દેશમાં અને ગુજરાતમાં સરકારો બદલાતી રહી પરંતુ સરકારી વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચાર વધતો જ ગયો અને નાગરિકો આજે પણ લૂંટાઈ જ રહ્યા છે

આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સરકારો બદલાતી રહી છે. ક્યારેક કોંગ્રેસની, ક્યારેક ભાજપની પરંતુ સરકારી વ્યવસ્થાઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જ ગયું છે. આજે પણ સામાન્ય નાગરિકને પોતાના હક્કના કામ માટે લાંબી લાઈનો, અધિકારીઓની ઉદાસીનતા અને ખુલ્લેઆમલી લાંચનો સામનો કરવો પડે છે. આ સ્થિતિ માત્ર દુઃખદ નથી પરંતુ ચિંતાજનક પણ છે.

9

ભ્રષ્ટાચારનું મૂળ કારણ વ્યવસ્થાની જટિલતા, પારદર્શિતાનો અભાવ અને જવાબદારીની ખોટમાં રહેલું છે. દરેક નવી સરકાર સત્તામાં આવે ત્યારે મોટા મોટા વાયદા કરે છે ભ્રષ્ટાચારમુક્ત શાસન, ડિજિટલાઈઝેશન, ઝીરો ટોલરન્સ વિગેરે વિગેરે. પરંતુ વાસ્તવિકતામાં થોડા સમય પછી જૂની વ્યવસ્થા જ કાયમ રહે છે. આપણા ગુજરાતમાં પણ જેને વિકાસનું મોડેલ કહેવામાં આવે છે ત્યાં પંચાયતથી લઈને સચિવાલય સુધીના સ્તરે લાંચની ફરિયાદો સામાન્ય છે. રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજો, લાઈસન્સ કે પરમિટ મેળવવા માટે નાગરિકોને હજુ પણ "સ્પીડ મની" ચૂકવવું પડે છે. આવકવેરા, જીએસટી જેવા વિભાગોમાં તો ભ્રષ્ટાચાર ઉચ્ચ અધિકારીઓથી માંડીને પટાવાળા સુધી આ સડો ફેલાયેલો છે. 

10

આ ભ્રષ્ટાચારનું સૌથી મોટું નુકસાન એ છે કે તે સામાન્ય નાગરિકની સરકારી વ્યવસ્થાઓ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસને ખોખરો કરી નાખે છે. જ્યારે વ્યવસ્થા પોતે જ લૂંટ ચલાવે ત્યારે નાગરિકોમાં નિરાશા ફેલાય છે અને લોકશાહી પ્રત્યેનો ભરોસો ઘટે છે. આનાથી સમાજમાં અસમાનતા વધે છે, ગરીબ વધુ ગરીબ બને છે અને શ્રીમંતોનું વર્ચસ્વ વધે છે.

આ સમસ્યાનો ઉકેલ માત્ર કાયદાઓ કે સંસ્થાઓમાં નથી પરંતુ નૈતિકતા અને જાગૃતિમાં છે. નાગરિકોએ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ અપનાવવું જોઈએ. સરકારોએ વાસ્તવિક પારદર્શિતા લાવવી જોઈએ, ડિજિટલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જોઈએ અને દોષિતોને કડક સજા આપવી જોઈએ. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી સરકારો બદલાતી રહેશે અને દેશના નાગરિકો લૂંટાતા રહેશે.

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.