સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી ચાલી રહી છે, પરંતુ ઘણી વખત આના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે અને રાજ્યમાં કડક દારૂબંદીના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ દારૂબંદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભરત સુતરીયાએ આ નિવેદન આપ્યું હતું.

bhart-sutariya
facebook.com/BBCnewsGujarati

હજી સુધી રાજ્ય સરકાર કે રાજ્યના નેતા પાસેથી, ભાજપના નેતા પાસેથી એવી સ્યોરિટી કેમ નથી આવતી કે રાજ્યની અંદર દારૂ નહીં જ વેચાય, ડ્રગ્સ નહીં જ વેચાય, જુગાર નહીં જ રમાડાય? આ સવાલ પર જવાબ આપતા અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયાએ કહ્યું હતું કે, ‘હું કહું છું ને કે મારા અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં. હું ગમે ત્યાં જાઉં, કોઈ દિવસ નહીં. કેમ કે મારા ઉપર આ વસ્તુના આક્ષેપ થયા હતા. હું કરતો નથી અને એ વસ્તુના મારા ઉપર આક્ષેપ થયા. હું ખાતો નથી. મેસેજમાં ખવડાવી દીધું. હું પીતો નથી એ પીવડાવી દીધું, વોટ્સએપના માધ્યમથી. હું તો તરત વીડિયોમાં કહું છું ને, આ જ મિનિટે, ગમે તે હોય, કાલે મને જોયો તો હું અહીં બેસીશ. હું જતો પણ રહું છું.

bhart-sutariya1
facebook.com/bharatsutariya.bharatsutariya.

અત્યાર સુધી તમે કેટલા અડ્ડા બંધ કરાવ્યા છે? આ સવાલનો જવાબ આપતા સાંસદે કહ્યું કે, મેં ઘણા અડ્ડા બંધ કરાવ્યા છે. તો શું આમાં પોલીસની નબળી કામગીરી રહે છે? અડ્ડા ફરીથી ચાલુ કેમ થાય છે? આ સવાલનો જવાબ આપતા સાંસદ ભરત સુતારીયાએ કહ્યું કે, ના નથી પાડતો, આ લોકો શું કરે કે ભાઈ...., આજે અહીં પકડાયો. તો સ્થળ બદલીને બીજી જગ્યાએ જતા રહે. અને મારી સરકાર, મને ખબર છે, આ ભુપેન્દ્ર પટેલની સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર આના ઉપર કડકમાં કડક પગલાં લેવાનું વિચારી રહી છે. મીટિંગમાં હું બેઠો હોઉં છું એટલે મને ખબર છે. સરકાર આના માટે ખૂબ ચિંતા કરે છે.

About The Author

Related Posts

Top News

મામલતદારે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાની ખેતીની જમીન સરકાર હસ્તક કરવાનો આપ્યો આદેશ, જાણો આખો મામલો

ખોટા ખેડૂત ખાતેદાર બની જમીન હડપવાના મામલે ઈડરના મામલતદાર પૂજા જોશીએ ધારાસભ્ય રમણલાલ વોરા સહિત તેમના પરિવારને મોટો ઝટકો આપ્યો...
મામલતદારે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાની ખેતીની જમીન સરકાર હસ્તક કરવાનો આપ્યો આદેશ, જાણો આખો મામલો

હનુમાનગઢી મંદિર મુસ્લિમે બનાવ્યું હતું, પરંતુ ત્યાં ક્યારેય કોઈએ નમાઝ અદા કરી નથી; BJP નેતા બ્રિજભૂષણ શરણ સિંહની સ્પષ્ટ વાત

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના નંદિની નગર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત પ્રતિભા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપ્યા પછી, રેસલિંગ...
National 
હનુમાનગઢી મંદિર મુસ્લિમે બનાવ્યું હતું, પરંતુ ત્યાં ક્યારેય કોઈએ નમાઝ અદા કરી નથી; BJP નેતા બ્રિજભૂષણ શરણ સિંહની સ્પષ્ટ વાત

ડૉક્ટરે 25 લાખની ઓફર ઠુકરાવી, ઇમાનદારી વેચવાનો કર્યો ઇનકાર, એક કોલેબના જ મળી રહ્યા છે 5 લાખ

તાજેતરના વર્ષોમાં, ઇન્ટરનેટ એવી સામગ્રીથી ભરાઇ ગયું છે જેમાં ફક્ત લોકો જ નહીં, પણ વિવિધ પ્રકારના ઉત્પાદનો પણ...
Lifestyle 
ડૉક્ટરે 25 લાખની ઓફર ઠુકરાવી, ઇમાનદારી વેચવાનો કર્યો ઇનકાર, એક કોલેબના જ મળી રહ્યા છે 5 લાખ
Copyright (c) Khabarchhe All Rights Reserved.