સારા અલી ખાનની ‘એ વતન મેરે વતન’ ફિલ્મ સુરતના ગુજરાતી મહિલા પર બની છે

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન અભિનીત ફિલ્મ‘એ વતન મેરે વતન’ ફિલ્મ જે મહિલા પર બનાવવામાં આવી છે તે સુરતના ગુજરાતી મહિલા હતા. તેઓ ગાંધી વાદી વિચારધારા ધરાવનારા અને સ્વાંતત્ર્ય સેનાની હતા.

સારા અલી ખાન જેમની મુખ્ય ભૂમિકા ભજવવાની છે તે મહિલાનું નામ ઉષા મહેતા છે અને તેમનો જન્મ સુરત નજીક આવેલા ઓલપાડના સરસ ગામમાં થયો હતો. ઉષા 5 વર્ષના હતા ત્યારે ગાંધીજીને અમદાવાદમાં જોયેલા ત્યારથી ગાંધીજીથી પ્રભાવિત થઇને ભારત છોડો આંદોલનમાં જોડાયા હતા.

1942માં જ્યારે ભારત છોડો આંદોલન ચાલતું હતું ત્યારે ઉષા મહેતાએ એક સિક્રેટ રેડિયો સર્વિસ શરૂ કરી હતી. તેમના સહયોગીઓ મદદ કરતા હતા. આ સિક્રેટ રેડિયો સર્વિસ દ્રારા સેનાનીઓને બધા સમાચાર મળતા રહેતા હતા. જો કે 3 જ મહિનામાં ઉષા મહેતાની ધરપકડ થઇ અને તેઓ 4 વર્ષ જેલમાં રહ્યા.

જેલમાંથી છુટ્યા પછી ઉષા પી.એચડી. થયા હતા. 12 વર્ષની ઉંમરે તેમનો પરિવાર મુંબઇ શિફ્ટ થઇ ગયો હતો. 1998માં તેમને પદ્મવિભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું.11 ઓગસ્ટ 2000માં તેમનું નિધન થયું હતું.

Top News

પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે

કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)માં મોટો બદલાવ કરી રહી છે. કર્મચારીઓને હવે એક વિશેષ સુવિધા મળવાની...
Business 
પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે

આગામી પાંચ વર્ષમાં HRથી લઈને IT સુધીની આ 8 નોકરીઓ AI છીનવી લેશે! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આજના સમયમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે. હવે AIને કારણે ફક્ત...
Tech and Auto 
આગામી પાંચ વર્ષમાં HRથી લઈને IT સુધીની આ 8 નોકરીઓ AI છીનવી લેશે! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-06-2025 દિવસ: બુધવાર મેષ:  તમે દિવસનો થોડો સમય માતા-પિતાની સેવામાં પણ પસાર કરશો. તમે તમારા પરિવારના સભ્યોને પિકનિક પર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.