'આદિપુરુષ'નું ફાઇનલ ટ્રેલર રીલિઝ, 1 દિવસમાં 3 કરોડથી વધુ વ્યૂ

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર બુધવારે રીલિઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ એક વાત દાવા સાથે કહી શકાય કે, આ ફિલ્મ રીલિઝ થયા બાદ થિયેટરોમાં 'જય શ્રી રામ'ના નારા લાગશે. મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનું હૃદય જીતી લેનારું વર્તન હોય કે, હનુમાનજીની ધમાકેદાર એન્ટ્રી હોય, ફિલ્મના ટ્રેલરમાં લગભગ બધું જ પરફેક્ટ છે. આ ટ્રેલર રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે, ટ્રેલરને 1 દિવસમાં 36 મિલિયન એટલે કે 3 કરોડથી વધુ વ્યૂ મળી ગયા છે.

એમ કહેવું ખોટું નહીં હોય કે, ફિલ્મનું ટ્રેલર તમને ચિલિંગ મ્યુઝિક સાથે રોલર કોસ્ટર રાઈડ પર લઈ જશે. ક્યારેક તમે ખૂબ જ ભાવુક અનુભવો છો તો ક્યારેક તમે વીર રસથી ભરાઈ જાઓ છો. ફિલ્મનું સંગીત બેશક તેની USP છે, પરંતુ સાથે જ પ્રભાસ, કૃતિ સેનન અને દેવદત્ત નાગેનું કામ ટ્રેલરમાં સ્પષ્ટપણે જોવા મળે છે. 

'રામાયણ' એ મહાકાવ્ય છે જેને આ દેશનું દરેક બાળક સાંભળીને મોટો થયો છે. આવી સ્થિતિમાં ડિરેક્ટર ઓમ રાઉત પર સૌથી મોટી જવાબદારી કંઈક નવું ઉમેરવાની હતી. કારણ કે, આપણે બધા રામાયણની વાર્તા જાણીએ છીએ, તમારા સંશોધન અને નવી માહિતીથી વિવેચકોને પ્રભાવિત કરવાનું સરળ કાર્ય નહોતું. ટ્રેલરમાં એક વાત સ્પષ્ટ થાય છે કે, મેકર્સે રામાયણના દરેક સીનને ખૂબ જ સિનેમેટિક ફીલ આપવાનો પ્રયાસ કર્યો છે. દરેક સીન લાર્જર ધેન લાઈફ દેખાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.

સૈફ અલી ખાન, કૃતિ સેનન, પ્રભાસ, દેવદત્ત નાગે અને સન્ની સિંહ જેવા સ્ટાર્સ સાથે દર્શકો છેલ્લા 2 વર્ષથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની જાહેરાત થતાં જ લોકો સવાલો પૂછવા લાગ્યા કે, આ ફિલ્મ ક્યારે રીલિઝ થશે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, આ ફિલ્મ ફક્ત હનુમાનજી પર આધારિત હશે, પરંતુ પછી ખબર પડી કે, ફિલ્મની વાર્તા વાસ્તવમાં રામાયણની વાર્તાને દર્શકોને નવી રીતે બતાવશે. સ્વાભાવિક છે કે, ઓમ રાઉતે આ ફિલ્મ માટે ઘણું સંશોધન કર્યું છે અને તેઓ રામાયણની વાર્તાને પહેલીવાર મોટા પડદા પર બતાવવાની જવાબદારીની ગંભીરતા સમજી ગયા છે, પરંતુ ફિલ્મને જનતાનો કેટલો પ્રેમ મળે છે, તે તો 16 જૂને જ જાણી શકાય એમ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.