'તેજસ' ફિલ્મ જોઈને CM યોગી આદિત્યનાથની આંખોમાં તો આંસૂ આવી ગયેલાઃ કંગના'

કંગના રણૌતની વધુ એક ફિલ્મને બોક્સ ઓફિસ પર પછડાટ મળી છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી કંગનાની તેજસ ફિલ્મ થિએટરોમાં ઉંધા માથે પટકાઈ છે. ફિલ્મ 10 કરોડ સુધી પણ પહોંચી શકી નથી, ત્યારે આ જોઈને કંગના રણૌત બોખલાઈ ગઈ છે. તેણે તો આ ફિલ્મ ન જોનારાને એન્ટી નેશનલ સુધી કહી દીધું છે. કંગના રણૌત જે લોકો તેની ફિલ્મ જોવા નથી જઈ રહ્યા તેને આકરા શબ્દોમાં સંભળાવી રહી છે.

તેજસ ફિલ્મની લખનૌમાં સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી, જેમાં CM યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. આ સ્ક્રીનિંગ બાદ કંગના રણૌતે કહ્યું હતું કે, મેં તો જોયું કે યોગીજીની આંખોમાં આંસૂ આવી ગયા હતા, તેઓ એટલા ભાવુક થઇ ગયા હતા ફિલ્મ જોઈને. આ ફિલ્મ પાછળ દુશ્મનો અને એન્ટી નેશનલ તત્ત્વ પડ્યા છે, તેને લઈને CM યોગી આદિત્યનાથે આશ્વાસન આપ્યું છે કે, તેઓ અમને સપોર્ટ કરશે અને જે રાષ્ટ્રવાદી અને નેશનાલિસ્ટ છે તેમને પ્રોત્સાહિત કરીશું કે તેઓ આ ફિલ્મ સાથે જોડાય. અમને ઘણું સારું લાગ્યું. જુઓ અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ બાળકો માટે બની છે અને આને શાળાઓમાં દેખાડવામાં આવે અને લોકો પોતાની ફેમિલીને લઈને ફિલ્મ જોવા જાય.

પહેલા કંગનાએ કહ્યું હતું કે, તેજસની ટિકિટ એટલે નથી વેચાઈ રહી કારણ કે કોવિડ બાદ થિએટરમાં ફૂટફોલ ઓછું થયું છે,એન્ટી નેશનલ લોકો તેની ફિલ્મની પાછળ પડ્યા છે. પણ કંગનાની વાત પચે એવી નથી, કારણ કે ટુંકા ગાળામાં જ જવાન, ગદર, પઠાણ જેવી ફિલ્મોએ ડંકો વગાડી દીધો હતો.

ફિલ્મની રીલિઝ પછી કંગના ગુજરાતના પ્રસિદ્ધ મંદિર દ્વારકા પહોંચી હતી. જ્યાં તેણે ભગવાનના દર્શન કર્યા અને દ્વારકાધીશ મંદિરમાં માથુ નમાવ્યું.

આ દરમિયાન કંગનાએ મીડિયા સાથે વાત કરી અને વાત વાતમાં ચૂંટણી લડવાના સંકેત પણ આપી દીધા. કંગનાને 2024ની લોકસભા ચૂંટણી લડવાને લઇ સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં કંગના રણૌતે કહ્યું કે, જો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે. અભિનેત્રીના આ નિવેદન પછી એવું માનવામાં આવી રહ્યું છે કે જો તેને તક મળશે તો તે ચૂંટણી લડી શકે છે.

About The Author

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી...
Gujarat 
અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે...
Gujarat 
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.