આસારામ સામે કેસ લડવામાં કેટલા વકીલ હતા? બાજપાયીની ફિલ્મમાં 1 હી બંદા..

બોલિવુડ અભિનેતા અને પોતાના ધારદાર અભિનય માટે જાણીતા મનોજ બાજપેયીની એક ફિલ્મ આવી રહી છે જે અત્યારે ભારે ચર્ચામાં છે. 23 મેના રોજ રીલિઝ થનારી બાજપેયી અભીનીત ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ'માં આસારામ વિરુદ્ધ કેસ લડનાર વકીલનો અભિનય મનોજ બાજપેયી કરી રહ્યા છે, પરંતુ આસારામ સામે 2 વકીલો કેસ લડ્યા હતા. બીજા વકીલની સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવાવમાં આવી નથી.

દેશભરમાં ચર્ચામાં રહેલા આસારામ બળાત્કાર કેસમાં પીડિતા માટે કોર્ટમાં લડાઇ લડનાર વકીલ પી. સી. સોલંકી પર આ ફિલ્મ બની છે. ‘સિર્ફ એક બંદા કાફી હૈ'માં મનોજ બાજપેયી પી. સી. સોલંકીની ભૂમિકા કરી રહ્યા છે. આસારામની  દિગ્ગજ વકીલોની મોટી ફોજ સામે એક વકીલ કેવી રીતે ટકકર આપે છે તે વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. એક વકીલે કેસ લડ્યો, પીડિતાને ન્યાય અપાવ્યો અને આસારામને આજીવન કેદની સજા મળી. પરંતુ હકિકતમા પીડિતાને ન્યાય અપાવનાર એક નહી,પરંતુ બે વકીલો હતા.

વકીલ પી.સી. સોલંકી અને મનીષ વ્યાસ

જાણવા મળેલી વિગત મુજબ આસારામની સામે FIR દાખલ થઇ તે પહેલા અને ચાર્જશીટ રજૂ થઇ ત્યાં સુધી પીડિતાનો કેસ એડવોકેટ મનીષ વ્યાસે લડ્યો હતો, જેમની વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી નથી. આસારામના વકીલોની ફૌજમાં રામ જેઠમલાની જેવા નામાંકિત વકીલો હતો, પરંતુ તેમની તમામ દલીલ વકીલ મનીષ વ્યાસે નિષ્ફળ બનાવી દીધી હતી. આસારામ પર ચાર્જ ફ્રેમ થયો ત્યાં સુધી 4 મહિના સુધી વકીલ મનીષ વ્યાસે મજબુતીથી કેસ લડ્યો હતો. એ પછી પી.સી. સોલંકીએ 6 વર્ષ સુધી પીડિતા વતી કેસ લડ્યો હતો.

સિર્ફ એક બંદા કાફી હૈ'માં મનોજ બાજપેયી પી. સી. સોલંકીની ભૂમિકા ભજવી રહ્યા છે અને ફિલ્મ કોર્ટ રૂમમાં થયેલી દલીલો પર આધારિત છે. આ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પી સી વકીલે આસારામની દિગ્ગજ વકીલો સામે દલીલ કરીને ટકકર આપી.

આસરામ કેસની વાત કરીએ તો જોધપુરના મનઇ આશ્રમમાં વર્ષ 2013ના ઓગસ્ટ મહિનામાં આસારામે એક સગીર પર બળાત્કાર કર્યો હતો. દિલ્હીમાં પીડિતાએ FIR દાખલ કરી હતી અને પોલીસે નવેમ્બર 2013માં 1021 પાનની ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કેસને લૂલો કરવા માટે અનેક પ્રયાસો થયા હતા, અનેક લોકો સાક્ષીઓને હટી જવા માટે ધમકી આપતા હતી, પરંતુ પીડિતાના વકીલ પી,સી. સોલંકીએ મજબુતાઇથી કેસ લડ્યો અને આસારામને આજીવન કેદની સજા અપાવી.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.