ફોન સાબરમતીમાં ફેંકી દેનાર અમદાવાદમાં આસિ. ઇન્કમટેક્સ કમિશનરની ધરપકડ

કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ સોમવારે અમદાવાદમાં મોટી કાર્યવાહી કરતા એક ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીની ધરપકડ કરી છે. CBIએ 3 લાખ રૂપિયાની લાંચ લેવા સાથે જોડાયેલા કેસમાં ચાલી રહેલી તપાસમાં ઇનકમ ટેક્સ અમદાવાદના પૂર્વ સહાયક કમિશનરની ધરપકડ કરી છે. રિપોર્ટ્સ મુજબ, એજન્સી દ્વારા ધરપકડ કરાયેલા આરોપી વિવેક જોહરી ઇનકમ ટેક્સ વિભાગમાં સહાયક ઇનકમ ટેક્સ કમિશનર પદ પર તૈનાત હતો. CBIએ અધિકારીની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી હતી.

CBIના એક અધિકારીએ જણાવ્યું કે, તાત્કાલિન સહાયક ઇનકમ ટેક્સ કમિશનરે ગુજરાત રાજ્યના એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા 4 ઓકટોબર 2022ના રોજ છેતરપિંડીની કાર્યવાહી દરમિયાન હોબાળો કરીને મદદ કરીને એ સમયે એડિશનલ કમિશનરને તેમના કાર્યાલયથી ભાગવામાં મદદ કરી હતી. તેની સાથે જ તાત્કાલિક એડિશનલ ઇનકમ ટેક્સ કમિશનર (સેન્ટ્રલ રેન્જ-I), અમદાવાદે રાજ્ય ACBની પકડથી બચવા અગાઉ ઉપરોક્ત સહાયક કમિશનરને 2 મોબાઈલ હેન્ડસેટ સોંપ્યા હતા, જેને તેને સાબરમતી નટીમાં ફેકીને બરબાદ કરી દીધા હતા.

જો કે, CBIએ મરજીવાઓ અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાંથી બંને મોબાઈલ જપ્ત કરી લીધા હતા. ધરપકડ બાદ આરોપીને CBIની વિશેષ કોર્ટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આસિસ્ટન્ટ કમિશ્નરની ધરપકડ સંદર્ભે CBIએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે અને આ મામલે જાણકારી આપતા કહ્યું કે, તેમણે બે ફોન પણ રિકવર કર્યા છે. આ સમગ્ર મામલે હવે આગામી દિવસોમાં અન્ય લોકોની સંડવણી હશે તો પણ બહાર આવી શકે છે તેમજ મોબાઇલની અંદર જે ડેટા છે, તે રિકવર કરવા માટે FSLની મદદ લેવામાં આવશે અને ત્યારબાદ જ આ સમગ્ર રેકેટમાં શું બહાર આવે છે? તે સ્પષ્ટ થશે.

તો બીજી તરફ CBIએ શાળાઓમાં કથિત રૂપે ગેરકાયદેસર ભરતીઓના કેસની તપાસના સિલસિલામાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવણ કૃષ્ણ સાહાની સોમવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. CBI અધિકારી પશ્ચિમ બંગાળની સરકારી અને સહાયતા પ્રાપ્ત શાળાઓમાં કથિત રૂપે ગેરકાયદેસર ભરતીઓ સાથે જોડાયેલા કેસમાં બુરવાન મતવિસ્તારના ધારાસભ્યની 14 એપ્રિલથી પૂછપરછ કરવામાં આવી રહી હતી.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.