‘MBA કરીને શું કરીશ? તું પહેલાથી જ સફળ છે..’, કહીને અધિકારીએ US વીઝા રિજેક્ટ કરી દીધા

અમેરિકાના વીઝા માટે અરજી કરવી અને તે એકસેપ્ટ થઈ જવાને એક ઉપલબ્ધિ માનવામાં આવે છે. ઘણી વખત એવું સાંભળવા મળે છે કે ટૂરિસ્ટ વીઝા સરળતાથી મળી જાય છે, પરંતુ નોકરી કે અભ્યાસ માટે અમેરિકાના વીઝા મેળવવામાં મુશ્કેલીઓ આવે છે. આવો જ એક મામલો રેડિટ યુઝરે શેર કર્યો છે. તેના સ્ટુડન્ટ વીઝા (F-1 વીઝા) માત્ર એટલા માટે રિજેક્ટ કરી દેવામાં આવ્યા કારણ કે તે કંઈક વધારે જ સફળકે સક્સેસફૂલ વ્યક્તિ છે. શું છે આખો મામલો? ચાલો વિગતવાર સમજીએ.

US-Visa1
business-standard.com

એક ભારતીય યુઝરે રેડિટ પર પોસ્ટ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. યુઝરે જણાવ્યું કે, તે એમેઝોન જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં 4 વર્ષથી વધુ સમયથી સીનિયર ઇનવેસ્ટિગેશન એન્ડ રિસ્ક એનાલિસ્ટ તરીકે કામ કરી રહ્યો છે. પોતાના પોર્ટફોલિયોને વધુ સુધારવા માટે તેણે અમેરિકાના સિએટલમાં સિટી યુનિવર્સિટીમાં MBA માટે અરજી કરી હતી, પરંતુ વીઝા અધિકારીએ તેના વીઝા રિજેક્ટ કરી દીધા. અધિકારીએ રિજેક્શન સ્લિપમાં લખ્યું કે, ‘તમે પહેલાથી જ સક્સેસફૂલ છો.

US-Visa3
thelallantop.com

યુઝરના મતે તેના વીઝા ઇન્ટરવ્યૂમાં આપેલા જવાબોથી કદાચ તે સ્પષ્ટ ન કરી શક્યો કે ભારતમાં તેના ભાવિ કરિયર માટે MBA કેટલું મહત્ત્વપૂર્ણ છે. જોકે યુઝરે લખ્યું કે તે ફરીથી વીઝા માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યો છે. સાથે જ તે પોતાના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે MBAની જરૂરિયાત અને ભારત પાછા ફરીને ઉચ્ચ હોદ્દા પર કામ કરવાના તેના ઇરાદા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેણે લખ્યું કે, ‘જો તમારી પાસે એક સ્થિર નોકરી અને સારું કરિયર છે, તો તમારે અધિકારીને બતાવવાની જરૂર છે કે તમારી વર્તમાન સફળતા માત્ર એક નાનકડું પગલું છે અને તમારા દ્વારા પસંદ કરાયેલો કોર્ષ અથવા પ્રોગ્રામ તમને એક મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સીધી મદદ કરશે અને તે પ્રાપ્ત કરવા માટે તમારે આ કોર્ષમાં એડમિશન લેવાની જરૂર છે.

US-Visa2
law.asia

NDTVના રિપોર્ટ મુજબ, એક્સપર્ટ્સનું કહેવું છે કે અરજદારોએ એ સ્પષ્ટ જણાવવું પડશે કે તેમનો પસંદ કરેલો પ્રોગ્રામ તેમના કરિયર અને ટારગેટ સાથે કેવી રીતે જોડાયેલો છે. સાથે જ અભ્યાસ બાદ તેમની વાપસી સુનિશ્ચિત કરવા માટે તેમણે પોતાના દેશ સાથે મજબૂત સંબંધો દર્શાવવા પડશે. જો તેઓ આમ ન કરી શક્યા, તો વીઝા રિજેક્ટ થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.