બોલિવુડને નફરત કરે છે, બરબાદ કરવા માગે છે, બોયકોટ ટ્રેન્ડ પર સ્વરા ભાસ્કર બોલી

2022 બોલિવુડ ફિલ્મો માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. બી ટાઉનના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ રહી છે અને તેનું એક મોટું કારણ ફિલ્મોને લઈ ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડને માનવામાં આવે છે. બોયકોટ ટ્રેન્ડે ઘણી મોટી ફિલ્મોને બરબાદ કરી દીધી છે હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ અંગે મૌન તોડ્યું છે.

સ્વરા ભાસ્કરે કહ્યું કે બોયકોટનો ટ્રેન્ડ હાઈપ કરવામાં આવ્યો છે. જો ફિલ્મ સારી હશે તો તે દર્શકોને થિયેટરોમાં ખેંચશે. ZOOMને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે બોયકોટ ટ્રેન્ડ વચ્ચે લોકોએ આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' જોઈ છે અને જે હિટ સાબિત થઈ છે.

સ્વરા ભાસ્કરે પણ ફરીથી કહ્યું કે કેવી રીતે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી આલિયા ભટ્ટને નિશાન બનાવવામાં આવી, જેના કારણે તેની ફિલ્મ સડક 2 બરબાદ થઈ ગઈ. સ્વરાએ આ વિશે વાત કરતાં કહ્યું- મને ખબર નથી કે બૉયકોટનો ટ્રેન્ડ ક્યા સુધી બિઝનેસ પર અસર કરશે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી અને તે સંપૂર્ણ રીતે અનફેયર હતું.

સ્વરાએ આગળ કહ્યું - તે સમયે બોલિવુડના એ લિસ્ટર્સ સ્ટાર્સ પર ઘણા પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા. તે સમયે સડક 2 રિલીઝ થઈ હતી. ફિલ્મને બોયકોટ કરવાની વાત કરવામાં આવી હતી. નેગેટિવ પબ્લિસિટીના કારણે ફિલ્મની ખૂબ ખરાબ હાલત થઈ ગઈ.

સ્વરાએ કહ્યું કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની રિલીઝ પહેલા આવો જ ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો, પરંતુ તે ફિલ્મને કોઈ નુકસાન થયું નથી. લોકો ફિલ્મ જોવા ગયા અને તેમને પસંદ પણ આવી.

સ્વરાએ કહ્યું- આ કેટલાક લોકોનું નાનું જૂથ છે, જેઓ એજન્ડા ચલાવી રહ્યા છે. આ લોકો બોલિવુડને નફરત કરે છે. બોલિવુડને બરબાદ કરવા માંગે છે, તેથી તેઓ બોલિવુડ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. મને લાગે છે કે આ લોકોની આમાંથી કમાણી થઈ રહી છે.

સ્વરાએ કહ્યું કે તેની પાસે ઘણા પુરાવા છે કે આમાંથી મોટાભાગના પેઇડ ટ્રેન્ડ છે. સ્વરાના વિચારો વિશે તમારો શું અભિપ્રાય છે તે જણાવવાનું ભૂલશો નહીં.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.