એક્શન સીન શૂટિંગ કરતા ઇજાગ્રસ્ત થયા અમિતાભ બચ્ચન, પાસળીમાં ઈજા

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત થઈ ગયા છે. એક્શન સીન કરતી વખત અમિતાભ બચ્ચનને ઇજા થઈ ગઈ છે. ઇજા થવાના કારણે શૂટિંગને કેન્સલ કરવું પડ્યું. તેઓ ડૉક્ટર્સની દેખરેખમાં છે. તેમની સારવાર ચાલી રહી છે. અમિતાભ બચ્ચને આ અકસ્માત બાબતે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ K’ની શૂટિંગ દરમિયાન તેમને ઇજા થઈ છે. આ અકસ્માત એક એક્શન શૉટના સમયે થયો.

અમિતાભ બચ્ચનને પાસળીમાં ઇજા થઈ છે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, રિબ (પાસળી) કાર્ટિલેજ પોપ થઈ ગયો છે અને જમણી પાસળીના કેજની સાઇડની માંસપેશી ફાટી ગઈ છે. ઇજા થયા બાદ શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું છે. હૈદરાબાદની AIG હૉસ્પિટલમાં અમિતાભ બચ્ચનનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું છે. ચેકઅપ બાદ અમિતાભ બચ્ચન ઘરે ઘરે પરત પહોંચી ગયા છે. ડૉક્ટર્સે તેમને પાટા બાંધી આપ્યા છે અને આરામ કરવાની સલાહ આપી છે.

અમિતાભ બચ્ચન આ સમયે પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમને ખૂબ દુઃખાવો થઈ રહ્યો છે. મૂવ કરવા અને શ્વાસ લેવામાં પણ પરેશાની થઈ રહી છે. પૂરી રીતે સારા થવામાં તેમને હજુ થોડો સમય લાગશે. તેમને દવાઓ આપવામાં આવી છે. ડૉક્ટર્સે કેટલીક પેન કિલર્સ પણ આપી છે જેથી તેમને દુઃખાવામાં થોડી રાહત મળી શકે. અમિતાભ બચ્ચનને આ પ્રકારે ઇજા થવાના સમાચાર દરેક માટે ખૂબ પરેશાની કરનારા છે. અમિતાભ સાથે થયેલા અકસ્માત બાદ તેમના બધા કામો અને શૂટિંગને કેન્સલ કરી દેવામાં આવ્યા છે.

જ્યાં સુધી અમિતાભ બચ્ચન પૂરી રીતે સારા થઈ જતા નથી, ત્યાં સુધી ફિલ્મ કે શૂટિંગ સાથે સંબંધિત કોઈ કામ કરવામાં નહીં આવે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, તેઓ હાલમાં પોતાના ઘર ‘જલસા’માં આરામ કરી રહ્યા છે. જો કે, જરૂરી એક્ટિવિટીઝ માટે તેઓ થોડા ઘણા મૂવ કરી લે છે, પરંતુ તેમના માટે એ સરળ નથી કેમ કે અમિતાભ બચ્ચન એક એવા કલાકાર છે જેઓ પોતાના ફેન્સ સાથે જોડાઈને રહેવાનું પસંદ કરે છે.

તેઓ દર અઠવાડિયે જલસા બહાર પોતાના ફેન્સને મળે છે, પરંતુ ઇજા થવાના કારણે અમિતાભ બચ્ચન આ વખત પોતાના ફેન્સને નહીં મળી શકે. અમિતાભ બચ્ચને વિનંતી કરી છે કે તેઓ જલસા બહાર તેમને મળવા ન આવે કેમ કે તેઓ મળવાની કન્ડિશનમાં નથી. અમિતાભને ઇજા લાગવાના સમાચારે તમામ ફેન્સને નિરાશ કરી દીધા છે. અમિતાભના બધા ફેન્સ ખૂબ દુઃખી છે. દરેક તેઓ જલદી સારા થાય તેવી દુવાઓ કરી રહ્યા છે. અમે પણ એ દુવા કરીએ છીએ કે ફેન્સના દિલો પર રાજ કરનારા અમિતાભ બચ્ચન જલદી સ્વસ્થ થઈ જાય.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.