સૈફ અલી ખાન પર હુમલાના આરોપી શરીફુલે કોર્ટમાં કર્યો મોટો દાવો- 'ધરપકડના સમયે મને...'

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર તેના ઘરે થયેલા ચોરીનો નિષ્ફળ પ્રયાસ અને જીવલેણ હુમલાના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં, મુંબઈ પોલીસે આરોપી શરીફુલ ઇસ્લામની જામીન અરજી ફરી એક વખત કોર્ટમાં સખત વિરોધ કર્યો હતો. જામીન અરજી પર સુનાવણી હવે 17 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે, જેના પર બુધવારે (9 એપ્રિલ) બીજી વખત સુનાવણી થઈ હતી. મુંબઈ પોલીસે કહ્યું હતું કે, જે છરીથી સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો, તેના ત્રણેય ટુકડા ફોરેન્સિક તપાસમાં મેળ ખાતા જોવા મળ્યા છે. પોલીસે કોર્ટમાં દાવો કર્યો હતો કે, આરોપી વિરુદ્ધ આ એક મહત્ત્વનો પુરાવો છે.

Saif-Ali-Khan-Attack-Case1
indiatoday.in

મુંબઈ પોલીસે શરીફુલના જામીનનો કેમ વિરોધ કર્યો?

આ સાથે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આરોપી શરીફુલ બાંગ્લાદેશી નાગરિક છે અને ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. જો તેને જામીન મળી જાય તો તે બાંગ્લાદેશ ભાગી જાય તેવી શક્યતા છે. આ જ કારણે મુંબઈ પોલીસે જામીન અરજીનો વિરોધ કર્યો છે.

તો, આરોપીએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો છે કે, તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદનું કહેવું છે કે, પોલીસે ધરપકડના સમયે તેને કારણ બતાવ્યુ નહોતું અને તેના મૌલિક અધિકારોનું હનન થયું છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસે 1000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.

Saif-Ali-Khan-Attack-Case2
indiatoday.in

રીફુલના વકીલનું કહેવું છે કે, પોલીસ પાસે કોઈ મજબૂત પુરાવા નથી અને FIRમાં ઘણી ખામીઓ છે. એક્ટરના ઘરે હુમલાની ઘટના 16 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 2:00 વાગ્યાની છે, જ્યારે આરોપીએ કથિત રીતે ઘરમાં ઘૂસીને ઘરેલુ સહાયક પર હુમલો કર્યો હતો અને પછી જ્યારે સૈફ અલી ખાને વચ્ચે બચાવ કરવાનો પ્રયાસ કર્યો તો તેના પર પણ છરીથી હુમલો કરી દેવામાં આવ્યો હતો.

Related Posts

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.