‘MBA કરીને શું કરીશ? તું પહેલાથી જ સફળ છે..’, કહીને અધિકારીએ US વીઝા રિજેક્ટ કરી દીધા

અમેરિકાના વીઝા માટે અરજી કરવી અને તે એકસેપ્ટ થઈ જવાને એક ઉપલબ્ધિ માનવામાં આવે છે. ઘણી વખત એવું સાંભળવા મળે છે કે ટૂરિસ્ટ વીઝા સરળતાથી મળી જાય છે, પરંતુ નોકરી કે અભ્યાસ માટે અમેરિકાના વીઝા મેળવવામાં મુશ્કેલીઓ આવે છે. આવો જ એક મામલો રેડિટ યુઝરે શેર કર્યો છે. તેના સ્ટુડન્ટ વીઝા (F-1 વીઝા) માત્ર એટલા માટે રિજેક્ટ કરી દેવામાં આવ્યા કારણ કે તે કંઈક વધારે જ સફળકે સક્સેસફૂલ વ્યક્તિ છે. શું છે આખો મામલો? ચાલો વિગતવાર સમજીએ.

US-Visa1
business-standard.com

એક ભારતીય યુઝરે રેડિટ પર પોસ્ટ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. યુઝરે જણાવ્યું કે, તે એમેઝોન જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં 4 વર્ષથી વધુ સમયથી સીનિયર ઇનવેસ્ટિગેશન એન્ડ રિસ્ક એનાલિસ્ટ તરીકે કામ કરી રહ્યો છે. પોતાના પોર્ટફોલિયોને વધુ સુધારવા માટે તેણે અમેરિકાના સિએટલમાં સિટી યુનિવર્સિટીમાં MBA માટે અરજી કરી હતી, પરંતુ વીઝા અધિકારીએ તેના વીઝા રિજેક્ટ કરી દીધા. અધિકારીએ રિજેક્શન સ્લિપમાં લખ્યું કે, ‘તમે પહેલાથી જ સક્સેસફૂલ છો.

US-Visa3
thelallantop.com

યુઝરના મતે તેના વીઝા ઇન્ટરવ્યૂમાં આપેલા જવાબોથી કદાચ તે સ્પષ્ટ ન કરી શક્યો કે ભારતમાં તેના ભાવિ કરિયર માટે MBA કેટલું મહત્ત્વપૂર્ણ છે. જોકે યુઝરે લખ્યું કે તે ફરીથી વીઝા માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યો છે. સાથે જ તે પોતાના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે MBAની જરૂરિયાત અને ભારત પાછા ફરીને ઉચ્ચ હોદ્દા પર કામ કરવાના તેના ઇરાદા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેણે લખ્યું કે, ‘જો તમારી પાસે એક સ્થિર નોકરી અને સારું કરિયર છે, તો તમારે અધિકારીને બતાવવાની જરૂર છે કે તમારી વર્તમાન સફળતા માત્ર એક નાનકડું પગલું છે અને તમારા દ્વારા પસંદ કરાયેલો કોર્ષ અથવા પ્રોગ્રામ તમને એક મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સીધી મદદ કરશે અને તે પ્રાપ્ત કરવા માટે તમારે આ કોર્ષમાં એડમિશન લેવાની જરૂર છે.

US-Visa2
law.asia

NDTVના રિપોર્ટ મુજબ, એક્સપર્ટ્સનું કહેવું છે કે અરજદારોએ એ સ્પષ્ટ જણાવવું પડશે કે તેમનો પસંદ કરેલો પ્રોગ્રામ તેમના કરિયર અને ટારગેટ સાથે કેવી રીતે જોડાયેલો છે. સાથે જ અભ્યાસ બાદ તેમની વાપસી સુનિશ્ચિત કરવા માટે તેમણે પોતાના દેશ સાથે મજબૂત સંબંધો દર્શાવવા પડશે. જો તેઓ આમ ન કરી શક્યા, તો વીઝા રિજેક્ટ થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુજરાતમાં કોંગ્રેસે નવેમ્બર મહિનાથી જનઆક્રોશ યાત્રા શરૂ કરીછે અને તેને પરિવર્તનનો શંખનાદ નામ રાખવામાં આવ્યું છે. છેલ્લાં 2 સપ્તાહમાં કોંગ્રેસની...
Politics 
શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 08-12-2025 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.