ઉમરપાડાના 1400 વિદ્યાર્થીઓને અદાણી ફાઉન્ડેશન તાલીમ આપશે

સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકાની સાત સરકારી પ્રાથમિક શાળાના 1400થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્થાન માટે સહયોગ આપવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન, હજીરા વચ્ચે કરાર થયા છે. પહલેથી જ ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 25 સરકારી શાળાના 3100થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન સહાયક તરીકે સહયોગી શિક્ષક કાર્યરત છે. સમગ્ર રાજયમાં 122 જેટલી સરકારી શાળાના 18000થી વધુ વિદ્યાર્થીઓ સુધી અદાણી દ્વારા નિમણૂક પામેલા ઉત્થાન સહાયક શિક્ષકનો લાભ પહોચે છે.

અદાણી ફાઉન્ડેશન, હજીરાના સીએસઆર હેડ પ્રિયેશ રાઠોડ, પ્રોગ્રામ મેનેજર (શિક્ષણ) ડૉ.આશુતોષ ઠાકર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.દિપક દરજી વચ્ચે આજે એક એમઑયુ ઉપર સહી થઈ હતી. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર દ્વારા શૈક્ષણિક રીતે પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓ જેને પ્રિય વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને ભણતરની સાથે તાલીમ પણ આપવામાં આવશે. આ શાળાઓમાં શિક્ષણ આપનાર વિદ્યાર્થીઓ ઉત્થાન સહાયક તરીકે ઓળખાય છે, તેઓ બાળકોને લેખન, વાંચન અને ગણન સારી રીતે શીખવશે. દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણનો અધિકાર છે. ઉત્થાન પ્રોજેક્ટમાં પ્રાથમિક શાળાઓના શિક્ષણના અને વિદ્યાર્થીના સ્તરને ઊંચું લઇ જવાનું છે અને આ બાળકોનું પાયાથી શિક્ષણ મજબૂત કરવાનું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 અને નિપુણ ભારતની યોજનાના વિચારની સાથે જોડાયેલુ છે.

'ઉત્થાન સહાયક' નામના પૂરક શિક્ષકોના સમર્થનથી, અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં હાલની શૈક્ષણિક મશીનરીને મજબૂત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ હેતુ માટે, તે શાળાઓમાં પર્યાપ્ત સંસાધનો અને સુવિધાઓ સાથે શીખવાના સ્થળને આનંદદાયક પણ બનાવે છે. સમગ્ર ગુજરાતમાં મુન્દ્રા (કચ્છ)માં 75 શાળામાં 11,000 વિદ્યાર્થીઓ, દહેજ (ભરુચ)ની 15 શાળામાં 3000 વિદ્યાર્થીઓ અને હજીરા (સુરત)ના ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 25 શાળામાં 3100 વિદ્યાર્થીઓ વચ્ચે કાર્યરત છે. હવે આદિવાસી બાળકોને ભણાવતી છેવાડાના ઉમરપાડા તાલુકાની સાત સરકારી શાળાના 1400 વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોનો લાભ મળશે.

 

About The Author

Related Posts

Top News

સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ISROમાં વૈજ્ઞાનિક બની, ક્લાયમેટ ચેન્જ પર સંશોધન કરશે

મુળ હરિયાણાના ઝજ્જરની દીકરી અને દક્ષિણ ગુજરાતમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી પ્રીતિ વત્સની ISROમાં સાયન્ટિસ્ટ તરીકે...
National 
સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ISROમાં વૈજ્ઞાનિક બની, ક્લાયમેટ ચેન્જ પર સંશોધન કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.