અમદાવાદીઓ માટે શિરડી જવું બનશે સરળ, ફ્લાઈટ થશે શરૂ, જાણો કેટલું હશે ભાડું

અમદાવાદથી શિરડી જવું ભાવી ભક્તો માટે સરળ બનશે. અમદાવાદથી નાસિકની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. 3 હજાર ભાડામાં લોકો આ મુસાફરી કરી શકશે. ગુજરાતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિરડી જતા હોય છે. માર્ચ આસપાસના સમયગાળામાં આ ફ્લાઈટ શરુ કરવામાં આવશે. ફ્લાઈટ શરૂ થવાથી શિરડી સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગો કે રોડ-વે શોધવાથી મુક્તિ મળશે અને સમયની પણ બચત થશે. અમદાવાદથી અલાયન્સ એરની ફ્લાઈટ થોડા સમય પહેલા જ બંધ કરી દેવામાં આવી છે પરંતુ આ સુવિધાથી લોકો માટે મુસાફરી સરળ બનશે.

આ ફ્લાઈટ માટે અત્યારથી જ બુકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. માર્ચથી શરૂ થતા ઉનાળાના શિડ્યુલમાં અમદાવાદથી નાસિકનીવચ્ચે આ સુવિધા માટે એરલાઈન્સ સિસ્ટમ પર બુકિંગ લોકો કરાવી શકે છે. એરલાઇન કંપનીઓ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા રૂટ પર ફ્લાઇટ્સ શરૂ કરી રહી છે. અગાઉ ટૂંકા ગાળા માટે સંચાલન કર્યા પછી કેટલીક ફ્લાઇટ્સ બંધ કરવાની ફરજ પડી હતી. હવે અમદાવાદથી નાસિક ફ્લાઈટ શરુ થતા લોકોને રાહત મળશે.

- ફ્લાઈટનો ટેકઓફ ટાઈમ નાસિકથી બપોરે 3.45 વાગ્યેનો રહેશે સાંજે 5.25 વાગ્યે ફ્લાઈટ અમદાવાદ પહોંચશે.

- અમદાવાદ જનાર મુસાફરો માટે સાંજે 5.50 વાગ્યે ફ્લાઇટ 7.15 વાગ્યે નાસિક પહોંચશે.

3000 વન વેનું ભાડું રહેશે

ઇન્ડિગોએ અમદાવાદથી નાસિક સુધીની ફ્લાઇટ લગભગ રૂ. 3000ના વન વે ભાડા સાથે શરૂ કરી છે. આ એરક્રાફ્ટ 73 સીટરનું રહેશે. જે માટે અત્યારથી જ બુકિંગ શરુ થઈ ગયા છે.

About The Author

Top News

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.