કંગનાએ દ્વારકામાં કહેલી વાત પર પિતાએ મત્તું માર્યું, ભાજપમાંથી ચૂંટણી...

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતને લઈને સતત ચૂંટણી લડવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો હવે તેના પિતાએ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. કંગના રણૌતના પિતાએ તેના (કંગના) લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે. જો કે, પિતાએ એમ પણ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) નક્કી કરશે કે દીકરી કંગનાને ક્યાંથી ચૂંટણી લડાવવાની છે. એક્ટ્રેસ કંગના રણૌતના પિતા અમરદીપે સ્પષ્ટ કર્યું કે કંગના રણૌત ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે, પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે, એ વાતને પાર્ટી નેતૃત્વએ જ નક્કી કરવાનું છે.

મોટી વાત એ છે કે કંગના રણૌતે 2 દિવસ અગાઉ કુલ્લુમાં પોતાના ઘર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. મુલાકાત બાદથી તેની ચૂંટણી લડવાની ચર્ચાઓને હજુ વેગ મળ્યો હતો, પરંતુ હવે પિતાએ સ્પષ્ટ કરી દીધું છે કે કંગના રણૌત ચૂંટણી લડશે.

ગયા અઠવાડિયે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તરફથી સોશિયલ મીટ કાર્યક્રમ કરાવવામાં આવી હતી. તેમાં પણ કંગના રણૌત પહોંચી હતી અને કહ્યું હતું કે RSSની વિચારધારા, તેની વિચારધારાથી મળે છે. કંગના મંડી લોકસભા સીટ કે પછી ચંડીગઢથી ચૂંટણી લડે તેવી સંભાવના છે.

ફિલ્મ એક્ટ્રેસ કંગના રણૌત મૂળ મંડી જિલ્લાના સરકાઘાટ વિધાનસભા ક્ષેત્રના ભાંબલા ગામની રહેવાસી છે. તેને મનાલીમાં પણ એક ઘર બનાવી રાખ્યું છે. તેનો પરિવાર હવે મનાલીમાં જ રહે છે. થોડા મહિના અગાઉ જ કંગનાએ દ્વારકામાં મીડિયા સાથે વાતચીત કરી હતી કે જો ભગવાનની કૃપા રહી તો તે ચૂંટણી જરૂર લડશે. ત્યારબાદ કંગના ચૂંટણી લડવાને લઈને ખબરોનો બજાર ગરમ છે.

બે દિવસ અગાઉ જ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કંગના રણૌતની ચૂંટણી લડવાની ચર્ચાઓએ હજુ તેજી પકડી લીધી હતી. આ મુલાકાત કૂલ્લુમાં થઈ હતી. આ દરમિયાન જે.પી. નડ્ડાની ધર્મપત્ની મલ્લિકા નડ્ડા પણ ઉપસ્થિત રહી હતી. આ કણકારી કંગના રણૌતે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

તેણે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા લખ્યું કે, ‘કુલ્લૂમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને તેમના ધર્મપત્ની મલ્લિકા નડ્ડા સાથે મુલાકાત થઈ. આ મુલાકાતમાં તેમણે સહયોગ, સલાહ અને માર્ગદર્શન મળ્યું, જેથી તે પોતાને ભાગ્યશાળી માની રહી છે.’

Related Posts

Top News

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.