અનેક વીઘા જમીન હોવા છતા લગ્ન માટે યુવતીઓ ન મળતા પાટીદાર સમાજનો આ નિર્ણય

ગુજરાતના સુખી અને સમૃદ્ધ સમાજોમાં ગણાતા એવા પાટીદાર સમાજ પર એક મોટું સંકટ આવી પડ્યું છે. પાટીદારો માટે કહેવાય છે કે, તેઓ કોઇપણ પ્રસંગ કરે તેમાં પાણાની જેમ પૈસા વાપરે છે. પણ હાલની સ્થિતિ એવી છે કે, પાટીદાર સમાજ પાસે પરણવા માટે કન્યાઓની ખુબ જ અછત છે અને સમાજમાં જે કન્યાઓ છે તે વિદેશમાં લગ્ન કરવાની ઇચ્છા રાખે છે. ત્યારે કન્યાઓની અછતના કારણે મધ્ય ગુજરાત પાટીદાર સમાજે એક મહત્વનો નિર્ણય લીધો છે. આણંદના ભાલેજ ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજના આત્મચિંતન શિબિરમાં એક ખૂબ જ અગત્યનો નિર્ણય લેવાયો છે. જે નિર્ણયમાં ગુજરાતની બહાર રહેતા પાટીદાર સમાજ સાથે સંબંધો વિકસાવવાની વાત કરવામાં આવી છે.

આણંદના ભાલેજમાં યોજાયેલા આ આત્મચિંતન શિબિરમાં અલગ અલગ 30 સમાજના 125 જેટલા અગ્રણીઓએ ભાગ લીધો હતો. હાજર રહેલા તમામ અગ્રણીઓએ ભેગા થઇને નક્કી કર્યું હતું કે, મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં કન્યાઓની અછત છે, જે અછતને પુરી કરવા માટે ગુજરાતના જે પાટીદારો ગુજરાતની બહાર રહે છે, તેમની સાથેના સંબંધોને અલગથી વિકસાવવામાં આવશે. ગુજરાતની બહારથી છોકરીઓને ગુજરાતમાં લાવવા માટે આ પહેલ કરવા માટે મધ્ય ગુજરાત પાટીદાર સમાજે આ નિર્ણય લીધો છે.

આ નિર્ણયના પ્રથમ પગલા રૂપે એક ટીમ બનાવવામાં આવી છે. જે અલગ અલગ રાજ્યોમાં વસતા પાટીદાર સમાજના અગ્રણીઓને સંપર્ક કરીને ત્યાંના છોકરાઓ અને છોકરીઓ સાથે સંપર્ક કેળવશે. આ નિર્ણય લેવા માટે ગુજરાત પાટીદાર સમાજના દરેક લોકોએ સંમતી વ્યક્ત કરી છે. મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજમાં છોકરાઓની સંખ્યાની સામે છોકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેથી મહેસાણાના વીસનગરમાં આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વયંવરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 200 યુવતીઓ હાજર રહે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો અને એ રીતે તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પણ સ્વયંવરમાં ફક્ત 40 યુવતીઓ જ હાજર રહી હતી. પરંતુ, તેની સામે 500 જેટલા યુવકો હાજર રહ્યા હતા.

પાટીદાર સમાજ ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે. તેમ છતાં પાટીદાર સમાજમાં દિકરા અને દિકરીઓની સંખ્યામાં સમન્વય નથી સાધિ શકાયો. જેથી પાટીદાર સમાજના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા છતાં લગ્ન નથી કરી શકતા. જેથી મહેસાણા જિલ્લામાં ગુજરાતની બહારની છોકરીઓ સાથે લગ્ન કરવાના ઘણા પ્રસંગો બન્યા છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 750 કરતા વધારે યુવતીઓ બુંદેલખંડ અને ચિત્રકુટથી પણ લગ્ન માટે લવાઇ છે. આવા રાજ્યોમાં આજે પણ દહેજ આપવામાં આવે છે. ત્યારે જે રાજ્યના પાટીદાર સમાજને એક મંચ પર એકઠા કરીને યુવાનોને લગ્ન માટે યુવતીઓ મળે તેવા પ્રયત્નો આ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ સમાજ દ્વારા જે સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મોટાભાગે મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રની 40 જેટલી છોકરીઓ હાજર રહી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.