સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી ચાલી રહી છે, પરંતુ ઘણી વખત આના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે અને રાજ્યમાં કડક દારૂબંદીના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ દારૂબંદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભરત સુતરીયાએ આ નિવેદન આપ્યું હતું.

bhart-sutariya
facebook.com/BBCnewsGujarati

હજી સુધી રાજ્ય સરકાર કે રાજ્યના નેતા પાસેથી, ભાજપના નેતા પાસેથી એવી સ્યોરિટી કેમ નથી આવતી કે રાજ્યની અંદર દારૂ નહીં જ વેચાય, ડ્રગ્સ નહીં જ વેચાય, જુગાર નહીં જ રમાડાય? આ સવાલ પર જવાબ આપતા અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયાએ કહ્યું હતું કે, ‘હું કહું છું ને કે મારા અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં. હું ગમે ત્યાં જાઉં, કોઈ દિવસ નહીં. કેમ કે મારા ઉપર આ વસ્તુના આક્ષેપ થયા હતા. હું કરતો નથી અને એ વસ્તુના મારા ઉપર આક્ષેપ થયા. હું ખાતો નથી. મેસેજમાં ખવડાવી દીધું. હું પીતો નથી એ પીવડાવી દીધું, વોટ્સએપના માધ્યમથી. હું તો તરત વીડિયોમાં કહું છું ને, આ જ મિનિટે, ગમે તે હોય, કાલે મને જોયો તો હું અહીં બેસીશ. હું જતો પણ રહું છું.

bhart-sutariya1
facebook.com/bharatsutariya.bharatsutariya.

અત્યાર સુધી તમે કેટલા અડ્ડા બંધ કરાવ્યા છે? આ સવાલનો જવાબ આપતા સાંસદે કહ્યું કે, મેં ઘણા અડ્ડા બંધ કરાવ્યા છે. તો શું આમાં પોલીસની નબળી કામગીરી રહે છે? અડ્ડા ફરીથી ચાલુ કેમ થાય છે? આ સવાલનો જવાબ આપતા સાંસદ ભરત સુતારીયાએ કહ્યું કે, ના નથી પાડતો, આ લોકો શું કરે કે ભાઈ...., આજે અહીં પકડાયો. તો સ્થળ બદલીને બીજી જગ્યાએ જતા રહે. અને મારી સરકાર, મને ખબર છે, આ ભુપેન્દ્ર પટેલની સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર આના ઉપર કડકમાં કડક પગલાં લેવાનું વિચારી રહી છે. મીટિંગમાં હું બેઠો હોઉં છું એટલે મને ખબર છે. સરકાર આના માટે ખૂબ ચિંતા કરે છે.

About The Author

Related Posts

Top News

ખાલિદા ઝિયાની ભૂલમાંથી બોધ લઇ રહ્યા છે તારિક રહેમાન, ભારત પ્રત્યે BNPના બદલાયા સૂર, શું છે મહત્ત્વ?

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BNPના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનની 17 વર્ષ બાદ વાપસી થઇ છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના...
World 
ખાલિદા ઝિયાની ભૂલમાંથી બોધ લઇ રહ્યા છે તારિક રહેમાન, ભારત પ્રત્યે BNPના બદલાયા સૂર, શું છે મહત્ત્વ?

ચેકથી પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યો નિયમ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ચેકથી પેમેન્ટ કરનારા લોકોને લઇને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIએ એ...
Business 
ચેકથી પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યો નિયમ

‘બલૂચિસ્તાન અટલ બિહારી વાજપેયીને નહીં ભૂલી શકે’, બલૂચ નેતાને પૂર્વ ભારતીય વડાપ્રધાન કેમ યાદ આવ્યા?

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના અલગાવવાદી નેતા મીર યાર બલોચે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા છે. ગુરુવારે વાજપેયીની 101...
World 
‘બલૂચિસ્તાન અટલ બિહારી વાજપેયીને નહીં ભૂલી શકે’, બલૂચ નેતાને પૂર્વ ભારતીય વડાપ્રધાન કેમ યાદ આવ્યા?

સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી ચાલી રહી છે, પરંતુ ઘણી વખત આના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે અને રાજ્યમાં કડક...
Gujarat 
સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.