ગોવિંદાએ કર્યો દાવો, કેમેરોને 18 કરોડમાં 'અવતાર' ફિલ્મ ઓફર કરી હતી, ટાઇટલ પણ મેં જ આપેલું

બોલિવૂડના હીરો નંબર 1 ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે છૂટાછેડાની અફવાઓને કારણે હેડલાઇન્સમાં છે. પરંતુ હવે તે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો છે. ગોવિંદાએ દાવો કર્યો છે કે, ફિલ્મ નિર્માતા જેમ્સ કેમેરોને તેમને 18 કરોડ રૂપિયામાં અવતારમાં મુખ્ય ભૂમિકાની ઓફર કરી હતી. અભિનેતાએ વધુમાં જણાવ્યું કે, તેણે કેમેરોનને ફિલ્મનું શીર્ષક પણ સૂચવ્યું હતું.

Govinda, Avatar
timesnownews.com

મુકેશ ખન્ના સાથે વાત કરતાં ગોવિંદાએ કહ્યું, 'મેં 21.5 કરોડ રૂપિયાની ઓફર છોડી હતી અને મને તે યાદ છે, કારણ કે તેને છોડવી ખૂબ જ પીડાદાયક હતી. હું અમેરિકામાં એક સરદારજીને મળ્યો અને તેમને એક બિઝનેસ આઈડિયા આપ્યો જે કામ કરી ગયો. થોડા વર્ષો પછી, તેમણે મને જેમ્સ કેમેરોન સાથે પરિચય કરાવ્યો. તેમણે મને જેમ્સ સાથે ફિલ્મ બનાવવા કહ્યું, તેથી મેં તેને ચર્ચા કરવા માટે રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. મેં ફિલ્મનું ટાઇટલ આપ્યું 'અવતાર'.

Govinda, Avatar
indianexpress.com

'જેમ્સે મને કહ્યું કે ફિલ્મનો હીરો વિકલાંગ છે, તેથી મેં કહ્યું કે હું આ ફિલ્મ નથી કરી રહ્યો. તેમણે મને આ માટે 18 કરોડ રૂપિયાની ઓફર કરી અને કહ્યું કે મારે 410 દિવસ શૂટિંગ કરવું પડશે. મેં કહ્યું ઠીક છે, પણ જો હું મારા શરીરને કલર કરાવીશ, તો હું હોસ્પિટલમાં હોઈશ.'

ગોવિંદાએ આગળ કહ્યું, 'આપણું શરીર જ આપણું એકમાત્ર સાધન છે. ક્યારેક, કેટલીક વસ્તુઓ વ્યાવસાયિક રીતે ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ તમારે તમારા શરીર પર તેની અસરો પર પણ ધ્યાન આપવું પડશે. ક્યારેક, તમારે વર્ષો સુધી ફિલ્મ નકારવા બદલ લોકોની માફી માંગવી પડે છે. ભલે તેઓ નજીકના હોય, પરંતુ તેમનો અહંકાર ખૂબ જ મજબૂત હોય છે.'

Govinda, Avatar
navbharattimes.indiatimes.com

અહીં તમને જણાવી દઈએ કે, ગોવિંદા અને પત્ની સુનિતાના લગ્નને 37 વર્ષ થઈ ગયા છે. છૂટાછેડાની અફવાઓએ સર્વત્ર સનસનાટી મચાવી દીધી. પરંતુ એવું બહાર આવ્યું કે, પત્ની સુનિતાએ 6 મહિના પહેલા છૂટાછેડાની નોટિસ આપી હતી, ત્યારપછી દંપતીએ સમાધાન કર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ગોવિંદા ટૂંક સમયમાં 6 વર્ષ પછી મોટા પડદા પર પાછા ફરવા જઈ રહ્યા છે. તે તાજેતરમાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં જોવા મળ્યો હતો.

Govinda, Avatar
ottplay.com

અહીં તમને બતાવી દઈએ કે, પહેલી 'અવતાર' ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી, જેમાં સેમ વર્થિંગ્ટન અને ઝો સલ્ડાના મુખ્ય ભૂમિકામાં હતા. તેનો બીજો ભાગ 'ધ વે ઓફ વોટર' 16 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થયો હતો. ત્રીજો ભાગ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની ધારણા છે, જ્યારે 'અવતાર 4' 2029માં અને 'અવતાર 5' 2031માં રિલીઝ થવાની ધારણા છે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.