ઈન્ડિયન આઇડલ 14માં મોટો ફેરબદલઃ હિમેશ-નેહાની છૂટ્ટી, આ સિંગરો બનશે જજ

બોલિવુડના જાણીતા સિંગર અને કંપોઝર હિમેશ રેશમિયા Indian Idolની પાછલી ઘણી સીઝનોને જજ કરતા જોવા મળ્યા. પણ આ વર્ષે Indian Idol 14માં તે જજની ભૂમિકામાં જોવા મળશે નહીં. તે સોની આ પોપ્યુલર સિંગિંગ રિઆલીટ શોના જજ પેનલમાં જોવા મળશે નહીં. એક્ટર-સિંગર-કંપોઝરે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. હિમેશ આ વર્ષે ઝી ટીવીના સિંગિંગ રિઆલિટી શો ‘સા રે ગા મા પા’ને જજ કરતો જોવા મળશે.

હિમેશ રેશમિયાએ કહ્યું કે, હું આ વખતે ‘સા રે ગા મા પા’ને જજ કરી રહ્યો છું. કારણ કે ટેલેન્ટ ખૂબ જ સરસ છે. મારી પાસે શોને આપવા માટે તારીખો હતી. અમે પહેલેથી જ 4 એપિસોડ શૂટ કરી ચૂક્યા છે અને શો 24 ઓગસ્ટથી ટેલિકાસ્ટ થશે. મારી ડેટ્સ ઈન્ડિયન આઈડલની 14મી સીઝન સાથે મેચ નહોતી થઇ રહી. પણ મને ખુશી છે કે કુમાર સાનૂજી શોને જજ કરી રહ્યા છે. તેમના માટે આ જોરદાર સીઝન રહેશે. મારી પાસે ત્યાર પછીની પણ તારીખો નહોતી. કારણ કે હું આ વર્ષના અંત સુધીમાં પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દઇશ.

હિમેશ, જે પોતાની આવનારી ફિલ્મ બદમાશ રવિકુમાર ને લઇ એક્સાઇટેડ છે, તેણે કહ્યું કે, બદમાશ રવિકુમાર ફિલ્મ ‘એક્સપોઝ’માં મારા પાત્રનું સ્પિનઓફ છે. જે 2014માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મ એક કમર્શિયલ પોટબોયલર છે. હું આની શૂટિંગ માટે એક્સાઈટેડ છું.

 
 
 
View this post on Instagram

A post shared by Zee TV (@zeetv)

જણાવીએ કે, Indian Idol 14માં નેહા કક્કરના સ્થાને શ્રેયા ઘોષાલ જજની ભૂમિકામાં જોવા મળશે. તો સિંગર-સંગીતકાર વિશાલ દદલાની શોને જજ કરવાનું ચાલું જ રાખશે. આ વર્ષે ઝીના શો ‘સા રે ગા મા પા’ને હોસ્ટ કરી રહેલ આદિત્ય નારાયણ Indian Idol 14ને હોસ્ટ કરતો જોવા મળશે નહીં.

8 વર્ષ પછી જોવા મળશે હુસેન

એક્ટર અને એંકર હુસૈન કુવાજેરવાલા 8 વર્ષ પછી શોને ફરી એકવાર હોસ્ટ કરતો જોવા મળશે. તેણે કહ્યું હતું કે, આ શોને મારું 100 ટકા આપીશ. આશા છે કે બધું બરાબર થાય અને લોકોને શો જોવાની મજા આવે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.