'તેજસ' ફિલ્મ જોઈને CM યોગી આદિત્યનાથની આંખોમાં તો આંસૂ આવી ગયેલાઃ કંગના'

કંગના રણૌતની વધુ એક ફિલ્મને બોક્સ ઓફિસ પર પછડાટ મળી છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી કંગનાની તેજસ ફિલ્મ થિએટરોમાં ઉંધા માથે પટકાઈ છે. ફિલ્મ 10 કરોડ સુધી પણ પહોંચી શકી નથી, ત્યારે આ જોઈને કંગના રણૌત બોખલાઈ ગઈ છે. તેણે તો આ ફિલ્મ ન જોનારાને એન્ટી નેશનલ સુધી કહી દીધું છે. કંગના રણૌત જે લોકો તેની ફિલ્મ જોવા નથી જઈ રહ્યા તેને આકરા શબ્દોમાં સંભળાવી રહી છે.

તેજસ ફિલ્મની લખનૌમાં સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી, જેમાં CM યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. આ સ્ક્રીનિંગ બાદ કંગના રણૌતે કહ્યું હતું કે, મેં તો જોયું કે યોગીજીની આંખોમાં આંસૂ આવી ગયા હતા, તેઓ એટલા ભાવુક થઇ ગયા હતા ફિલ્મ જોઈને. આ ફિલ્મ પાછળ દુશ્મનો અને એન્ટી નેશનલ તત્ત્વ પડ્યા છે, તેને લઈને CM યોગી આદિત્યનાથે આશ્વાસન આપ્યું છે કે, તેઓ અમને સપોર્ટ કરશે અને જે રાષ્ટ્રવાદી અને નેશનાલિસ્ટ છે તેમને પ્રોત્સાહિત કરીશું કે તેઓ આ ફિલ્મ સાથે જોડાય. અમને ઘણું સારું લાગ્યું. જુઓ અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ બાળકો માટે બની છે અને આને શાળાઓમાં દેખાડવામાં આવે અને લોકો પોતાની ફેમિલીને લઈને ફિલ્મ જોવા જાય.

પહેલા કંગનાએ કહ્યું હતું કે, તેજસની ટિકિટ એટલે નથી વેચાઈ રહી કારણ કે કોવિડ બાદ થિએટરમાં ફૂટફોલ ઓછું થયું છે,એન્ટી નેશનલ લોકો તેની ફિલ્મની પાછળ પડ્યા છે. પણ કંગનાની વાત પચે એવી નથી, કારણ કે ટુંકા ગાળામાં જ જવાન, ગદર, પઠાણ જેવી ફિલ્મોએ ડંકો વગાડી દીધો હતો.

ફિલ્મની રીલિઝ પછી કંગના ગુજરાતના પ્રસિદ્ધ મંદિર દ્વારકા પહોંચી હતી. જ્યાં તેણે ભગવાનના દર્શન કર્યા અને દ્વારકાધીશ મંદિરમાં માથુ નમાવ્યું.

આ દરમિયાન કંગનાએ મીડિયા સાથે વાત કરી અને વાત વાતમાં ચૂંટણી લડવાના સંકેત પણ આપી દીધા. કંગનાને 2024ની લોકસભા ચૂંટણી લડવાને લઇ સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં કંગના રણૌતે કહ્યું કે, જો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે. અભિનેત્રીના આ નિવેદન પછી એવું માનવામાં આવી રહ્યું છે કે જો તેને તક મળશે તો તે ચૂંટણી લડી શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.