'ટ્રમ્પ ગમે તે કહે કે કરે... ભારતે ઝૂકવાનું નથી', GTRIએ બતાવ્યું કોણ સાચું છે અને કોણ ખોટું છે?

ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને ફરી એકવાર તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે. ભારત પર ઊંચી આયાત જકાત લાદવાનો આરોપ લગાવતા, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને 'ટેરિફ કિંગ' પણ કહી દીધો, પરંતુ બીજી તરફ, ભારતીય થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)એ સ્પષ્ટપણે કહ્યું છે કે, ભારતના આયાત શુલ્ક સંપૂર્ણપણે વૈશ્વિક વેપાર નિયમો અનુસાર છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે અમેરિકન સરકાર સમક્ષ પોતાનો મુદ્દો મજબૂતીથી રજૂ કરવો જોઈએ, કારણ કે ભારતના ટેરિફ વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOના નિયમો હેઠળ છે. 1995માં, અમેરિકા સહિત તમામ દેશો દ્વારા WTO કરારને બહાલી આપવામાં આવી હતી. 1995માં જ્યારે WTOની રચના થઈ, ત્યારે વિકસિત દેશોએ વિકાસશીલ દેશોને ઉચ્ચ ટેરિફ મુક્તિ આપી.

India US Trade
m.punjabkesari.in

બદલામાં, ભારત જેવા દેશોએ બૌદ્ધિક સંપદા અધિકારો અને કૃષિ નિયમો પર કરાર કર્યા હતા. આમ છતાં, ટ્રમ્પે ભારતને ટેરિફનો દુરુપયોગ કરનાર ગણાવ્યું છે. GTRIએ કહ્યું કે, આ નિયમોથી મોટાભાગે સમૃદ્ધ દેશોને ફાયદો થયો છે અને ટ્રમ્પ આ હકીકતને અવગણી રહ્યા છે.

હવે વર્તમાન પરિસ્થિતિમાં, અમેરિકા ભારત પાસેથી મુક્ત વેપાર કરાર એટલે કે FTAની માંગ કરી શકે છે. આ અંતર્ગત, સરકારી ખરીદી, ડેટા નિયમો અને કૃષિ સબસિડીમાં ફેરફારની શરતો હોઈ શકે છે. ભારત દાયકાઓથી આ માંગણીઓનો વિરોધ કરી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા સાથે FTAની વાટાઘાટો સરળ નહીં હોય. અમેરિકા ઇચ્છે છે કે, ભારત તેની સરકારી ખરીદી અમેરિકન કંપનીઓ માટે ખોલે. કૃષિ સબસિડી ઘટાડે અને ડેટા નિયમો હળવા કરે.

પરંતુ ભારત હજુ આ માટે તૈયાર નથી. વધુમાં, અમેરિકામાં ભારતીય નિકાસમાં સ્થાનિક મૂલ્યવર્ધન ઓછું છે, જેમાં આઇફોન, સોલાર પેનલ્સ, હીરા અને પેટ્રોકેમિકલ્સનો સ્થાનિક ફાળો ઓછો છે, અને અમેરિકા ભારત પર ઊંચા ટેરિફ સાથે પ્રતિક્રિયા આપી શકે છે.

India US Trade
indiatodayhindi.com

GTRI સૂચવે છે કે ભારત પાસે બે વિકલ્પો છે: પ્રથમ-મોટાભાગના ઔદ્યોગિક માલ પર અમેરિકાને માટે શૂન્ય ટેરિફ ઓફર કરો અને બીજું-બદલો લીધા વિના નવા US ટેરિફનો સ્વીકાર કરો.

પરંતુ FTA પર વાટાઘાટોને સૌથી ખરાબ વિકલ્પ તરીકે વર્ણવવામાં આવી છે. અહેવાલ મુજબ, વાટાઘાટોમાં સમય લાગશે અને ત્યાં સુધીમાં ટ્રમ્પ ટેરિફ વધારી શકે છે, જેનાથી સોદો નકામો બની જશે. આવી સ્થિતિમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવવી પડશે. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વેપાર સંતુલન પર અસર પડી શકે છે.

જોકે, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પારસ્પરિક ટેરિફની ભારત પર ઓછી અસર પડશે કારણ કે વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો ખૂબ ઓછો છે. હાલમાં, ભારત દ્વારા અમેરિકા પર લાદવામાં આવેલ ટેરિફ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ ટેરિફ કરતા 6.5 ટકા વધારે છે. આ તફાવત ખાસ કરીને ખાદ્ય પદાર્થો, પગરખાં, કપડાં, વાહનો અને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓમાં મોટો છે. ICICI સિક્યોરિટીઝના એક અહેવાલમાં જણાવાયું છે કે, અમેરિકા 3.3 ટ્રિલિયન ડૉલરના મૂલ્યના માલની આયાત કરે છે, તેથી ઊંચા ટેરિફનો સૌથી વધુ ભોગ અમેરિકન ગ્રાહકો બનશે. જો ટેરિફ 5 ટકા વધે તો ભારતની નિકાસને 6-7 અબજ ડૉલરની અસર થઈ શકે છે. પરંતુ જો અમેરિકા ભારત સિવાય અન્ય દેશો પર વધુ ટેરિફ લાદે છે, તો ભારતને પણ ફાયદો થઈ શકે છે.

India US Trade
jagran.com

ભારતમાં દર વર્ષે લગભગ 40 લાખ પેસેન્જર વાહનો વેચાય છે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી કંપનીઓ ટેરિફ દૂર કરવાની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે, આનાથી સ્થાનિક ઉત્પાદનને નુકસાન થશે અને સસ્તા વિદેશી ઇલેક્ટ્રિક વાહનો બજારમાં પ્રભુત્વ મેળવશે. સરકારે ગયા મહિને ઓટોમેકર્સ સાથે વાતચીત કરી હતી અને ધીમે ધીમે ટેરિફ ઘટાડવા સંમત થયા હતા પરંતુ તેને સંપૂર્ણપણે દૂર કરવાનો ઇનકાર કર્યો હતો.

બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 બિલિયન ડૉલર સુધી લઈ જવા માંગે છે. ગયા મહિને ટ્રમ્પ અને PM મોદી વચ્ચે થયેલી મુલાકાત પછી, ટેરિફ વિવાદનો ઉકેલ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં, ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અમેરિકામાં વાટાઘાટો કરી રહ્યા છે. આ વર્ષે બંને દેશો વચ્ચે થનારા વેપાર કરાર અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન, ટેસ્લાએ ભારતમાં તેના પ્રથમ શોરૂમ પર હસ્તાક્ષર કર્યા છે અને દેશના વિવિધ શહેરોમાં ભરતી પણ શરૂ કરી દીધી છે. સરકારે કેટલીક લક્ઝરી કાર પરના ટેરિફમાં પણ ઘટાડો કર્યો છે. પરંતુ મોટા ફેરફારો થવામાં સમય લાગવાની અપેક્ષા છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.