ઉમરપાડાના 1400 વિદ્યાર્થીઓને અદાણી ફાઉન્ડેશન તાલીમ આપશે

સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકાની સાત સરકારી પ્રાથમિક શાળાના 1400થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્થાન માટે સહયોગ આપવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન, હજીરા વચ્ચે કરાર થયા છે. પહલેથી જ ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 25 સરકારી શાળાના 3100થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન સહાયક તરીકે સહયોગી શિક્ષક કાર્યરત છે. સમગ્ર રાજયમાં 122 જેટલી સરકારી શાળાના 18000થી વધુ વિદ્યાર્થીઓ સુધી અદાણી દ્વારા નિમણૂક પામેલા ઉત્થાન સહાયક શિક્ષકનો લાભ પહોચે છે.

અદાણી ફાઉન્ડેશન, હજીરાના સીએસઆર હેડ પ્રિયેશ રાઠોડ, પ્રોગ્રામ મેનેજર (શિક્ષણ) ડૉ.આશુતોષ ઠાકર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.દિપક દરજી વચ્ચે આજે એક એમઑયુ ઉપર સહી થઈ હતી. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર દ્વારા શૈક્ષણિક રીતે પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓ જેને પ્રિય વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને ભણતરની સાથે તાલીમ પણ આપવામાં આવશે. આ શાળાઓમાં શિક્ષણ આપનાર વિદ્યાર્થીઓ ઉત્થાન સહાયક તરીકે ઓળખાય છે, તેઓ બાળકોને લેખન, વાંચન અને ગણન સારી રીતે શીખવશે. દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણનો અધિકાર છે. ઉત્થાન પ્રોજેક્ટમાં પ્રાથમિક શાળાઓના શિક્ષણના અને વિદ્યાર્થીના સ્તરને ઊંચું લઇ જવાનું છે અને આ બાળકોનું પાયાથી શિક્ષણ મજબૂત કરવાનું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 અને નિપુણ ભારતની યોજનાના વિચારની સાથે જોડાયેલુ છે.

'ઉત્થાન સહાયક' નામના પૂરક શિક્ષકોના સમર્થનથી, અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં હાલની શૈક્ષણિક મશીનરીને મજબૂત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ હેતુ માટે, તે શાળાઓમાં પર્યાપ્ત સંસાધનો અને સુવિધાઓ સાથે શીખવાના સ્થળને આનંદદાયક પણ બનાવે છે. સમગ્ર ગુજરાતમાં મુન્દ્રા (કચ્છ)માં 75 શાળામાં 11,000 વિદ્યાર્થીઓ, દહેજ (ભરુચ)ની 15 શાળામાં 3000 વિદ્યાર્થીઓ અને હજીરા (સુરત)ના ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની 25 શાળામાં 3100 વિદ્યાર્થીઓ વચ્ચે કાર્યરત છે. હવે આદિવાસી બાળકોને ભણાવતી છેવાડાના ઉમરપાડા તાલુકાની સાત સરકારી શાળાના 1400 વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોનો લાભ મળશે.

 

About The Author

Related Posts

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.