દેશમાં અને ગુજરાતમાં સરકારો બદલાતી રહી પરંતુ સરકારી વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચાર વધતો જ ગયો અને નાગરિકો આજે પણ લૂંટાઈ જ રહ્યા છે

આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સરકારો બદલાતી રહી છે. ક્યારેક કોંગ્રેસની, ક્યારેક ભાજપની પરંતુ સરકારી વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જ ગયું છે. આજે પણ સામાન્ય નાગરિકને પોતાના હક્કના કામ માટે લાંબી લાઈનો, અધિકારીઓની ઉદાસીનતા અને ખુલ્લેઆમલી લાંચનો સામનો કરવો પડે છે. આ સ્થિતિ માત્ર દુઃખદ નથી પરંતુ ચિંતાજનક પણ છે.

9

ભ્રષ્ટાચારનું મૂળ કારણ વ્યવસ્થાની જટિલતા, પારદર્શિતાનો અભાવ અને જવાબદારીની ખોટમાં રહેલું છે. દરેક નવી સરકાર સત્તામાં આવે ત્યારે મોટા મોટા વાયદા કરે છે ભ્રષ્ટાચારમુક્ત શાસન, ડિજિટલાઈઝેશન, ઝીરો ટોલરન્સ વિગેરે વિગેરે. પરંતુ વાસ્તવિકતામાં થોડા સમય પછી જૂની વ્યવસ્થા જ કાયમ રહે છે. આપણા ગુજરાતમાં પણ જેને વિકાસનું મોડેલ કહેવામાં આવે છે ત્યાં પંચાયતથી લઈને સચિવાલય સુધીના સ્તરે લાંચની ફરિયાદો સામાન્ય છે. રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજો, લાઈસન્સ કે પરમિટ મેળવવા માટે નાગરિકોને હજુ પણ "સ્પીડ મની" ચૂકવવું પડે છે. આવકવેરા, જીએસટી જેવા વિભાગોમાં તો ભ્રષ્ટાચાર ઉચ્ચ અધિકારીઓથી માંડીને પટાવાળા સુધી આ સડો ફેલાયેલો છે. 

10

આ ભ્રષ્ટાચારનું સૌથી મોટું નુકસાન એ છે કે તે સામાન્ય નાગરિકની સરકારી વ્યવસ્થાઓ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસને ખોખરો કરી નાખે છે. જ્યારે વ્યવસ્થા પોતે જ લૂંટ ચલાવે ત્યારે નાગરિકોમાં નિરાશા ફેલાય છે અને લોકશાહી પ્રત્યેનો ભરોસો ઘટે છે. આનાથી સમાજમાં અસમાનતા વધે છે, ગરીબ વધુ ગરીબ બને છે અને શ્રીમંતોનું વર્ચસ્વ વધે છે.

આ સમસ્યાનો ઉકેલ માત્ર કાયદાઓ કે સંસ્થાઓમાં નથી પરંતુ નૈતિકતા અને જાગૃતિમાં છે. નાગરિકોએ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ અપનાવવું જોઈએ. સરકારોએ વાસ્તવિક પારદર્શિતા લાવવી જોઈએ, ડિજિટલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જોઈએ અને દોષિતોને કડક સજા આપવી જોઈએ. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી સરકારો બદલાતી રહેશે અને દેશના નાગરિકો લૂંટાતા રહેશે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.