શાળાની મુલાકાતે પહોંચ્યા શિક્ષણમંત્રી,ગંદકી દેખાતા પોતે જ ટોઇલેટ સાફ કરવા લાગ્યા

સુરતના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રીએ તેમના વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ટોયેલટ સાફ કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં સફાઈ અભિયાનને વેગ મળે અને ખાસ લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી જાતે સફાઈ કરીને લોકોને જાગૃત કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ અભિયાનને વેગ આપવા દરેક વખતે પ્રયાસો કર્યા છે અને તેને લઈને લોકોમાં પણ જાગૃતતા આવી છે, ત્યારે સુરતના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કામરેજ વિસ્તારમાં આવેલા ડુંગરા ગામે આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.

ત્યાં ટોયલેટ ગંદી હાલતમાં જોવા મળી હતી જેને લઈને શિક્ષણ મંત્રી દ્વારા જાતે પાણીની પાઇપ લઈને ટોયલેટની સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે અન્ય જગ્યાઓ પર પડેલા કચરા ઉઠાવીને સફાઈ હાથ ધરવામાં આવી હતી.

એક શિક્ષણમંત્રી ખુદ હાથમાં જાડું લઈને સફાઈ કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં જાગૃતતા આવે અને લોકો પણ સફાઈ તરફે પ્રેરાઈ અને સફાઈ અભિયાન ને વેગ મળે તે માટે શિક્ષણ મંત્રીએ સફાઈ કરીને લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.