સરકારી શાળામા શું લાલિયાવાડી ચાલે એ ખબર ન પડે એટલે આ રાજ્યમાં મીડિયા પર પ્રતિબંધ

સરકારી શાળાઓમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બિહાર સરકારના શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ કોઈપણ સંસ્થાના પ્રતિનિધિઓને પરવાનગી લીધા વિના શાળા પરિસરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. બિહાર શિક્ષણ વિભાગના સહ-અધિક સચિવ સુબોધ કુમાર ચૌધરીએ એક પત્ર મોકલ્યો છે. જેમાં સરકારી શાળાઓમાં મીડિયાનો પ્રવેશ રોકવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

સહ-અધિક સચિવ સુબોધ કુમાર ચૌધરીએ બહાર પડેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વિભાગીય આદેશ વિના ઘણી સંસ્થાઓના પ્રતિનિધિઓ માઈક, કેમેરા અને અન્ય સાધનો સાથે શાળાના કેમ્પસમાં પ્રવેશ કરે છે. જેના કારણે બાળકોનું ભણતર ખોરવાય છે. આ ઉપરાંત, આવી દખલગીરી શાળાની નિયમિત પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પાડે છે. આ વિક્ષેપ વિદ્યાર્થીઓની શીખવાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. તેથી સરકારી શાળાઓમાં અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગે સરકારી શાળાના શિક્ષકોને મીડિયા સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માત્ર પ્રિન્સિપાલને જ પ્રેસ બ્રીફિંગ માટે અધિકૃત કરવામાં આવશે. અન્ય કોઈ શિક્ષકો મીડિયા સાથે વાત કરશે નહીં.

બિહારમાં સરકારી શાળાઓના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. જેમાં મીડિયાકર્મીઓ માઈક સાથે શાળામાં પ્રવેશ કરે છે. આમાંથી ઘણા યુટ્યુબર સરકારી શાળાઓની નબળી વ્યવસ્થા દર્શાવે છે. ઘણા લોકો શિક્ષકો અને વિદ્યાર્થીઓને સવાલ જવાબો પૂછતા જોવા મળે છે. ઘણી વખત શિક્ષકો અને વિદ્યાર્થીઓ સામાન્ય પ્રશ્નોના જવાબ પણ આપી શકતા નથી. જેના કારણે પ્રશાસન અને બિહાર સરકારની ઘણી બદનામી થતી હતી. બિહાર સરકારના આ નિર્ણયને શરમથી બચવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, બિહારની સરકારી શાળાઓમાં અનિયમિતતા અને અરાજકતા સતત સામે આવી રહી છે. આને ઠીક કરવાને બદલે શિક્ષણ વિભાગે શાળાની અંદર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. આનું કારણ એ છે કે મીડિયા અથવા કોઈપણ સંસ્થાની શાળાની આવી વારંવાર મુલાકાતોથી શિક્ષણ અને અધ્યયનને ઘણી અસર થાય છે.

આ પગલાનો ઉદ્દેશ્ય શાળાઓમાં વ્યવસ્થા જાળવવાનો અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોવાનું કહેવાય છે. જો કે, ઘણા નિષ્ણાતો માને છે કે, મીડિયા પર પ્રતિબંધ મૂકવાથી શિક્ષણ પ્રણાલીની ખામીઓ અને સમસ્યાઓ હલ નહીં થાય. આ નિર્ણય પાછળના કારણો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, ખાસ કરીને શું આ નિર્ણય વાસ્તવિક સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માટે લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય પર શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, જ્યારે કેટલાક લોકો તેને સકારાત્મક માને છે તો કેટલાક લોકો તેને સ્વતંત્રતાના ઉલ્લંઘન તરીકે જોઈ રહ્યા છે.

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.