વીર સાવરકર પર બનેલી ફિલ્મનો નેતાજી સુભાષના પરિવારે કર્યો વિરોધ

રણદીપ હુડ્ડાની ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોઝે ફિલ્મના ટીઝર સામે વાંધો ઉઠાવ્યો છે. વાસ્તવમાં, ટીઝરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, શહીદ ભગત સિંહ અને ખુદીરામ બોઝ પણ વીર સાવરકરની વિચારધારાથી પ્રેરિત હતા. TMC નેતા સૌગત રોયે પણ આના પર સવાલ ઉઠાવ્યા છે.

ફિલ્મના ટીઝર પર ચંદ્ર કુમાર બોઝે કહ્યું કે ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે ન દર્શાવવા જોઇએ. ફિલ્મની અંદર અન્ય સ્વાતંત્રય સેનાનીને બદલે માત્ર સાવરકર પર જ ફોકસ કરવાની જરૂર હતી, તો મોટા પડદાં પર તેમની પર્સનાલિટી ઉભરીને આવતે. સાવરકરની ફિલ્મમાં સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, ભગતસિંહ કે અન્ય ફ્રીડમ ફાઇટર્સની વાત લાવવાની જરૂર નહોતી.

ચંદ્રકુમાર બોઝ

ANI સાથે વાત કરતા ચંદ્ર કુમાર બોઝે કહ્યું, સાવરકરની વિચારસરણી, તેમના વિચારો બધા કરતા અલગ હતા. સાવરકર હિન્દુત્વ વિચારધારાના સમર્થક હતા અને હિન્દુ મહાસભા સાથે જોડાયેલા હતા. પરંતુ, નેતાજી હિંદુ મહાસભાના વિરોધી હતા. પરંતુ, નેતાજી કોઈ વિશેષ ધર્મમાં નહિ પરંતુ બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ રાખતા હતા.

તેમણે ટીઝરમાં કરવામાં આવેલા દાવાને રદિયો આપતા કહ્યું હતું કે, મારા દાદાજી સુભાષચંદ્ર બોઝ સ્વામી વિવેકાનંદને પોતાના ગુરુ માનતા હતા અને દેશબંધુ ચિતરંજનદાસને પોલિટકલ મેન્ટર માનતા હતા. સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્રએ ફિલ્મ મેકર્સને કહ્યું કે જો ફિલ્મમાં તથ્યોની સાથે છેડછાડ કરીને બતાવવામાં આવશે તો એ દેશની 140 કરોડ જનતા તમારા વિરોધમાં આવી જશે. કોઇ પણ ડાયરેક્ટરને ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો અધિકાર નથી.

હકીકતો ક્યારેય બદલાતી નથી, ફક્ત તેનો અર્થ બદલાઈ શકે છે, તેથી અભિનેતાઓ અને દિગ્દર્શકોની જવાબદારી છે કે તે ફિલ્મને એવી રીતે રજૂ કરે કે કોઈ તથ્યોને ખલેલ ન પહોંચે.

વીર સાવરકરની 140મી જન્મજયંતિના અવસર પર રણદીપ હુડ્ડાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. તેણે લખ્યું- એક ભારતીય જે બ્રિટિશ સરકારની નજરમાં મોસ્ટ વોન્ટેડ બની ગયા હતા, જે નેતાજી સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ અને ભગત સિંહના પ્રેરણાસ્ત્રોત હતા. વીર સાવરકારની ન સાંભળેલી સ્ટોરી સ્વાતંત્ર્ય વીર સાવરકર ફિલ્મ જુઓ.

આ ટ્વીટના જવાબમાં ચંદ્ર કુમાર બોઝે લખ્યું કે, માફ કરશો પરંતુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ બ્રિટિશ સરકારની નજરમાં મોસ્ટ વોન્ટેડ હતા. તે એકમાત્ર ફ્રન્ટ લાઇન નેતા હતા જેમની સામે બ્રિટિશ સરકારે શૂટ એટ સાઇટનો આદેશ આપ્યો હતો.

તેમણે દેશની આઝાદી માટે 18 ઓગસ્ટ 1947ના રોજ પોતાનો જીવ આપ્યો હતો. જો તમે સાવરકરનો આદર કરો છો તો ઈતિહાસ સાથે રમત કરશો નહીં. રણદીપ હુડ્ડા પણ આ ફિલ્મના  દિગ્દર્શક તરીકે પદાર્પણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે અંકિતા લોખંડે પણ જોવા મળશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.