સુનીલ-અથિયા વિવાદ: કુદરતી ડિલિવરી, સીઝેરિયન કરતા શ્રેષ્ઠ હોવાની માન્યતા ખોટી છે

તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટી તેની દીકરી અથિયા શેટ્ટીના કુદરતી ડિલિવરી વિશે આપેલા નિવેદનને કારણે વિવાદમાં આવી ગયા હતા. તેમના નિવેદનને ઘણા લોકોએ સીઝેરિયન (C-section) ડિલિવરી કરાવનારી માતાઓને નીચું દેખાડવાનું હોય તેવું માન્યું. જોકે, વિવાદ ઊભો થતા સુનીલ શેટ્ટીએ માફી માંગતા જણાવ્યું કે તેમનો ઉદ્દેશ કોઈ મહિલાના માતૃત્વના અનુભવને ઓછું દેખાડવાનો નહોતો.

આ ઘટના એક મોટા સામાજિક મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે  —ઘણા લોકો કુદરતી ડિલિવરીને ઉત્તમ માને છે અને સીઝેરિયનને નબળું માનવાની માનસિકતા ધરાવે છે. જોકે, આ બન્ને પ્રકારની માન્યતા ધરાવનારાઓમાંથી મોટા ભાગના લોકો તેની પાછળની જટિલતાઓથી અજાણ હોય છે. આવી માન્યતાઓની અસરથી ઘણીવાર ગર્ભવતી મહિલાઓ ઉપર અણધાર્યો માનસિક દબાણ સર્જાય છે.

01

તબીબી નિષ્ણાતોની ભૂમિકા મહત્વપૂર્ણ

પ્રસવ એક જટિલ તબીબી પ્રક્રિયા છે. તેની પદ્ધતિ શું હોય એ નિર્ણય gynecologist અને obstetrician જેવા લાયક તબીબો દ્વારા લેવો જોઈએ. તેઓ માતા અને બાળકની તબિયત, સંભવિત મુશ્કેલીઓ વગેરેને ધ્યાનમાં રાખીને સૌથી સુરક્ષિત રીત પસંદ કરે છે. સ્ત્રીઓની પસંદગીઓ મહત્વની છે પણ તે તબીબી સલાહ સાથે સંતુલિત હોવી જોઈએ.

03

માતાઓ માટે માહિતી મહત્વપૂર્ણ છે

સ્ત્રીઓને ડિલિવરી પહેલા તેમની પાસે રહેલા વિકલ્પો વિશે પૂરી માહિતી હોવી ખૂબ જરૂરી છે. એવી માહિતી તેમને તબીબો સાથે ખુલ્લી ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. છતાં, અમુક વખતે પરિસ્થિતિમાં ફેરફાર આવતા પોતાને ગમતા નિર્ણયથી હટવું પડે — એટલે ફ્લેક્સિબલિટી જરૂરી છે.

સામાજિક માન્યતાઓથી દૂર થવું પડશે

કુદરતી ડિલિવરી સીઝેરિયન કરતાં શ્રેષ્ઠ જ છે —એવી માન્યતાઓ ખોટી અને નુકસાનકારક છે. C-section એ એક મોટી સર્જરી છે અને ઘણીવાર જીવન બચાવનારી સાબિત થાય છે. એનો નિર્ણય કોઇ ખાસ પરિસ્થિતિમાં જ લેવાય છે. ખરેખર એ માતાના સમર્પણ કે શક્તિને નાપવાનો માપદંડ જરાય નથી. આપણે સમાજમાં પ્રવર્તતી માન્યતાઓથી દૂર રહેવું જોઇએ. નહીં તો નુક્સાન કરી બેસીશું. 

04

દરેક માતા માટે પ્રસવ એક જુદો  અનુભવ છે. એના નિર્ણયનો આધાર સમયની માગ અનુસાર ડોક્ટરની સલાહ અને માતાને અપાતી યોગ્ય માહિતી પર હોવો જોઈએ, ન કે સામાજિક માન્યતાઓથી ઊભા થતા દબાણ પર. તબીબી નિષ્ણાતોની સલાહનું માન રાખીને અને માતાઓના વ્યક્તિગત અનુભવને સન્માન આપીને જ આપણે એક વધુ સમજદારીભર્યો દૃષ્ટિકોણ વિકસાવી શકીશું.

About The Author

Dr. Dipti Patel Picture

Dr. Dipti Patel is a senior gynecologist and obstetrician based in Surat, Gujarat, with over 34 years of experience. She co-founded *Love N Care Hospital* in 1990 and specializes in maternity care, IVF, laparoscopic surgery, and cosmetic gynecology. An alumna of Government Medical College, Surat, she has pursued advanced training in Germany and the U.S. Known for her compassionate approach and clinical expertise, Dr. Patel is a trusted name in women’s healthcare.

Related Posts

Top News

'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
Tech and Auto 
'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
World 
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
Gujarat 
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Sports 
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.