પહેલા અને બીજા ધોરણમાં નહીં મળશે હોમવર્ક, 5માં ધોરણ સુધી માત્ર 4 જ વિષયો ભણાવાશે

પ્રાઈવેટ સ્કૂલોની મનમાનીને કારણે બેગના બોજાના તળીયે દબાઈ રહેલા વિદ્યાર્થીઓના ખભા પરથી દફતરનો ભાર હળવો કરવા માટે શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. નવા સત્રની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે સ્કૂલોમાં એડમિશન સહિત બુક્સની ખરીદદારી પણ શરૂ થઈ ગઈ છે. તે અગાઉ હવે શિક્ષણ વિભાગે સ્કૂલોમાં બાળકોને ભણાવાતા વિષયો પણ નક્કી કરી દીધા છે.

વિદ્યાર્થીઓના બેગનું વજન નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા વધુ હશે તો તેને માટે સ્કૂલ જવાબદાર ગણાશે. આ ઉપરાંત, કોઈપણ સ્કૂલ વધારાના વિષય શરૂ નહીં કરી શકશે. આ વિષયોની બુક્સ પણ NCRT, NCERTની જ હશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી જિલ્લા મૌલિક શિક્ષણ અધિકારીઓને આ સંદર્ભમાં આદેશ આપી દેવામાં આવ્યા છે. આ આદેશોને જિલ્લા મૌલિક શિક્ષણ અધિકારીઓએ સ્કૂલોમાં લાગુ કરાવવાનો રહેશે.

આ છે શિક્ષણ વિભાગનો નવો નિયમ

સ્કૂલોમાં જતા બાળકોના બેગનું વજન ઓછું કરવા માટે શિક્ષણ વિભાગે 10માં ધોરણ સુધીના ત્રણ માપદંડો નક્કી કર્યા છે. જેના પહેલા નિયમ અનુસાર, પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવશે નહીં. સ્કૂલમાં જ બાળકોને ભણાવવામાં આવશે. તેમજ પહેલા અને બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને માત્ર નક્કી કરવામાં આવેલા વિષયો જ ભણાવવામાં આવશે. જેમાં ભાષા અને ગણિત સામેલ હશે. આ ઉપરાંત, ત્રીજાથી લઈને પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભાષા, EVS અને ગણિત વિષય જ ભણાવવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલ કોઈપણ વધારાના વિષયો ભણાવી શકશે નહીં.

 

About The Author

Top News

ખાલિદા ઝિયાની ભૂલમાંથી બોધ લઇ રહ્યા છે તારિક રહેમાન, ભારત પ્રત્યે BNPના બદલાયા સૂર, શું છે મહત્ત્વ?

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BNPના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનની 17 વર્ષ બાદ વાપસી થઇ છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના...
World 
ખાલિદા ઝિયાની ભૂલમાંથી બોધ લઇ રહ્યા છે તારિક રહેમાન, ભારત પ્રત્યે BNPના બદલાયા સૂર, શું છે મહત્ત્વ?

ચેકથી પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યો નિયમ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ચેકથી પેમેન્ટ કરનારા લોકોને લઇને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIએ એ...
Business 
ચેકથી પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યો નિયમ

‘બલૂચિસ્તાન અટલ બિહારી વાજપેયીને નહીં ભૂલી શકે’, બલૂચ નેતાને પૂર્વ ભારતીય વડાપ્રધાન કેમ યાદ આવ્યા?

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના અલગાવવાદી નેતા મીર યાર બલોચે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા છે. ગુરુવારે વાજપેયીની 101...
World 
‘બલૂચિસ્તાન અટલ બિહારી વાજપેયીને નહીં ભૂલી શકે’, બલૂચ નેતાને પૂર્વ ભારતીય વડાપ્રધાન કેમ યાદ આવ્યા?

સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી ચાલી રહી છે, પરંતુ ઘણી વખત આના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે અને રાજ્યમાં કડક...
Gujarat 
સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.