એક્શન સીન શૂટિંગ કરતા ઇજાગ્રસ્ત થયા અમિતાભ બચ્ચન, પાસળીમાં ઈજા

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત થઈ ગયા છે. એક્શન સીન કરતી વખત અમિતાભ બચ્ચનને ઇજા થઈ ગઈ છે. ઇજા થવાના કારણે શૂટિંગને કેન્સલ કરવું પડ્યું. તેઓ ડૉક્ટર્સની દેખરેખમાં છે. તેમની સારવાર ચાલી રહી છે. અમિતાભ બચ્ચને આ અકસ્માત બાબતે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ K’ની શૂટિંગ દરમિયાન તેમને ઇજા થઈ છે. આ અકસ્માત એક એક્શન શૉટના સમયે થયો.

અમિતાભ બચ્ચનને પાસળીમાં ઇજા થઈ છે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, રિબ (પાસળી) કાર્ટિલેજ પોપ થઈ ગયો છે અને જમણી પાસળીના કેજની સાઇડની માંસપેશી ફાટી ગઈ છે. ઇજા થયા બાદ શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું છે. હૈદરાબાદની AIG હૉસ્પિટલમાં અમિતાભ બચ્ચનનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું છે. ચેકઅપ બાદ અમિતાભ બચ્ચન ઘરે ઘરે પરત પહોંચી ગયા છે. ડૉક્ટર્સે તેમને પાટા બાંધી આપ્યા છે અને આરામ કરવાની સલાહ આપી છે.

અમિતાભ બચ્ચન આ સમયે પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમને ખૂબ દુઃખાવો થઈ રહ્યો છે. મૂવ કરવા અને શ્વાસ લેવામાં પણ પરેશાની થઈ રહી છે. પૂરી રીતે સારા થવામાં તેમને હજુ થોડો સમય લાગશે. તેમને દવાઓ આપવામાં આવી છે. ડૉક્ટર્સે કેટલીક પેન કિલર્સ પણ આપી છે જેથી તેમને દુઃખાવામાં થોડી રાહત મળી શકે. અમિતાભ બચ્ચનને આ પ્રકારે ઇજા થવાના સમાચાર દરેક માટે ખૂબ પરેશાની કરનારા છે. અમિતાભ સાથે થયેલા અકસ્માત બાદ તેમના બધા કામો અને શૂટિંગને કેન્સલ કરી દેવામાં આવ્યા છે.

જ્યાં સુધી અમિતાભ બચ્ચન પૂરી રીતે સારા થઈ જતા નથી, ત્યાં સુધી ફિલ્મ કે શૂટિંગ સાથે સંબંધિત કોઈ કામ કરવામાં નહીં આવે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, તેઓ હાલમાં પોતાના ઘર ‘જલસા’માં આરામ કરી રહ્યા છે. જો કે, જરૂરી એક્ટિવિટીઝ માટે તેઓ થોડા ઘણા મૂવ કરી લે છે, પરંતુ તેમના માટે એ સરળ નથી કેમ કે અમિતાભ બચ્ચન એક એવા કલાકાર છે જેઓ પોતાના ફેન્સ સાથે જોડાઈને રહેવાનું પસંદ કરે છે.

તેઓ દર અઠવાડિયે જલસા બહાર પોતાના ફેન્સને મળે છે, પરંતુ ઇજા થવાના કારણે અમિતાભ બચ્ચન આ વખત પોતાના ફેન્સને નહીં મળી શકે. અમિતાભ બચ્ચને વિનંતી કરી છે કે તેઓ જલસા બહાર તેમને મળવા ન આવે કેમ કે તેઓ મળવાની કન્ડિશનમાં નથી. અમિતાભને ઇજા લાગવાના સમાચારે તમામ ફેન્સને નિરાશ કરી દીધા છે. અમિતાભના બધા ફેન્સ ખૂબ દુઃખી છે. દરેક તેઓ જલદી સારા થાય તેવી દુવાઓ કરી રહ્યા છે. અમે પણ એ દુવા કરીએ છીએ કે ફેન્સના દિલો પર રાજ કરનારા અમિતાભ બચ્ચન જલદી સ્વસ્થ થઈ જાય.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.