તારક મેહતાની એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ કર્યા નવા ખુલાસા, બોલી- નટુકાકાને પણ...

જેનિફર મિસ્ટ્રી બેનિવાલ અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની વચ્ચે ચાલી રહેલો ઝઘડો સમાપ્ત થવાનું નામ લઈ રહ્યો નથી અને હજુ વધુ રહ્યો છે કેમ કે એક્ટ્રેસે પ્રોડ્યૂસર આસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક ઇન્ટરવ્યૂમાં જેનિફર મિસ્ત્રીએ નીડરતાથી તેના અનુભવ બાબતે ખુલાસા કર્યા હતા, જેમાં આસિત મોદી સામે જાતીય સતામણીનો કેસ, શૉના સેટ પર સંઘર્ષ, લોકો તેની વિરુદ્ધ ઘણું બોલતા હતા.

44 વર્ષીય એક્ટ્રેસ જેનિફર મિસ્ટ્રીએ હાલના વર્ષોમાં શૉના પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવતા દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવ્યો હતો. જેનિફર મિસ્ત્રી એ સમયને યાદ કરતાં ભાવુક થઈ ગઈ હતી, જ્યારે તેના નાના ભાઇનું નિધન થયું. તેણે કહ્યું કે, તે તેના ભાઈ, એક્ટ્રેસ મોનિકા ભદોરિયા અને નટુ કાકા એટલે કે સ્વર્ગસ્થ ઘનશ્યામ નાયક જ હતા, જેમણે તેને તારક મેહતા કા ઉલ્ટા ચાશ્માના નિર્માતાઓના દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવવાની હિંમત આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ઘનશ્યામ નાયક તેની શરૂઆતથી જ ‘તારક મેટા કા ઉલ્ટા ચશ્માનો એક ભાગ હતા અને શૉના સૌથી પ્રિય એક્ટરોમાંથી એક હતા. તેમના દુઃખદ નિધન બાદ કિરણ ભટ્ટને મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવ્યો. જેનિફર મિસ્ત્રીએ એમ પણ કહ્યું કે, તેણે શૈલેષ લોઢાને શૉમાં પરત આવવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. મેં કહ્યું હતું કે તમે પાછા આવી જાઓ, કોઈ તમારી જગ્યા નહીં લઈ શકે, પરંતુ તેણે મને કહ્યું હતું કે, નહીં જેની હવે એ મારી સેલ્ફ રિસ્પેક્ટનો સવાલ છે.

અગાઉ એક ઇન્ટરવ્યૂ મોનિકા ભદોરિયાએ પણ જણાવ્યું હતું કે ઘનશ્યામ નાયક ઉર્ફ નટુ કાકાને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર હેરાન કરવામાં આવતા હતા. સોહેલે ઘનશ્યામ નાયક સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. તેણે ખુલાસો કર્યો હતો કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર એક્ટરો સાથે કૂતરાઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, તેણે એક વર્ષથી વધુ સમય સુધી તેના પૈસા માટે લડતી હતી. નિર્માતાઓએ ઘણા એક્ટરોને ટૉર્ચર કરવા માટે તેમનું પેમેન્ટ અટકાવી દીધું હતું. રાજ અનડકટ (જેણે ટપુની ભૂમિકા ભજવી હતી) અને ગુરચરણ સિંહ (જેણે રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી હતી)ને તેમના પૈસા આપવાના બાકી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.