેતરમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે આ આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ રિપોર્ટમાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમા અદાણી કેસમાં કમિટી બનાવવા માટે સરકાર તરફથી બંધ કવરમાં કમિટી સભ્યોના નામ મોકલવામાં આવ્યા હતા. જેને સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો હતો. કોર્ટે તે વખતે કહ્યુ હતું કે તપાસ કરવા માટેની કમિટીની રચના અમે કરીશું.

હિંડનબર્ગ રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજદારોએ હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી છે. 17 ફેબ્રુઆરીએ, CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.