સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી ચાલી રહી છે, પરંતુ ઘણી વખત આના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે અને રાજ્યમાં કડક દારૂબંદીના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ દારૂબંદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભરત સુતરીયાએ આ નિવેદન આપ્યું હતું.

bhart-sutariya
facebook.com/BBCnewsGujarati

હજી સુધી રાજ્ય સરકાર કે રાજ્યના નેતા પાસેથી, ભાજપના નેતા પાસેથી એવી સ્યોરિટી કેમ નથી આવતી કે રાજ્યની અંદર દારૂ નહીં જ વેચાય, ડ્રગ્સ નહીં જ વેચાય, જુગાર નહીં જ રમાડાય? આ સવાલ પર જવાબ આપતા અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયાએ કહ્યું હતું કે, ‘હું કહું છું ને કે મારા અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં. હું ગમે ત્યાં જાઉં, કોઈ દિવસ નહીં. કેમ કે મારા ઉપર આ વસ્તુના આક્ષેપ થયા હતા. હું કરતો નથી અને એ વસ્તુના મારા ઉપર આક્ષેપ થયા. હું ખાતો નથી. મેસેજમાં ખવડાવી દીધું. હું પીતો નથી એ પીવડાવી દીધું, વોટ્સએપના માધ્યમથી. હું તો તરત વીડિયોમાં કહું છું ને, આ જ મિનિટે, ગમે તે હોય, કાલે મને જોયો તો હું અહીં બેસીશ. હું જતો પણ રહું છું.

bhart-sutariya1
facebook.com/bharatsutariya.bharatsutariya.

અત્યાર સુધી તમે કેટલા અડ્ડા બંધ કરાવ્યા છે? આ સવાલનો જવાબ આપતા સાંસદે કહ્યું કે, મેં ઘણા અડ્ડા બંધ કરાવ્યા છે. તો શું આમાં પોલીસની નબળી કામગીરી રહે છે? અડ્ડા ફરીથી ચાલુ કેમ થાય છે? આ સવાલનો જવાબ આપતા સાંસદ ભરત સુતારીયાએ કહ્યું કે, ના નથી પાડતો, આ લોકો શું કરે કે ભાઈ...., આજે અહીં પકડાયો. તો સ્થળ બદલીને બીજી જગ્યાએ જતા રહે. અને મારી સરકાર, મને ખબર છે, આ ભુપેન્દ્ર પટેલની સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર આના ઉપર કડકમાં કડક પગલાં લેવાનું વિચારી રહી છે. મીટિંગમાં હું બેઠો હોઉં છું એટલે મને ખબર છે. સરકાર આના માટે ખૂબ ચિંતા કરે છે.

About The Author

Related Posts

Top News

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.