GST કાઉન્સીલના નિર્ણયથી આ શેર 22 ટકા તુટ્યો, પણ, નજારાના શેરમાં ઝડપી રિકવરી આવી

GST કાઉન્સિલે ઑનલાઇન ગેમિંગ પર 28 ટકા GST નાંખ્યો છે.. તેના કારણે લિસ્ટેડ ગેમિંગ કંપનીઓના શેરમાં લગભગ 28 ટકાનો ઘટાડો થયો હતો. જો કે, નઝારા ટેકનો શેર, જે ઇન્ટ્રા-ડે 14 ટકાથી વધુ ઘટ્યો હતો, તે હવે માત્ર 4 ટકા નીચે છે. જાણો શા માટે આ શેરમાં  રિકવરી દેખાઈ રહી છે અને કઈ કંપનીનું માર્કેટ કેપ તુટી ગયું છે. જો કે, જે શેરમાં 28 ટકા તુટ્યા હતા, તેમાં રિકવરી આવી હતી અને છેલ્લે 22 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

GST કાઉન્સિલે ઑનલાઇન ગેમિંગ પર 28 ટકા GST નાંખવાનો નિર્ણય કર્યો છે. નઝારા ટેક આ અંગે બેફિકર દેખાઇ રહી હતી. પરંતુ તેની બેફિકરાઇ રોકાણકારોને સંપૂર્ણ રીતે આશ્વાસન આપવામાં નિષ્ફળ ગઈ હતી અને આજે તેના શેર 14 ટકાથી વધુ ઘટી ગયા હતા. જો કે કારોબાર આગળ વધતા ભાવમાં થોડી રિકવરી જોવા મળી હતી, પરંતુ હજુ પણ તેમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

નજારાનો શેર હાલમાં BSE પર રૂ. 680.90  પર ટ્રેડ થઈ રહ્યો છે, જે 3.62 ટકા ઘટ્યો છે.. નઝારા સિવાય બીજી ગેમિંગ કંપની ડેલ્ટા કોર્પ વિશે વાત કરીએ તો તેની હાલત એકદમ ખરાબ છે. આ શેર ધડામ કરીને 28 ટકા તુટીને 178.20 પર આવી ગયો. એ પછી ભાવમાં થોડી રિકવરી થઇ અને ડેલ્ટા કોર્પ 22.71 ટકાના ઘટાડા સાથે 190.75 પર બંધ રહ્યો છે.

ડેલ્ટા કોર્પની તુલનામાં, નજારાએ ઇન્ટ્રા-ડેના નીચા સ્તરેથી ઝડપી રિકવરી દર્શાવી હતી. આનું કારણ એ છે કે નજારાના કહેવા મુજબ ઓનલાઈન ગેમિંગ પર નાંખવામાં આવેલા 28 ટકા GST, તેની આવક પર ઓછી અસર કરશે. નઝારા ટેક કહે છે કે એકવાર આ નિયમ લાગુ થઈ જાય પછી, માત્ર તેના કૌશલ્ય આધારિત રિયલ મની ગેમિંગ સેગમેન્ટ પર 28 ટકા ટેક્સ લાગશે અને આ સેગમેન્ટ તેની આવકમાં લગભગ 5.2 ટકા હિસ્સો ધરાવે છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અર્ન્સ્ટએંડ યંગ (EY)ના એક સંયુક્ત રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ 2022માં ઓનલાઇન ગેમિંગ કંપનીઓઅ 13,500 કરોડ રૂપિયાની રેવેન્યૂ હાંસલ કરી છે. હવે એવો અંદાજ છે કે ઓનલાઇન ગેમિંગ કંપનીઓની આવક વર્ષ 2023માં 16,700 કરોડ રૂપિયા અને વર્ષ 2025માં 23,100 કરોડ રૂપિયા પર પહોંચી શકે છે. જો કે હવે ઓનલાઇન ગેમ પર 28 ટકા  GST લાગવાના કારણે ગેમિંગ કંપનીઓ ચિંતામાં મુકાઇ ગઇ છે.કારણકે નવા કાયદા હેઠળ યૂઝર્સ જે પૈસા ભરશે, તેની પુરી વેલ્યુ પર 28 ટકા ટેક્સ લાગશે.

ઓવ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશનના CEO રોલેન્ડ લેડર્સે GST કાઉન્સીલના નિર્ણયને ગેરબંધારણીય, અટપટો અને ગરબડ વાળો કહ્યો છે

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.