ડિરેક્ટર ઓમ રાઉતનો બચાવ, 'લોકોએ સમજવું પડશે કે આ રામાયણ નથી આદિપુરુષ છે'

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી જ વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સ પર મોટાભાગે હંગામો મચ્યો છે. આ સાથે લોકો એ પણ ગુસ્સે છે કે, આ ફિલ્મમાં રામાયણની વાર્તા કરતાં પણ વધુ એક્શન સીન છે. હવે ડિરેક્ટર ઓમ રાઉતે આ વિવાદો પર પોતાનું મૌન તોડ્યું છે.

16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'રામાયણ' પર આધારિત ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. એક તાજેતરના ઇન્ટરવ્યુમાં, ઓમ રાઉતે કહ્યું કે, જેઓ કહે છે કે, તેઓ રામાયણને સમજે છે તેઓ મૂર્ખ છે. મીડિયા સૂત્રોને આપેલા પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં ડાયરેક્ટર ઓમ રાઉતે કહ્યું, 'રામાયણ એટલું મોટું છે કે તેને સમજવું કોઈ માટે પણ અશક્ય છે. જો કોઈ એમ કહે છે કે, તેઓ રામાયણને સમજે છે, તો તે કાં તો મૂર્ખ છે અથવા તેઓ ખોટું બોલી રહ્યા છે.' રામાયણ જે આપણે પહેલા TV પર જોયું છે, તે કંઈક આવું છે, જે હું મોટા ફોર્મેટમાં જોઈને મોટો થયો છું. અમે તેને ફિલ્મ (રામાયણ) કહી શકતા નથી. તેથી જ અમે તેને આદિપુરુષ કહીએ છીએ, કારણ કે તે રામાયણની અંદરનો એક ભાગ છે. અંદર એક વિભાગ છે. તે એક યુદ્ધ દ્રશ્ય છે, જે અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અને તે યુદ્ધ દ્રશ્યનો માત્ર એક નાનો ભાગ છે.'

એક તરફ 'આદિપુરુષ'એ પહેલા જ દિવસે રેકોર્ડ તોડ કમાણી કરી, તો બીજી તરફ આ ફિલ્મને લઈને વિવાદ પણ વધી ગયો છે. લોકો ફિલ્મના ડાયલોગને ટપોરી જેવો ગણાવી રહ્યા છે. ત્યાં સુધી કે, રાવણથી લઈને ઈન્દ્રજીતના પાત્રને પણ છપરી કહેવામાં આવે છે. લોકોને આશા નહોતી કે, મનોજ મુન્તાશીર ઓમ રાઉતની 'આદિપુરુષ'માં ટપોરી સ્ટાઇલના ડાયલોગ્સનો ઉપયોગ કરશે. જો કે, મનોજે તેનો બચાવ કરતા કહ્યું છે કે, તેણે તે જાણી જોઈને કર્યું છે, જેથી લોકો આ ડાયલોગ્સની સાથે પોતાને જોડી શકે.

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત 'આદિપુરુષ'માં રાઘવ (રામ) તરીકે પ્રભાસ, જાનકી (સીતા) તરીકે કૃતિ સેનન, લંકેશ (રાવણ) તરીકે સૈફ અલી ખાન અને લક્ષ્મણ તરીકે સની સિંહ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.