અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન, જાણીતા બિઝનેસમેન પર ITના દરોડા

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘણા સમય બાદ અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદના જાણીતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ પર ઇનકમ ટેક્સના દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા પડ્યા છે.

અમદાવાદ ઇનકમ ટેક્સ દ્વારા જે કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે તેના મલિક કમલેશ પટેલ છે અને તે ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓમાંની એક છે. 

અમદાવાદ ઇનકમ ટેક્સ વિભાગ આજે સક્રિય થતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના વિવિધ સ્થળો પર ઇનકમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી મળતા સમાચાર મુજબ લગભગ 35 થી 40 ઠેકાણા પર ITએ રેડ પડી છે. અમદાવાદમાં આવેલી ઓફિસ, હિંમતનગરમાં આવેલી ફેક્ટરી તેમજ અમદાવાદમાં રહેતા તેના ભાગીદારો પર પણ ઇનકમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે.

અમદાવાદ ITનું આ મેગા ઓપરેશન છે પ્રાપ્ત સમાચાર મુજબ દરોડામાં ગુજરાત બહાર પણ ઇનકમ ટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસના મોટા કાફલા સાથે અને IT વિભાગના 200 અધિકારો દરોડાની કાર્યવાહી કરી રહી છે. મોરબીમાં આવેલી જોઈન્ટ વેન્ચરમાં પર દરોડો પાડવામાં આવ્યો છે. કમલેશ પટેલ, કાલિદાસ પટેલ, સુરેશ પટેલ, મુકેશ પટેલના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

About The Author

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.