દેશમાં અને ગુજરાતમાં સરકારો બદલાતી રહી પરંતુ સરકારી વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચાર વધતો જ ગયો અને નાગરિકો આજે પણ લૂંટાઈ જ રહ્યા છે

આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સરકારો બદલાતી રહી છે. ક્યારેક કોંગ્રેસની, ક્યારેક ભાજપની પરંતુ સરકારી વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જ ગયું છે. આજે પણ સામાન્ય નાગરિકને પોતાના હક્કના કામ માટે લાંબી લાઈનો, અધિકારીઓની ઉદાસીનતા અને ખુલ્લેઆમલી લાંચનો સામનો કરવો પડે છે. આ સ્થિતિ માત્ર દુઃખદ નથી પરંતુ ચિંતાજનક પણ છે.

9

ભ્રષ્ટાચારનું મૂળ કારણ વ્યવસ્થાની જટિલતા, પારદર્શિતાનો અભાવ અને જવાબદારીની ખોટમાં રહેલું છે. દરેક નવી સરકાર સત્તામાં આવે ત્યારે મોટા મોટા વાયદા કરે છે ભ્રષ્ટાચારમુક્ત શાસન, ડિજિટલાઈઝેશન, ઝીરો ટોલરન્સ વિગેરે વિગેરે. પરંતુ વાસ્તવિકતામાં થોડા સમય પછી જૂની વ્યવસ્થા જ કાયમ રહે છે. આપણા ગુજરાતમાં પણ જેને વિકાસનું મોડેલ કહેવામાં આવે છે ત્યાં પંચાયતથી લઈને સચિવાલય સુધીના સ્તરે લાંચની ફરિયાદો સામાન્ય છે. રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજો, લાઈસન્સ કે પરમિટ મેળવવા માટે નાગરિકોને હજુ પણ "સ્પીડ મની" ચૂકવવું પડે છે. આવકવેરા, જીએસટી જેવા વિભાગોમાં તો ભ્રષ્ટાચાર ઉચ્ચ અધિકારીઓથી માંડીને પટાવાળા સુધી આ સડો ફેલાયેલો છે. 

10

આ ભ્રષ્ટાચારનું સૌથી મોટું નુકસાન એ છે કે તે સામાન્ય નાગરિકની સરકારી વ્યવસ્થાઓ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસને ખોખરો કરી નાખે છે. જ્યારે વ્યવસ્થા પોતે જ લૂંટ ચલાવે ત્યારે નાગરિકોમાં નિરાશા ફેલાય છે અને લોકશાહી પ્રત્યેનો ભરોસો ઘટે છે. આનાથી સમાજમાં અસમાનતા વધે છે, ગરીબ વધુ ગરીબ બને છે અને શ્રીમંતોનું વર્ચસ્વ વધે છે.

આ સમસ્યાનો ઉકેલ માત્ર કાયદાઓ કે સંસ્થાઓમાં નથી પરંતુ નૈતિકતા અને જાગૃતિમાં છે. નાગરિકોએ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ અપનાવવું જોઈએ. સરકારોએ વાસ્તવિક પારદર્શિતા લાવવી જોઈએ, ડિજિટલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જોઈએ અને દોષિતોને કડક સજા આપવી જોઈએ. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી સરકારો બદલાતી રહેશે અને દેશના નાગરિકો લૂંટાતા રહેશે.

About The Author

Related Posts

Top News

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.