50 કરોડમાં બનેલો પુલ 5 વર્ષમાં ખખડધજ, તોડી પડાશે હાટકેશ્વર બ્રિજ, જવાબદાર કોણ?

અમદાવાદમાં બ્રિજ ઓફ કરપ્શનના નામથી પ્રખ્યાત હાટકેશ્વર બ્રિજને ધ્વસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજના ઉપરના હિસ્સાના બધા સ્પાન (સ્લેબ) તોડવામાં આવશે. ઇતિહાસમાં પહેલી વખત કોઈ સ્ટેન્ડિંગ બ્રિજને તોડવામાં આવશે. આ પુલના નિર્માણમાં અનિયમિતતા કરનારા જવાબદાર 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના વિવાદાસ્પદ હટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ પુલને ધ્વસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાટકેશ્વર ફ્લાઇઓવર બ્રિજ છેલ્લા 9 મહિનાથી બંધ છે. તપાસના નામ પર અત્યાર સુધી 4 એજન્સીઓનો રિપોર્ટ આવી ચૂક્યો છે. બધાના રિપોર્ટમાં ખરાબ મટિરિયલનો ખુલાસો થયો છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર અધિકારીઓ અને નિર્માણ કરનારી એજન્સી પર કાર્યવાહી કરવાને બદલે તપાસ પર તપાસ કરાવી રહી છે. ક્યારેક સ્લેબની તપાસ થાય છે તો ક્યારેક પિલરની તપાસ થઈ રહી છે. દાવો કરવામાં આવ્યો હતો કે આ બ્રિજ 50 વર્ષ સુધી ચાલશે, પરંતુ એ 5 વર્ષ પણ સારી રીતે ન ચાલી શક્યો.

પુલનું નિરીક્ષણ સરકાર સાથે સાથે જ ખાનગી એજન્સીઓ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. IIT રુડકીએ આ પુલની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું અને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવાની ભલામણ કરી. જો કે, આ પુલ છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત સ્થિતિમાં છે એટલે સ્થાનિક લોકોએ સિસ્ટમને વારંવાર જોખમ બાબતે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. હાટકેશ્વર પુલની ગુણવત્તા પર શંકા વ્યક્ત કરતા કમિશનરે 3 સભ્યોની કમિટીને તપાસ માટે આદેશ આપ્યા. કમિટીએ તપાસ કરીને રિપોર્ટ કમિશનરને સોંપ્યો છે. જો કે, આ પુલની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે અને આ લોકો માટે ખતરનાક હોવાનું જાણવા મળ્યું છે એટલે તેને ધ્વસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસને જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજની એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આવ્યો છે, તે મુજબ મૂળ કારણ બ્રિજની ક્વોલિટી નબળી હતી. અમે તમામ ટેસ્ટ કરાવ્યા હતા. હવે 4 પ્રકારના કામ થશે. કોન્ટ્રાક્ટર અને PMC કંપની બંને સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 4 એન્જિનિયરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. બ્રિજના મુખ્ય બે 42 મીટરના સ્પાન તોડવાની ભલામણ હોવાથી સુપર સ્ટ્રક્ચર તોડવામાં આવશે.

એ સિવાય નીચેના પિલ્લરની પણ ક્વોલિટી શંકાસ્પદ છે. બ્રિજ તોડવા અને નવો બનાવવાનો ખર્ચ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ભોગવવાનો રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને PMC કંપની SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ખોખરા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નિવૃત્ત થયેલા અધિકારીઓને આજે ચાર્જશીટ આપવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.