‘ગદર 2’ને લઈને છલકાયું સની દેઓલના પુત્રનું દર્દ! બોલ્યો ‘તેમને 22 વર્ષ બાદ હિટ..

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ ઓલ ટીમે બ્લોકબસ્ટર હિટ થઈ ગઈ છે. તો હવે તેમના (સની દેઓલનો) નાનો દીકરો રાજવીર દેઓલ પોતાનું બૉલિવુડ ડેબ્યૂ કરવા તૈયાર છે. સોમવારે તેની પહેલી ફિલ્મ ‘દોનોં’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે, જેમાં તે પૂનમ ઢિલ્લોની દીકરી પલોમા ઢિલ્લો સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરતો નજરે પડશે. તેની ફિલ્મ 5 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે. ‘બંને’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન રાજવીર દેઓલે પોતાના એક્ટર બનવાના નિર્ણય પર માતા-પિતાના રીએક્શન પર વાત કરી.

તેણે જણાવ્યું કે, તેના માતા-પિતા નહોતા ઇચ્છતા કે તે એક્ટર બને. તેના માતા-પિતાની સલાહ હતી કે તે ભણી-ગણીને પોતાની જિંદગીમાં કંઈક બીજું કરે, પરંતુ તેને એક્ટિંગ સાથે પ્રેમ થઈ ગયો. ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, ઈશા દેઓલ અને કરણ દેઓલ બાદ દેઓલ ફેમિલીથી હવે રાજવીર દેઓલ પણ ફિલ્મી દુનિયામાં પગલું રાખવા જઈ રહ્યો છે, પરંતુ સની દેઓલ તેના આ નિર્ણયને સપોર્ટમાં નહોતા.

એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, રાજવીર દેઓલે કહ્યું કે, મારા માતા-પિતા આ વાતથી નફરત કરતા હતા કે હું એક એક્ટર બની રહ્યો છું. તેણે કહ્યું કે, તેમની હંમેશાં ઈચ્છા હતી કે હું અભ્યાસ કરું અથવા જિંદગીમાં કંઈક બીજું કરું. મારા પિતાને 22 વર્ષ બાદ એક હિટ મળી અને કમનસીબે મને એક્ટિંગ સાથે પ્રેમ થઈ ગયો. અવસરની વાત છે તો મને લાગે છે કે પોતાનું કામ પોતે બોલે છે. પરંતુ હું પોતાના કામમાં સારો છું, તો અવસર મળશે.

મને લાગે છે કે તમારે પોતાના ક્રાફ્ટ પર કામ કરવું જોઈએ કેમ કે અત્યારે હું સારો દેખાઈ રહ્યો છું, પરંતુ જો હું 60 અને 70 વર્ષનો છું અને વૃદ્ધ છું, તો સારું હશે કે હું એક સારો એક્ટર બનું કેમ કે એ જ તમારું ટેલેન્ટ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં સની દેઓલના મોટા દીકરા કરણ દેઓલે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. તો હવે નાના દીકરા રાજબીર બૉલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. બંને સાથે પૂનમ ઢિલ્લોની દીકરી પલોમા ઢિલ્લો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું પગલું રાખવા જઈ રહી છે. તેમની ફિલ્મ 5 ઓક્ટોબરના રોજ રીલિઝ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.