ટીવી એક્ટ્રેસ છોડવા માગે છે સોશિયલ મીડિયા, બોલી- ટ્રોલ....

ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક દાયકાથી કામ કરી રહેલી અભિનેત્રી નીતિ ટેલરે ટ્રોલ્સને હેન્ડલ કરવાનું શીખી લીધું છે. ઘણીવાર સેલેબ્સને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, એક્ટર્સ તેમને હંમેશા નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ કેટલીકવાર ટ્રોલ્સ મર્યાદા ઓળંગી જાય છે. હવે અભિનેત્રી નીતિ ટેલરે કહ્યું છે કે ટ્રોલ્સે તેના વિશે ખરાબ પોસ્ટ શેર કરવાની સાથે તેના પરિવાર પર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.

28 વર્ષીય નીતિ ટેલરે ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ્સ પર પલટવાર કરતા જવાબ આપ્યો. ટ્રોલ્સે નીતિના માતા-પિતા તેમજ તેના સાસરિયાઓ અને તેની એક વર્ષની ભત્રીજી પર હુમલો કર્યો હતો. હિંદુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, '2014માં મારો શો કૈસી યે યારિયાં આવ્યો હતો, ત્યારથી મને ટ્રોલ કરવામાં આવી રહી છે. હું હંમેશા તેને નજરઅંદાજ કરું છું, પરંતુ તેમ છતાં આ ટ્રોલ્સ ખરાબ રીતે મારી પાછળ પડ્યા છે.

નીતિ ટેલર કહે છે કે વાત એટલી આગળ વધી ગઈ હતી કે ટ્રોલ્સે તેના પરિવારને તેના એડિટ કરેલા ફોટોમાં ટેગ કરવાનું શરૂ કર્યું. આ સિવાય તેના વિશે અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ પણ ટ્રોલ કરવા લાગ્યા. અભિનેત્રી કહે છે, 'હું ટ્રોલ્સને જવાબ નથી આપતી, પરંતુ તેઓએ મારા પરિવારને એવી વસ્તુઓ મોકલવાનું શરૂ કર્યું, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તેઓ મારો એડિટ કરેલો ફોટો શેર કરતી વખતે મને દુઃખી અને નાસુંદર કહે છે. આ એક મહિનાથી થઈ રહ્યું છે અને આ પાગલ કરી દે તેવું છે. આ લોકો ખૂબ જ ગંદી ભાષા વાપરે છે.

પોતાના એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નીતિ ટેલરે આ વિશે વાત કરી હતી. તેણે લખ્યું હતુ, 'જો તમે લોકો મારા વિશે કમેન્ટ કરો છો, તો કરો, પરંતુ મારા માતા-પિતાને છોડી દો, આ તમારી ખરાબ કામ છે કે તમે મને ટેગ કરતા રહો છો. તમને મારી સાથે સમસ્યા છે. તમે મને નફરત કરો છો. તો મારા સુધી રહો, મારા પરિવારને આમાં ન લાવો.

નીતિ ટેલરે ઈન્ટરવ્યુમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર તેના માટે ફેલાયેલી નફરતની ખરાબ અસર તેના પડી છે. તેણે કહ્યું કે આ કારણે તેણે સોશિયલ મીડિયા છોડવાનો પણ વિચાર કર્યો હતો. તે કહે છે, 'હું મારી જાતને કહું છું કે આ ફક્ત કેટલાક લોકો છે જે સ્ક્રીનની પાછળ છુપાઈને બોલે છે. તેઓ માત્ર નેગેટિવિટી ફેલાવવા માગે છે. પરંતુ ક્યારેક હું વિચારું છું છે કે કાશ હું સોશિયલ મીડિયા છોડી શકતી. તેના વગર જીવન જીવી શકતી. પરંતુ હવે તે મારા કામનો એક ભાગ બની ગયો છે. હવે તમારે સોશિયલ મીડિયા પર રહેવું જરૂરી છે, કારણ કે તમારા સોશિયલ મીડિયા ફોલોઅર્સને જોઈને તમને કામ આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.